________________
થાવત - ભાવાધિકાર પર્વત કહ્યું છે, તેવી જ રીતે અહીંઆ પણ સમજવું. તાત્પર્ય કહેવાનું એ છે કે અવધિજ્ઞાની દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય અવસ્થામાં અનંતરૂપી દ્રવ્યને
જસ અને ભાષાના પ્રાગ્યવર્ગણાઓના અંતરાલવતિ દ્રવ્યોને વિશેષ રૂપથી જાણે છે અને સામાન્યરૂપથી દેખે છે. તે જ “તેવા મારા વાળ પણ ગg પદરશો? આ ગાથાર્થ દ્વારા અહીંઆ પ્રકટ કરેલ છે. તથા અવધિજ્ઞાન ઉત્કૃષ્ટરૂપથી સઘળારૂપી દ્રવ્યોને બાદર, સૂફમરૂપી પદાર્થોને જાણે છે અને દેખે છે. વિશેષ જ્ઞાન સામાન્યજ્ઞાન નિયત હોય છે. અર્થાત વિશેષજ્ઞાન હોવાના પહેલાં સામાન્યજ્ઞાન થાય છે. સામાન્યજ્ઞાનનું નામ જ દર્શન હોય છે. એટલે અવધિજ્ઞાનીને અવધિદર્શન અવશ્ય હોય છે. જે અહીંઆ એવી શંકા કરવામાં આવે કે જ્યારે વિશેષજ્ઞાન સામાન્યજ્ઞાન નિયત હોય છે તે ‘ાનાતિ, પતિ એવું શા માટે કહ્યું: ‘જરથતિ નાનાતિ' એવું કહેવું જોઈએ. તે તેમ ન કહેતાં ક્રમનું ઉલ્લંઘન કર્યું છે. તેમાં શું હેતુ છે? તે શંકાનું સમાધાન કરતા કહે છે કે અહીંઆ અવધિજ્ઞાનનું પ્રકરણ ચાલી રહ્યું છે. એટલે જ્ઞાનની મુખ્યતા પ્રગટ કરવા માટે પહેલા “જ્ઞાનાવિ ” એ ક્રિયાપદનો ઉલ્લેખ કર્યો છે. તેમજ અવધિજ્ઞાન દર્શન અવધિજ્ઞાનમાં અને વિર્ભાગજ્ઞાનમાં એ બંનેમાં સાધારણરૂપથી વિદ્યમાન રહેવાને કારણે પ્રધાનતા મળેલ નથી. આ વાત પ્રકટ કરવા માટે પાછળથી “સ્થિતિ” એમ કહેવાનું તાત્પર્ય એ છે કે જેટલી લબ્ધિઓ હોય તે તમામ સાકારપગવાળા જીવને જ હોય છે. નિરાકારઉપગવાળા જીવને હેતી નથી. અવધિ પણ એક લબ્ધિ વિશેષ છે. તે કારણે જ્યારે તે પહેલાં ઉત્પન્ન થાય છે. તે જ્ઞાનરૂપે જ ઉત્પન્ન થાય છે, દર્શન રૂપે નહીં. પછીથી તેમાં ક્રમશ: ઉપયોગની પ્રવૃત્તિ થાય છે. અતઃ એટલા માટે સાકારપયોગી જીવને જ અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે એ વાતને સમજાવવા માટે સાકારપગવાચક “ નાનાવિ ” એ ક્રિયાપદને પહેલાં પ્રયોગ કરેલ છે અને તે પછી ક્રમથી ઉપયોગની પ્રવૃત્તિને આશ્રય કરીને ‘પtતે ” એ ક્રિયાપદનું ઉચ્ચારણ કર્યું છે. નંદીસુગમાં આ પ્રમાણે કહ્યું છે. – “વેરો મદિના વદને ચંગુરુમ્સ સંવેરૂમા કાળરૂ પાસ;” ઈત્યાદિ તેનો અર્થ આ પ્રમાણે છે. ક્ષેત્રની અપેક્ષાથી અવધિજ્ઞાની આંગળના અસંખ્યાત ભાવ પ્રમાણ ક્ષેત્રમાં રહીને રૂપી દ્રવ્યોને જધન્યથી જાણે છે, અને ઉત્કૃષ્ટથી અવધિજ્ઞાની અલકાકાશમાં જે લોક પ્રમાણ અસંખ્યાત ખંડ સંભવિત થઈ જાય તે તેને પણ જાણે શકે છે અને દેખી શકે છે. એવું કથન અવધિજ્ઞાનની શક્તિને લક્ષમાં રાખીને કરી છે. કાળની અપેક્ષાએ અવધિજ્ઞાની જધન્યથી આવલિકાના અસંખ્યાતમાં ભાગને જાણે છે અને દેખે છે. અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સપિણું પ્રમાણ અને અસંખ્યાત અવસર્પિણું પ્રમાણ અતીત અને અનાગત કાળને જાણે છે અને દેખે છે. કાળને જાણે છે તે કહેવાનો હેતુ એ છે કે તેને
શ્રી ભગવતી સૂત્ર : ૬