SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - જીવરૂપ છે? એવો પ્રશ્ન અને તેને ઉત્તર આપતા સૂત્રકારે બનેમાં અભેદ પ્રકટ કર્યો છે. (૩) જીવ પ્રાણેને ધારણ કરે છે, આ ત્રીજો વિષય છે. (૪) ભવસિદ્ધિક નૈરયિક પણ હોય છે અને અનેરયિક પણ હોય છે, આ ચેાથે વિષય સમજાવે છે. (૫) કેટલાક છે એકાન્તતઃ અસાતવેદના-દુઃખરૂપ વેદનાને અનુભવ કરે છે. (૬) નારકથી લઇને વિમાનિક દેવ પર્વતના આત્મક્ષેત્રમાં અવગાઢ પુદ્ગલેને આત્મદ્વારા ગ્રહણ કરીને તેમને પિતાના આહારરૂપે વાપરે છે. (૭) કેવલી ભગવાન ઈન્દ્રિ દ્વારા પદાર્થને જાણતા દેખતા નથી. આ બધો વિષયેનું આ ઉદ્દેશકમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. “સે મંજે ! મં ! રિ? હે ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સત્ય જ છે. હે ભદન્ત ! આપનું કથન સર્વથા સત્ય છે.” સૂપ છે જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતી’ સત્રની પ્રમેયચદ્રિકા વ્યાખ્યાના છઠ્ઠા શતકના દસમે ઉદ્દેશક સમાપ્ત. ૬-૧૦ સાતચેં શતક કે પહિલે ઉદેશે કા સંક્ષેપાસે વિષય વિવરણ સાતમા શતકના પહેલા ઉદ્દેશાનો પ્રારંભસાતમ શતકના પહેલા ઉદ્દેશકમાં આવતા વિષયનું સંક્ષિપ્ત નિરૂપણ આ ઉદ્દેશકની શરૂઆતમાં એક સંગ્રહ ગાથા આપેલી છે. તે માથામાં સાતમાં શતકમાં આવેલા દસ ઉદ્દેશકના વિષયે દર્શાવવામાં આવ્યા છે. પહેલા ઉદેશકને ટૂંક સાર નીચે પ્રમાણે છે. પ્રશ્ન- પરભવમાં જતે છવ કયારે આહારક થાય છે અને કયારે અનાહારક થાય છે ? ઉત્તર- પ્રથમથી લઈને તૃતીય સમય સુધીમાં જીવ ક્યારેક આહારક હોય છે અને કયારેક અનાહારક હોય છે, પણ ચેથા સમયે તે જીવ અવશ્ય આહારક થઈ જાય છે. લોકસંસ્થાનની વક્તવ્યતા, પ્રશ્ન- શ્રમણોપાસક શ્રાવકને ઐયપથિકી ક્રિયા લાગે છે કે સાંપરાયિકી ક્રિયા લાગે છે ? ઉત્તર-તેને સાંપરયિકી ક્રિયા જ લાગે છે એપથિકી કિયા લાગતી નથી. વ્રતના અતિચારોનું અને જેનાથી વ્રતનો ભંગ થાય છે. એવા દોષનું કથન. “શ્રાવકનાં વ્રતનો ભંગ કેવી રીતે થતો નથી ?' આ પ્રમાણેનો પ્રશ્ન અને તેને ઉત્તર. કર્મ રહિત જીવની ગતિ કેવી થાય છે, એ પ્રશ્ન અને તેને ઉત્તર. દુખી જીવ દુખેથી વ્યાપ્ત હેાય છે, અન્ય જીવ હોતો નથી, ઈત્યાદિ પ્રરૂપણાને પ્રશ્ન- ઉપગ રહિત અણગારને પથિકી ક્રિયા લાગે છે કે સાંપરાયિકી ક્રિયા લાગે છે? ઉત્તર– ઉપગ રહિત જીવને સાંપરાયિક ક્રિયાજ લાગે છે, પથિકી ક્રિયા લાગતી નથી. શ્રમણ અણગારના સદેષ નિર્દોષ આહાર–પાણીની વકતવ્યતા. ક્ષેત્રાતિકાન્ત આદિ દેષયુક્ત આહાર-પાણીની વકતવ્યતાનું પ્રતિપાદન. ત્યાર બાદ શસ્ત્રાતીત આદિ નિર્દોષ આહાર – પાણીની વકતવ્યતા. શ્રી ભગવતી સૂત્ર : ૫ ७३
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy