SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં બધે સ્થળે “નામ' શબ્દ “કર્મરૂપ” અર્થમાં જ ગ્રહણ થાય છે--આ રીતે સ્થિતિરૂપ જે નામ-કર્મ છે, તેને જ સ્થિતિનામ” કહે છે. આ રિથતિનામની સાથે નિધત્ત એવું જે આયુ છે, તેને “સ્થિતિનામ નિધત્તાયુ” કહે છે. જાતિ, નામ, ગતિનામ, અવગાહના નામ, વગેરે રૂપે તેમને અહીં જે ગ્રહણ કરવામાં આવેલ છે, તે રીતે તે તેમનામાં કેવળ નામ-કર્મની પ્રકૃતિરૂપતાજ કહેવામાં આવી છે તેમ સમજવું. તથા સ્થિતિ, પ્રદેશ અને અનુભાગ નામરૂપે જે આ સ્થિતિ, પ્રદેશ અને અનુભાગને ગ્રહણ કરવામાં આવેલ છે, તેનું કારણ એ છે કે સ્થિતિ આદિ તે જાતિ, ગતિ અને અવગાહના સાથે સંબંધ રાખનાર હોય છે, તેથી તેમનામાં નામ-કમરૂપતા છે. આ કથનનું તાત્પર્ય એ છે કે અહીં જે “નામ” પદને પ્રયોગ પ્રત્યેક જાતિ, ગતિ આદિ પદેની સાથે કરવામાં આવ્યું છે, તે “નામ” પદ કર્મરૂપ અર્થમાં જ વપરાયું છે. જાતિ ગતિ અને અવગાહન, આ પ્રકૃતિને તો સ્વયં નામકર્મની ઉત્તર પ્રકૃતિમાં ગણાવવામાં આવી ચુકેલી જ છે, તેથી તેમનામાં કર્મરૂપતા હવામાં તે કઈ બાધા (મુશ્કેલી–નડતર) રહેતી નથી. કારણ કે નામ કમની ૯૩ ત્રાણુ ઉત્તરપ્રકૃતિમાં આ બધી પ્રવૃત્તિને તે ગણાવવામાં આવેજ છે. હવે સ્થિતિ પ્રદેશ અને અનુભાગમાં કર્મરૂપતા કહેવાનું કારણ એ છે કે તે સ્થિતિ આદિ, તે જાતિ, ગતિ આદિકની સાથે સંબંધ રાખનાર હોય છે, તેથી તેઓમાં પણ કમરૂપતા છે. આ રીતે “નામ” પદને અહીં સર્વત્ર “કમ” ના અર્થમાં જ ગ્રહણ કરવામાં આવ્યું છે એમ સમજવું. (૪) શૌTTનાનત્તાકg જેમાં તેને અવગાહ(જીવને રહેવાનું ઠેકાણું) હોય તેને “અવગાહના કહે છે. એવી તે અવગાહના ઔદારિક આદિ શરીરરૂપ વડે છે આ અવગાહનું જે “અવગાહના” એવું નામ છે તે “અવગાહના નામ છે. એટલે કે ઔદારિક આદિરૂપ જે શરીર નામ કર્મ છે તે અવગાહના નામ છે. અથવા–અવગાહના રૂપ જે નામ–પરિણામ છે તેને અવગાહના નામ કહે છે. આ અવગાહના નામની સાથે નિષેક પામેલું જે આયુકમે છે તેને “અવગાહના નામ નિધત્તાયુ” કહે છે. (૫) “નામનિટ્ટા” પ્રદેશના-આયુકર્મને દલિનું જે નામ તે પ્રકારનું જે પરિણામ છે તેને પ્રદેશનામ કહે છે. અથવા–પ્રદેશરૂપ જે નામ-કર્મ વિશેષ છે તેને પ્રદેશનામ કહે છે. તે પ્રદેશનામની સાથે નિધત્ત જે આયુ છે તેને પ્રદેશનામ નિધત્તાયુ કહે છે. (૬) “સમાજનામનિદત્તાક આયુનાં દલિકોને જે વિપાક છે, અને આ વિપાકરૂપ જે પરિણામ છે, તેને “અનુભાગ નામ” કહે છે. અથવા-અનુભાગરૂપે જે નામ-કર્મ છે તેને “અનુભાગ નામ કહે છે. આ અનુભાગ નામની સાથે નિધન (નક પામેલું ) એવું જે આપ્યું છે તેને “અનુભાગનામ નિધત્તાયુ” કહે છે. શંકા-આયુને જાતિ નામકર્મ દ્વારા શા માટે વિશેષિક કરવામાં આવેલ છે, સમાધાન-આયુકર્મમાં પ્રધાનતા બતાવવાને માટે જ તેને અહીં વિશેષ્ય બનાવવામાં આવ્યું છે, કારણ કે નારક આદિ આયુને ઉદય થાય ત્યારે જ જાત્યાદિ રૂપ નામકર્મને ઉદય થાય છે, કારણ કે આયુને જ નારક આદિ ભવનું ઉપગ્રાહક માનવામાં આવેલ છે. એજવાત સૂત્રકારે આ ગ્રન્થના ચોથા શતકના નવમા ઉદ્દેશકમાં પહેલાં પ્રગટ કરેલી છે શ્રી ભગવતી સૂત્ર : ૫
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy