SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ રમણીય હતું, એ જ વાતને સૂત્રકાર આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરે છે- ક નામ મnિgag a’ જે સમતલ અને કમળ તબલાને મુખપુટ હાય છે, એ જ સમતલ અને કેમળ ભરતક્ષેત્રને ભૂમિભાગ હતે. “ સત્તા વરદાળા ગોવા” જીવાભિગમ સૂત્રમાં કુરુક્ષેત્રનું જેવું વર્ણન કર્યું છે, એવું જ કરતક્ષેત્રનું પણ વર્ણન સમજવું. જીવાભિગમ સૂત્રમાં ઉત્તરકુરુનું આ પ્રમાણે વર્ણન કર્યું છે- “ અgવારે જવા સરત ના શરત વા, ઉત્તર કુરુક્ષેત્રમાં સદા પ્રથમ કાળ (સુષમસુષમા. રહે છે. તેથી ત્યાં ભૂમિભાગ તબલાના મુખ જે સમતલ હોય છે, સરોવરના તળિયા જે સમતલ હોય છે અને હથેલીના જે એક સરખે હેય છે. આ વર્ણન પ્રમાણે ભરતક્ષેત્રને ભૂમિભાગ પણ પ્રથમ કાળ સુષમસુષમાના સમયમાં એ જ રહે છે, ભૂમિભાગમાં રહેલાં તૃણુ અને મણિ પાંચ વર્ણવાળા હોય છે, ગંધ સુધી જ હોય છે. સ્પર્શ કેમળ હોય છે, શબ્દ મધુર હોય છે, વાપિકા આદિ હોય છે, વપિકા આદિમાં અનુગત ઉત્પાત પર્વત આદિ હોય છે, ઉત્પાત પર્વતાહિકમાં આશ્રિત હંસ આદિ હોય છે, લતાગૃહ આદિ હોય છે, શિલાપટ્ટક આદિ હોય છે. તે એ બધી વસ્તુઓ ભારતવર્ષમાં પણ હોય છે એમ સમજવું. આ વર્ણનના અન્તભાગે જીવાભિગમ સત્રમાં આ પ્રકારને સૂત્રપાઠ આપે છે– ‘તત્ય ચંદરે માથા મજુરક્ષા મyક્ષીર સાસતિ, સયંતિ, વિતિ, નિરીયંતિ, સુચતિ' એ વાતને અનુલક્ષીને અહીં પણ “ગાંવ , સયંતિ’ એ પાઠ આપ્યો છે. અહીં જાવા પદથી જે પદને સંગહ થયો છે, તે સમસ્ત પદો ઉપર આપવામાં આવેલાં છે. 'तीसे णं समाए भारहे वासे तत्थ तस्थ देसे देसे, तहिं तहिं बहवे વા વાળ” અવસર્પિણીના પહેલા આરાના સુષમસુષમા કાળે ભારતવર્ષમાં ભારતના પ્રત્યેક દેશમાં પ્રત્યેક ખંડમાં, પ્રત્યેક ખંડાંશમાં અને પ્રત્યેક દેશના પ્રત્યેક વિભાગમાં વિશાળ ઉદ્દાલક આદિ વૃક્ષ હતાં. (પુષ્પવાળાં એક પ્રકારનાં વૃક્ષને ઉદાલક કહે છે) વાત * વિદત્તવમૂઢ વૃક્ષના મૂળને ભાગ કુશ (દ), વિશ્કશ (બહુવજ) આદિ તૃણવિશેષથી રહિત હતો. અહીં “જાવત’પદથી જ નાણાં જમા ઈત્યાદિ પાઠને સંગ્રહ થયે છે. “ના ના નરસા મgMwા (વાવ) છ પ્રકારના મનુષ્ય પૂર્વકાળમાંથી બીજા કાળમાં આવેલાં હતાં. અહીં “ચવ પદથી “મ, અંત, વગતો , તથાબતો, સાર તો આ પદને સંગ્રહ થયે છે. તેમને અર્થે પપાતિક સુરની ટીકામાં આપવામાં આવે છે. તે બધાં પદે ઉદ્દાલક વૃક્ષનાં વિશેષણે છે. હવે છ પ્રકારને મનુષ્ય ગણાવવામાં આવે છે– ( તંગદા) જેમકે પધા , મિરઝા, ગમમાં, તેવતી, સા, સfiનર (૧) પદ્મના જેવી ગંધવાળા, (૨) કસ્તુરીના જેવી ગંધવાળા, (૩) મમતા ભાવથી રહિત, (૪) તેજસ્વી, સુંદર–પરમ પરાક્રમ અને સૌંદર્યશાળી (૫) સહનશીલ અને (૬) સંઘમને અભાવ થઈ જવાને કારણે તથા ઉત્સુકતાથી રહિત થઈ જવાને કારણે ધીમે ધીમે ચાલનારા. કહેવાનું તાત્પર્ય એ છે કે શાન્ત સ્વભાવવાળા હોવાથી તેઓ ગજના જેવી ગતિથી ચાલતા હતા. શ્રી ભગવતી સૂત્ર : ૫ २७
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy