SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ આયુકમને સદભાવ નહીં હોવાથી તેમાં જીવનત્વનો અભાવ હોય છે. પરંતુ જે જીવ હોય છે તે ક્યારેક જીવે છે અને કયારેક જીવતો નથી, આ કથનનું તાત્પર્ય એ છે કે જીવ જ્યારે નારક આદિ પર્યાયની સ્થિતિમાં હોય છે, ત્યારે તે તે પ્રાણેને ધારણ કરે છે, તેથી તે અવશ્ય જીવે છે, અને જ્યારે તે સિધ્ધાવસ્થામાં વિરાજમાન થાય છે ત્યારે તે પ્રાણધારણરૂપ જીવનથી રહિત હોય છે, કારણ કે સિધાવસ્થામાં એક ચેતનારૂપ પ્રાણને જ સદભાવ માન્ય છે, ઈન્દ્રિયદિ ૧૦ દ્રવ્યપ્રાણેને ત્યાં સદભાવ કહ્યો નથી, તેથી એ જીવ જીવતે નથી, એમ કહી શકાય છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “બી મંતે ! , નેફw faz' હે ભદન્ત ! જે જીવે છે–પ્રાણેને ધારણ કરે છે તે નૈરયિક છે કે જે નૈરયિક છે તે પ્રાણાને ધારણ કરે છે તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે કે “ મા! ને તારા નિયમ વિરૂ, લીવર [gT fસર ને રૂપ, રસ, ગનેરરૂપ” હે ગૌતમ! જે નૈરયિક હોય છે તે તે નિયમથી જ પ્રાણેને ધારણ કરવારૂપ જીવન જીવે છે, કારણ કે સમસ્ત સંસારી છે પ્રાણ ધારણ કરવારૂપ ધર્મવાળા હોય છે. પણ જે જીવે છે, પ્રાણેને ધારણ કરે છે- તે નૈરયિક પણ હોઈ શકે છે અને નૈરયિકથી ભિન્ન પર્યાયવાળ પણ હોઈ શકે છે, કારણ કે પ્રાણોને ધારણ કરવારૂપ ધમને સદૂભાવ તે બધી પર્યાયામાં હોય છે. “g દંડ્યા જેવો નાવ માળિયા” એજ પ્રમાણે વૈમાનિક પર્યન્તના દંડકના વિષયમાં સમજવું. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે- “મuિri મંત્તે ! નેઇ, gv મક્ષિત ?” હે ભદન્ત ! જે ભવસિધ્ધિક હોય છે તે નરયિક હોય છે, કે જે નરયિક હોય છે તે ભવસિધિક હોય છે? ઉત્તર- “જો મા ! મસિદ્ધિ, સિય જેરા સર અનેરૂ” હે ગૌતમ! જે ભવસિધિક હોય છે તે કયારેક નૈયિક પણ હોઈ શકે છે અને કયારેક અનૈરયિક પણ હોઈ શકે છે, એ જ પ્રમાણે તે વિય સિય મસિદ્ધિા, ઉત્તર અમરસિદ્ધિ જે નારક હોય છે તે કયારેક ભવસિધ્ધિક પણ હોઈ શકે છે અને કયારેક અભવસિધિધક પણ હોઈ શકે છે. પૂર્વ ફંકશો નવ માળિયા” નૈરયિકના ભવસિાધક આલાપકની જેમ જ વૈમાનિકે પર્યંતના દંડના આલાપકે પણ સમજવા કે સૂ. ૨ | શ્રી ભગવતી સૂત્ર : ૫
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy