SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ તથા ત્રણમાં મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાની હોય છે. બે અજ્ઞાનીઓમાં મત્યજ્ઞાની, શ્રુતજ્ઞાની અને ત્રણ અજ્ઞાનીઓમાં મત્યજ્ઞાન, સુતાજ્ઞાન અને અવધિઅજ્ઞાનરૂપ વિભંગણાની હોય છે. “મજુરસા ના નીવા તવ પંચનાળામાં તિન્ને રન્નાળિ મચળrg જે રીતે સામાન્ય જીવ કહેલ છે તે રીતે મનુષ્ય પણ પાંચ જ્ઞાનવાળા અને ત્રણ અજ્ઞાનવાળા ભજનાથી સમજવા. તેમાં કેટલાક મનુષ્ય બે જ્ઞાનવાળા હોય છે કેટલાક ત્રણ જ્ઞાનવાળા અને કેટલાક ચાર જ્ઞાનવાળા હોય છે અને કેટલાક મનુષ્ય ફકત કેવળજ્ઞાનવાળા હોય છે. બે જ્ઞાનવાળા- તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનવાળા હોય છે. ત્રણ જ્ઞાનવાળાઓમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનવાળા હોય છે. અગર મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનવાલા હોય છે. ચાર જ્ઞાનવાળાઓમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃ પર્યવ જ્ઞાનવાળા હોય છે. એક જ્ઞાનવાળામાં ફકત કેવળજ્ઞાનવાળા હોય છે. એ જ રીતે કેટલાક મનુષ્ય મત્યજ્ઞાની અને શ્રુતજ્ઞાની એમ બે અજ્ઞાનવાળા, અને કેટલાક મનુષ્ય મત્યજ્ઞાની શ્રુતજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની એ ત્રણ અજ્ઞાનવાળા હોય છે. “ વાસંત ના જોયા વાનવ્યંતર, પિશાચ, ભૂત, રાક્ષસ, કિન્નર, પુિરુષ, મહેરગ, ગંધર્વ એ આઠ જે રીતે નૈરયિક જીવોનું કથન કરેલ છે એ જ રીતે ત્રણ જ્ઞાનવાળા અને ભજનાથી ત્રણ એજ્ઞાનવાળા હોય છે. અર્થાત- કેટલાક વાનવ્યંતર બે અજ્ઞાનવાળા હોય છે અને કેટલાક વાનવ્યંતર ત્રણ અજ્ઞાનવાળા હોય છે. બેસિસ માળિયા જે રિનિ ના તિરિન નિવાજ્યોતિષિકદેવ અને માનિકદેવે નિયમથી ત્રણ જ્ઞાનવાળા અને ત્રણ અજ્ઞાનવાળાં કહ્યાં છે. તેમજ ચંદ્રાદિક તિષિકદેવ અને સૌધર્માદિક વીમાનિકદેવ નિયમથી મતિજ્ઞાનવાળા, શ્રતજ્ઞાનવાળા અને અવધિજ્ઞાનવાળા હોય છે. તેમજ નિયમથી મત્યજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિભંગ જ્ઞાનવાળા હોય છે. સિદ્ધા મતે પુછા? હે ભગવન! સિદ્ધી જ્ઞાની હોય છે કે અજ્ઞાની ? ઉ“જો ના'હે ગૌતમ! “નાળી નો અન્ના સિદ્ધ નિયમથી જ્ઞાની જ હોય છે અને જ્ઞાનીમાં પણ તેઓ કેવળજ્ઞાની હોય છે તે જ કારણે તેઓને અહીં “yજ ના રેવના એવું કહ્યું છે. બીજા આભિનિધિક જ્ઞાનવાળા તે હોતા નથી. અહીં એવું સમજવાનું છે કે સિદ્ધાંતની દ્રષ્ટિએ જ્ઞાન પાંચ પ્રકારનું છે. ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મનઃ પર્યાવજ્ઞાન, ૫ કેવળજ્ઞાન. દાર્શનિક શૈલીથી આ પાંચ જ્ઞાનેને બે ભાગમાં વિભકત કરેલ છે. એક પ્રત્યક્ષ અને બીજું પક્ષ તેમાં પ્રત્યક્ષ બે પ્રકારનું કહેલ છે. એક ઈન્દ્રિય પ્રત્યક્ષ અને નાઈન્દ્રિય પ્રત્યક્ષ, ઈન્દ્રિય પ્રત્યક્ષ – સ્પર્શન ઈન્દ્રિય પ્રત્યક્ષ, રસનાઈન્દ્રિય પ્રત્યક્ષ, ઘાણઈન્દ્રિય પ્રત્યક્ષ, ચક્ષુકન્દ્રિય પ્રત્યક્ષ અને કર્ણ ઇન્દ્રિય પ્રત્યક્ષ એ રીતે પ્રત્યક્ષ પાંચ પ્રકારના કહેલ છે. તે ઈન્દ્રિય પ્રત્યક્ષ ત્રણ પ્રકારનું કહેલ છે. એક અવધિજ્ઞાન, બીજું મન:પર્યવજ્ઞાન અને ત્રીજું કેવળજ્ઞાન. પ્રતિપાતિ અને અપ્રતિપાતિના ભેદથી અવધિજ્ઞાન બે પ્રકારનું કહેલ છે અને ઋજુમતિ અને વિપુલમતિના ભેદથી મનઃ પર્યાવજ્ઞાન બે ભેદરૂપે કહેલ છે. જે જીવ મનુષ્ય હેય, ગર્ભજ હોય, કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલ હેય સંખ્યાત વર્ષની આયુષ્યવાળા હેય પર્યાપ્તક હય, સમ્યગ્દષ્ટિ હેય, સંયત હેય, અપ્રમાદિ હોય અને લબ્ધિવાળા હોય એવા વિશેષણવાળા જીવને મનઃ પર્યાવજ્ઞાન ઉત્પન્ન થાય છે. કેવળજ્ઞાન ૧ સંગિ કેવળજ્ઞાન ર અગિક કેવળજ્ઞાન અને શ્રી ભગવતી સૂત્ર : ૬ ८८
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy