SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ અને ભાવની મર્યાદાને લઈને જાણે છે. એટલા માટે છમસ્થ પદથી અહીં અવધિજ્ઞાન આદિ વિશેષ પ્રકારના જ્ઞાનરહિત જીવનું જ ગ્રહણ કરવામાં આવેલ છે. નહીં કે અવધિજ્ઞાની આત્મા. એ જ કારણે અહીં “સદરમાવે એ પદને અર્થે ચાક્ષુષ - પ્રત્યક્ષ પરક ઘટી શકે છે. તેમજ ધર્માસ્તિકાય આદિ દશ પદાર્થોને છદ્મસ્થજીવ ચાક્ષુષ-પ્રત્યક્ષથી જાણુ નથી. શંકા- જો અહીં એવી શંકા કરવામાં આવે કે “સર્વમાનએ શબ્દને અર્થ અમે ચક્ષુષ–પ્રત્યક્ષ પરક ન લઈને એ લઈએ કે છઠ્ઠમસ્થઆત્મા પરભવાદિ પદાર્થોને જાણવા છતાં પણ તેને સંપૂર્ણ રીતે સર્વભાવથી જાણતા નથી. અર્થાત– તેની અનંત પર્યાને જાણતા નથી. એટલે આવા પ્રકારની માન્યતાથી છમસ્થ પદથી અહીં અવધિજ્ઞાની આત્મા પણ ગ્રહણ થઈ શકશે. તે તેમ કહેવું તે બરાબર નથી કેમકે આવા પ્રકારનું કથન કરવાથી દશ સંખ્યાના નિયમથી વ્યથપત્તિ આવવાનો પ્રસંગે ઉપસ્થિત થશે. કારણ કે ઘટાદિક પદાર્થ એવા પણ છે કે જે કેવળી ભગવાન વિના અન્ય પુરુષદ્વારા સર્વ પર્યાય વિશિષ્ટ રૂપથી જાણું શકાતું નથી. અવર્ધિાની ઘટાદિ પદાર્થોને સ્પષ્ટ રૂપથી અવશ્ય જાણે છે પણ તેને તે તેની સંપૂર્ણ અનંત પર્યાયે સહિત જાણતા નથી. પ્રત્યેક પદાર્થને તેની અનંત પર્યાયે સહિત જાણવાવાળ એક કેવળજ્ઞાની જ છે, એટલે સમાd' પદને અર્થ ચાક્ષુષ–પ્રત્યક્ષ–એજ કોઈ જોઈએ. એથી અવધ્યાદિ વિશેષ જ્ઞાનરહિત છદ્મસ્થ ધર્માસ્તિકાયાદિક દશ વસ્તુઓને પ્રત્યક્ષરૂપથી જાણી શકતા નથી અને દેખી પણ શકતા નથી. છમસ્થ જે દશ વસ્તુઓને સાક્ષાતરૂપથી જાણી કે જે શકતા નથી તેને સૂત્રકાર નામનિર્દોષ પૂર્વક હવે બતાવે છે. “ધથિજાઉં ?. अधम्मत्थिकायं २, आगासस्थिकायं ३, जीवं असरीपडिबद्धम् ४, परमाणु पोग्गल ५, सई ६, गंधं ७, वातं ८, अयंजिणे भविस्सइ नना भविस्सइ ९, ગાં સત્ર જુવાળ રિક્ષg a ના શરિર ૨૦ ધર્માસ્તિકાય ૧, અધર્માસ્તિકાય ૨, આકાશાસ્તિકાય ૩, મુકતજીવ ૪, પરમાણુ પુદ્ગલ પ, શબ્દ ૬, ગંધ છે, વાયુ ૮, આ જિન થશે કે નહીં થાય ૯, અને આ જીવ સમસ્ત દુઃખોનો નાશ કરશે કે નહિં કરે? ૧૦. કહેવાનો હેતુ એ છે કે દુમસ્થ જીવ સર્વભાવથી ધમસ્તિકાયને જાણતો નથી. તે જ રીતે તે અર્વાસ્તિકાયને, આકાશાસ્તિકાયને, મુકત શરીરને જાણતા નથી તેમ જતા પણ નથી. પરમાણુ પુદ્ગલેને ઉપલક્ષણથી કયણુક આદિને પણ જાણતા નથી કે જોઈ શકતા નથી. એ જ રીતે તે શબ્દને, ગંધને કે વાયુને પણ જાણતા નથી કે દેખતા નથી. આ પ્રત્યક્ષરૂપે કોઇપણ પ્રાણુ જીન–વીતરાગ-કેવળી થશે અથવા નહીં થાય. બસ એ જ રીતે પ્રત્યક્ષ રૂપથી દેખાતું નથી. આ જીવ જે કે કેવળજ્ઞાન આદિ મહર્થિક વિગેરે ગુણેથી યુકત બનેલ છે. સમસ્ત દુઃખેને નાશ કરશે કે નહીં કરે એ પણ જાણતા નથી અને દેખતો નથી. છત્મસ્થ જીવથી જુદા જીવ જ 'एयाणि चेव उपननाणदंसणधरे अरहाजिणे केवलो सनभावेणं जाणइ पासई' જે ઉત્પન્મજ્ઞાન અને કેવળદર્શનને ધારણ કરવાવાળા છે અર્થાત કેવળજ્ઞાની કેવળદર્શની છે અને અરહંત જન કેવળી છે તેઓ આ ધર્માસ્તિકાય આદિ ૧૦ સ્થાનોને સારી રીતે જાણે છે અને દેખે છે તે દશસ્થાન આ પ્રમાણે છે. “પસ્થિiાં નાવ રિસરૂ વા નવા જિન્નg' તે ધર્માસ્તિકાય આદિ દશ સ્થાન પહેલા આ સૂત્રમાં જણાવ્યા પ્રમાણે સમજી લેવા. સુ. ૩ શ્રી ભગવતી સૂત્ર : ૬ ८८
SR No.006420
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy