SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ સંમયમાં તે અનાહારક જ રહે છે, ' चउत्थे समए नियमा आहारए , પણુ બાકીના સમયમાં – ચેાથા સમયમાં તે તે નિયમથી જ આહારક થઇ જાય છે. ત્રણ વળાંક (માવ) આ પ્રમાણે થાય છે— કાઇ જીવ ત્રસનાલીની બહાર અગ્નિકાણુ આદિ કાણુરૂપ વિશિાઓમાં રહેલા છે. હવે તે જીવ જ્યારે અધેલેાકમાંથી ઉર્ધ્વ લેાકમાં ત્રસનાલીની બહારની દિશાએમાં ઉત્પન્ન થાય છે, ત્યારે તે અવશ્ય વિશ્રેણિથી – વક્રરેખામાંથી – એક સમયે સમશ્રેણિમાં સીધી રેખામાં આવી જાય છે, તથા દ્વિતીય સમયે તે ત્રસનાલીમાં પ્રવેશ કરે છે, ત્રીજે સમયે તે ઉજ્વલાકમાં પહોંચી જાય છે, અને ચેાથે સમયે લેાકનાલીમાંથી બહાર નીકળીને ઉત્પાદરથાનમાં ઉત્પન્ન થઈ જાય છે. અહીં સમથ્રેશિ દ્વારા જ ગમન કરવાથી શરૂઆતના ત્રણ સમયમાં ત્રણ ઘુમાવ (વળાંક) થઈ જાય છે. एवं दंडओ जीवा य एगिंदिया य चउत्थे समए, सेसा तइए समए' - આ પ્રમાણે જ ૨૪ દંડક કહેવા જોઇએ. સમુચ્ચય જીવ અને એકેન્દ્રિય જીવા નિયમથી જ ચેાથે સમયે આહારક થાય છે અને બાકીનાં જીવા એટલે કે દ્રીન્દ્રિયથી પચેન્દ્રિય પર્યન્તના જીવો તથા નારકથી વૈમાનિક પર્યન્તના વા નિયમથી જ ત્રીજે સમયે આહારક થાય છે. આ કથનનુ કારણ એ છે કે જે નારકાદિ ત્રસ જીવો છે તે કાળધમ પામીને સેામાં જ ઉત્પન્ન થાય છે તેમનું ગમન કે આગમન ત્રસનાડીથી અહાર થતું નથી. નથી તેથી તેઓ દ્વિતીય સમયમાં અવશ્ય આહારક થઇ જાય છે જેમકે કોઇ મત્સ્યાદિ જીવ ભરતક્ષેત્રના પૂર્વ ભાગમાંથી અરાવતક્ષેત્રના પશ્ચિમભાગની નીચે નરકમાં ઉત્પન્નથયે, તે તે જીવ ત્યાં કઈ પદ્ધતિથી પહોંચ્યા હશે તે જોઈએ તે જીવ પ્રથમ સમયે ભરત–ોગના પૂર્વ ભાગમાંથી ભરતક્ષેત્રના પશ્ચિમ ભાગમાં ગા હશે. બીજે સમયે ઐરાવત ક્ષેત્રના પશ્ચિમ ભાગમાં ગયા હશે, અને ત્રીજે સમયે ત્યાંથી નરકમાં ઉત્પન્ન થયા હશે. આ રીતે અહીં ઘુમાવમાં ત્રણ સમય લાગ્યા, અને પ્રથમ તથા દ્વિતીય સમયમાં તે જીવ આનાહરક રહ્યો અને ત્રીજે સમયે નિયમથી જ આહારક થઈ ગયું. 6 " હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે- નનેજું મંતે ! જ સમર્થ સન્નપ્પાહારઇ મવરૂ ? ' કે ભદ્દન્ત ! જીવ કયે કચ સમયે સૌથી અલ્પ આહારવાળા હોય છે? તેના ઉત્તર આપતા મઠ્ઠાવીર પ્રભુ કહે છે કે- ૮ ગોયમા ! હે ગૌતમ ! 'पढमसमयोववन्नए वा चरमसमयभवत्थे वा एत्थ णं जीवे सव्बप्पाहारए भवइ છત્ર ઉત્પત્તિના પ્રથમ સમયે સૌથી અલ્પ આહારવાળા હોય છે. કારણ કે તે સમયે આહાર ગ્રહણુ કરવાના સાધનરૂપ તેનું જે શરીર હાય છે તે ધણુજ અલ્પ (નાનું) હાય છે. તથા આયુના ચરમ (અન્તિમ) સમયે પણ જીવ સૌથી અપ આહારવાળા હોય છે, કારણ કે તે સમયે આત્મ પ્રદેશે। સત થઇ જાય તે અને તે અલ્પ શરીરાવયેામાં રહેતા હાય છે. આ કથનનું તાત્પર્યાં એ છે કે ઉત્પદ્યમાન જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે અને આયુના અન્તિમ સમયે સૌથી એછા આહાર લેતા હોય છે. ‘તંતુનો માળિયન્ત્રો ગાય તેમાળિયાનું સૌથી અલ્પ આહારતા વિષેના નારથી લઈને વૈમાનિક પન્તના ૨૪ ઈંડા પણ આ પ્રમાણે જ સમજવા. ॥ સૂ, ૧ । શ્રી ભગવતી સૂત્ર : ૫ ७८
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy