________________
मायावत्तियाण, मिच्छादसणवत्तियाण य कयरे कयरे हितो अप्पा वा, बहुया वा, तुल्ला वा, विसेसाहिया श? गोयमा ! सम्वत्थोवा मिच्छादसणवत्तियाओ किरियाओ, अपञ्चक्खाणकिरियाओ विसेसाहिओ परिग्गहियाओ विसेसा. हियाओ आरंभियाओ किरियाओ विसेसाहियाओ मायावत्तियाओ विसेसाદિયો ” અહીં સુધીના કથન દ્વારા ક્રિયાઓના વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે, એમ સમજવું. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે –
ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે “હે ભદન્ત! આ આરંભિકી; પરિગ્રહકી, અપ્રત્યાખ્યાનિકી, માયામયિકી અને મિથાદર્શન પ્રત્યચિકી ક્રિયાઓમાંથી કઈ કઈ ક્રિયાઓ કઈ કઈ ક્રિયાઓ કરતાં અટુપ છે? કઈ ક્રિયાઓ કઈ ક્રિયાઓ કરતાં અધિક છે? કઈ કઈ ક્રિયાઓ કઈ કઈ ક્રિયાઓની સમાન છે અને કઇ ક્રિયાઓ વિશેષાધિક છે?
મહાવીર પ્રભુ કહે છે કે- “હે ગૌતમ ! સૌથી અલ્પ મિથ્યાદર્શન પ્રયિકી ક્રિયા છે. મિથ્યા દોષ્ટ જીવમાં જ આક્રિયાઓનો સદુભાવ હોય છે. અપ્રત્યાખ્યાન ક્રિયાઓ તેના કરતાં વિશેષાધિક હોય છે. કારણકે તે કિયાઓને સદભાવ મિથ્યાષ્ટિ છોમાં અને અવિરત સમગ્ર દષ્ટિ જીવોમાં હોય છે. “પરિઠિયાગો વિસાદિયાયો પારિગ્રહિક ક્રિયાઓ તેમના કરતાં પણ વિશેષાધિક હોય છે, કારણકે તે ક્રિયાઓને સદ્ભાવ મિથ્યા દષ્ટિ જીવમાં, અવિરત સમ્યગુ દષ્ટિ જીવોમાં અને દેશવિરતિવાળા જીવમાં જોવામાં આવે છે. “ગામિયા ક્રિયા વિશેષાદિયા’ આરંભિકી ક્રિયાઓ તેમનાં કરતાં પણ વિશેષાધિક હોય છે, કારણકે પત મિથ્યાદષ્ટિ આદિ છમાં અને પ્રમત્તસયત જીવોમાં તેમનો સભાવ હોય છે. ‘માયાત્તાગો વિરોદિવા” માયાપ્રયિકી ક્રિયાઓ તેમના કરતાં પણ વિશેષાધિક હોય છે, કારણકે પૂત મિથ્યાદિષ્ટ આદિ છવોમાં તથા અપ્રમત્તસંયત સકષાયી જેમાં તે ક્રિયાઓને સદ્ભાવ જોવા મળે છે. પ્રજ્ઞાપના સૂત્રના ર૨ માં પદમાં કાયિકી આદિ જે ક્રિયાઓ કહી છે તેનું તાત્પર્ય નીચે પ્રમાણે છે
કાયિકી, આધિકરણિકી, પ્રાષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી, એ પાંચ પ્રકારની ક્રિયાઓ કહી છે. તેમાંથી કાયિકી ક્રિયાના નીચે પ્રમાણે બે ભેદ કહ્યા છે. (૧) અનુપરતકાયિકી ક્રિયા અને (૨) દુપ્રયુકતકાયિકી કિયા. પ્રાણાતિપાત આદિ સાવદ્ય
ગથી અંશતઃ કે સર્વથા [સંપૂર્ણતઃ] વિરકત નહીં થનાર છને અનુપરતકાયિકી ક્રિયા લાગે છે. તે ક્રિયા માત્ર અવિરત છે જ કરે છે. કાયાદિકના દુષ્પયોગથી ઉત્પન્ન થનારી ક્રિયાનું નામ દુwયુકતકાયિકા કિયા છે. તે કિયા પ્રમત્ત સાધુ જને જ કરે છે. અધિક રણિકી કિયાના પ્રકાર છે. (૧) સંજનાધિકરણિકી અને (૨) નિર્વતનાધિકરણિકી નિષ્પાદિત અસ્ત્રશસ્ત્રાદિક વધનાં સાધનને સંજનથી તૈયાર કરવા તેનું નામ સંજનાધિકરણિકી ક્રિયા છે. તથા નવીન નવીન અસ્ત્રશસ્ત્રનું નિર્માણ કરવું તેનું નામ નિર્વનાધિકરણિકી ક્રિયા છે. પિતાનું, અન્યનું તથા ઉભયનું અશુભ ચિન્તવન કરવું તેનું નામ પ્રાદેષિકી ક્રિયા છે. નિજમાં, અન્યમાં કે ઉભયમાં દુઃખનું ઉત્પાદન કરવું તેનું નામ પરિતાપનિકી ક્રિયા છે. પોતાના જીવની, અન્યના જીવની કે ઉભયના જીવની હત્યા કરવી તેનું નામ પ્રાણાતિપાતિકી ક્રિયા છે.
સૂત્રનો ઉપસંહાર કરતાં ગૌતમ સ્વામી કહે છે- “હે મા સેવં તે! હે ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. હે ભદન્ત ! આપનું કથન યથાર્થ છે. આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણુ નમસ્કાર કરીને ગૌતમ સ્વામી પિતાને સ્થાને વિરાજમાન થઈ ગયા. | સૂત્ર ૧ /
આ ચોથો ઉદ્દેશક સમાપ્ત .
શ્રી ભગવતી સૂત્ર : ૬
૧૫૯