SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ રીતે રત્નપ્રભા પૃથ્વીના સંબંધમાં એક વચનાન્ત બહુ વચનાન્ત, ચરમ, અચરમ, વિષયના ચાર પ્રશ્ન અને ચરમાના પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ સંબંધી બે પ્રશ્ન એ રીતે છ પ્રશ્નો થાય છે. તેમાં એક વચનાઃ ચરમ અને અચરણ એ બે પદ સંબંધી બે પ્રશ્ન તો મૂળથીજ કહેવામાં આવ્યા છે. બાકી બહુવચનાત ચાર પદના ચાર પ્રશ્ન આ પ્રમાણે છે. “ગરિમા ગરમાવું ચરિબંvvસા અનંતપણા इमाणं रयणप्पभा पुढवी नोचरिमा नोअचरिमा नोचरिमाइं नोअचरिमाइं नोचरिमंतपएसानोअचरितमंतपएसा नियमा अचरिमं चरिमाणिय चरिमंतपएसा य ગરિમંતા ચ રૂત્યાદ્રિ તેનું તાત્પર્ય એ છે કે ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું કે હે ભગવાન્ ! રત્નપ્રભા પૃથ્વી શું પ્રાંતવતીની છે કે અપ્રાંતવતીની મધ્ય વતની છે? અગર આ રત્નપ્રભા પૃથ્વી ચરમાન્ત પ્રદેશવાળી છે કે અચરમાન્ત પ્રદેશવાળી છે. આ રીતે ચાર બહુવચનાન્ત ચરમા ચરમ પદ વિષયક પ્રશ્ન કર્યા છે. તે પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વી પ્રાંતવતીની નથી. અને અપ્રાંતવતીની–મધ્યમ વતીની પણ નથી. કેમકે રત્નપ્રભા પૃથ્વીની મધ્યમાં જે અન્ય પૃથ્વી હોય તે તેમાં ચરમતા કરી શકાય છે. પરંતુ એવી વાત નથી કેમકે તેની મધ્યમાં બીજી કઈ પૃથ્વી નથી. એટલા માટે રત્નપ્રભા પૃથ્વીમાં ચરમતા સંભવતી નહી કારણકે ચરમતા એ ધર્મ સાપેક્ષ હોય છે. અપેક્ષણીયના અભાવમાં ચરમતા તેમાં માની શકાય નહીં એજ રીતે જે રત્નપ્રભા પૃથ્વીની બહારની તરફ બીજી કોઈ પૃથ્વી હિય તે તે અપેક્ષાએ તે રત્નપ્રભા પૃથ્વી તે મધ્યવર્તીની કહેવાત કિંતુ તેની પહેલાં કે તેની પછીથી બીજી કઈ પૃથ્વી નથી તેટલા માટે તેને અચરમ-મધ્યવર્તીની પણ કહી શકાય નહી. એ રીતે તે પ્રાંતવતીની નથી અને મધ્યવર્તીની નથી. એથી તેમાં એક વચનરૂપ ચરમતાનો વ્યપદેશ બનતું નથી તે પછી વરાળ’ એવા બહુ વચનાન્ત ચરમ પદને પ્રયોગ પણ કેવી રીતે બની શકે અર્થાત બની શકતો નથી. ચરમતા અચરમતાના અભાવમાં તત પ્રદેશ કલ્પનાને પણ અર્થાત ચરમા ગરમ જન્ય વિભાગને પણ અભાવ આવી જાય છે, એ અભિપ્રાયને લઇને “નો વરસાત કરી નો ચમત્ત રા” એમ કહ્યું છે. બહુવચનની અપેક્ષાએ રત્નપ્રભા પૃથ્વી ચરમાન્ત પ્રદેશરૂપ નથી અને અચરમાત પ્રદેશરૂપ પણ નથી. મિતુ જ્યારે તેમાં અસંખ્યાત પ્રદેશવગાઢતા માનવામાં આવે છે ત્યારે અસંખ્યાત પ્રદેશાવગાઢ હેવાથી અર્થાત આકાશના અસંખ્યાત પ્રદેશોમાં તેની પ્રદેશમાં તેની સ્થિતિ હોવાથી ત્યાં અનેક અવયની વિવિક્ષા થઈ જાય છે. એટલા માટે “નિશાત વરમં ચરબળ = સવિતુમતિ તે રત્નપ્રભા પૃથ્વી અચરમરૂપ બહુવચનાને ચરમરૂપ ચરભાત પ્રદેશરૂપ અને અચરમાન પ્રદેશરૂપ કહી શકાય છે. કહેવાનો હેતુ એ છે કે રત્નપ્રભાના પ્રાંતભાગમાં રહેલા ખડમાં અનેકત્વની વિવિક્ષા કરાય છે ત્યારે ત્યાં “વરમાળા ” એ બહુવચનવાળો પ્રયોગ થઈ જાય છે. મધ્યભાગવતિ ખંડ જ્યારે એકરૂપથી વિવક્ષિત હોય ત્યારે ત્યાં એક વચનરૂપ એવા પદનો પ્રયોગ કહી શકાય છે. તથા પ્રદેશદષ્ટિની વિવક્ષાથી ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશરૂપથી પણ તેને કહી શકાય છે. તેનું તાત્પર્ય એ છે કે રત્નપ્રભા પૃથ્વીની પહેલાં અને પછીથી કોઈ બીજી પૃથ્વી વિગેરે ચીજ નથી. એટલે તે તેની અપેક્ષાએ ચરમ કહી શકાય નહીં. અને અચરમ પણ કહી શકાય નહીં જ્યારે તેમાં ચરમ અને અચરમને વહેવાર નથી થતે તે પછી ચરમાન્ત પ્રદેશરૂપ અને શ્રી ભગવતી સૂત્ર : ૬ ૧૫ ૬
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy