SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ હે ભદન્ત ! સામાયિક ધારણ કરીને ઉપાશ્રયમાં બેઠેલા શ્રાવકની પત્ની સાથે કઈ જાર પુરુષ વ્યભિચાર કરે ‘સા અંતે! જિં વાઇ વરૂ, અનાથં વરરૂ?” તો તે જાર પુરુષ તે શ્રાવકની પત્ની સાથે વ્યભિચાર કરે છે, કે તેની પત્ની ન હોય એવી સ્ત્રી સાથે વ્યભિચાર સેવે છે? ઉત્તર- “નોરમr? હે ગૌતમ! નાથં નાડુ, ન ચના વારે તે જાર પુરુષ સામાયિક ધારણ કરીને બેઠેલા તે પુરુષની પત્ની સાથે વ્યભિચાર સેવે છે –તેની પત્ની ન હોય એવી સ્ત્રી સાથે વ્યભિચાર સેવતા નથી. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે- “તરણ તે ! તે૬િ सीलब्धयगुणवेरमणपच्चक्खाणपोसहोववासेहिं सा जाया अजाया भवइ ?' હે ભદન્ત! શીલ, ગુણ, વ્રત, વિસ્મણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસની આરાધના કરતા તે શ્રાવકની પત્ની શું તેની અભાયરૂપ બની જતી નથી. ઉત્તર – ‘દંતા, મારૂ” હા, ગૌતમ ! શીલ, વ્રત, ગુણ, વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધેપવાસ આદિથી તેની ભાર્યા અભારૂપ બની જાય છે. હવે ગૌતમ સ્વામી તેનું કારણ જાણવા માટે એવો પ્રશ્ન કરે છે કે “છે જેમાં પણ ગ અંતે ! જવં યુaફ, વાયુ વાયુ, નો ચગાવું ?” હે ભદન્ત ! જે તેના શીલવ્રતાદિ દ્વારા તેની તે ભાર્યા અભાર્યારૂપ બની શકતી હોય તો આપ શા કારણે એવું કહે છે કે તે જાર પુરુષ સામાયિક ધારણ કરીને બેઠેલા તે શ્રાવકની ભાર્યા સાથે વ્યભિચાર સેવે છે?— તેની અભાર્યા સાથે વ્યભિચાર સેવતો નથી ? ઉત્તર- “તસv pi મને, જે માયા, ળો પણ, માયા, જે મે મણિી હે ગૌતમ સામાયિકમાં બેઠેલા તે શ્રાવકના મનમાં એવો વિચાર આવે છે કે માતા મારી નથી, પિતા મારા નથી, ભાઈ મારે નથી, બહેન મારી નથી, ‘જો રે મા, જો જે કુત્તા, જે જે પ્રકા, ઘરે છે સુવા’ ભાય મારી નથી, પુત્ર મારે નથી, પુત્રી મારી નથી, અને પુત્રવધૂ પણ મારી નથી. પ્રભુનો આ પ્રકારને ઉત્તર સાંભળીને ગૌતમ રવામી પ્રભુને પૂછે છે કે “તો પછી એ વાત કેવી રીતે માની શકાય કે તે જાર પુરુષ તે શ્રાવકની ભાર્યા સાથે વ્યભિચાર સેવે છે- તેની ભાર્યા ન હોય એવી સ્ત્રી સાથે વ્યભિચાર સેવતો નથી ? જે તે સ્ત્રીમાં તે શ્રાવકની આસકિત જ ન હોય, તો તે સ્ત્રીને તે શ્રાવકની ભાય જ કેવી રીતે કહી શકાય? - અ શંકાનું સમાધાન કરવા માટે પ્રભુ કહે છે- “વેકનવંધને કુળ રે ગયો છે મારૂ છે ગૌતમ! તે શ્રાવકનું પ્રેમબંધન-મમતા ભાવ-જે અનુમતિરૂપ છે તે વ્યછિન્ન થયું નથી– તૂટયું નથી. તેની અનુમતિ વિના તે સ્ત્રી સાથેનું તેનું પ્રેમબંધન તૂટી શકતું નથી કહેવાનું તાત્પર્ય એ છે કે તેણે જે સાવદ્યોગને પરિત્યાગ કર્યો છે તે મન, વચન અને કાયની બે કટિથી કૃિત અને કારિતથી] કર્યો છે. તેણે મન, વચન અને કાયની અનુમતિથી તેનો પરિત્યાગ કર્યો નથી. તેથીજ “મને o વાયા, #gi = fમ, ન જારમ” મન, વચન અને કાયાથી કરીશ નહીં અને કરાવીશ નહીં' એવું કહેવામાં આવ્યું છે તે તેનાં નીયમ ! નાવ નો મનાય વર” હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે તે જાર પુરુષ સામાયિક ધારણ કરીને બેઠેલા તે શ્રાવકની ભાર્યા સાથે વ્યભિચાર સેવે છે. તે તેની પત્ની ન હોય એવી સ્ત્રી સાથે વ્યભિચાર સેવતો નથી. તે સ્ત્રીને તે શ્રાવકની પત્ની કહેવાનું કારણ એ છે કે તેની સાથે તેને પ્રેમાસકિત સંબંધ અતૂટ રહેલ છે. સૂત્ર ૧ / શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧ ૬૫
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy