SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ જેવી રીતે નારકગતિને વેગ્ય જીવના બે પ્રકાર કહ્યા છે, એવી જ રીતે અનુત્તરૌપપાતિક પાંચ મહાવિમાનમાંના કેઈ પણ એક વિમાનમાં ઉત્પન્ન થવા એગ્ય જીવના પણ બે પ્રકાર કહ્યા છે- કેઈક જીવ એ હેાય છે કે જે મારણાન્તિક સમુઘાત કરીને ત્યાં (કેઈ પણ એક અનુત્તર વિમાનમાં) પહોંચતાની સાથે જ આહાર ગ્રહણ કરવા માગે છે, અને ગૃહીત આહાર પુદ્ગલેને ખલરસરૂપે પરિણુમાવે છે અને પરિમિત થયેલા તે પુગલેથી પિતાના શરીરનું નિર્માણ કરે છે. હવે બીજો પ્રકાર નીચે પ્રમાણે સમજકંઈક જીવ મારણતિક સમુદઘાત કરીને ત્યાં પહોંચી તે જાય છે, પણ આહારાદિ ગ્રહણ કર્યા વિના જ ત્યાંથી પાછા ફરી જાય છે અને પિતાના પૂર્વભવના શરીરમાં સમાઈ જાય છે. ત્યાર બાદ ફરીથી મારણતિક સમુદૃઘાત કરીને તે કેઇ એક અનુત્તરપપાતિક વિમાનમાં દેવ રૂપે ઉત્પન્ન થાય છે. આહાર પુગલેને ગ્રહણ કરે છે, તેમનું ખરસરૂપે પરિણમન કરે છે અને પરિમિત થયેલા આહારપદૂગેલેથી પિતાના અનુત્તરપાતિક દેવના શરીરનું નિર્માણ કરે છે. આ રીતે એક પ્રદેશ શ્રેણીરૂપ ચાર વિદિશાઓ સિવાયની છ દિશાઓના ભેદથી પૃથ્વીકાયિક આદિ પાંચ એકેન્દ્રિયોને દંડકમાં પ્રત્યેક એકેન્દ્રિયના છ આલાપકે ગણતાં કુલ ત્રીસ આલાપ થાય છે. આ ત્રીસ આલાપકેમાં પણ પ્રત્યેક આલાપકમાં નીચે પ્રમાણે દ્વિવિધતા બે પ્રકાર) રહેલી છે– “(૧) ત્યાં પહોંચતાની સાથે જ આહારાદિ ગ્રહણ કરવા રૂપ પહેલો ભેદ, અને (૨) ત્યાં પહોંચીને આહારાદિ ગ્રહણ કર્યા વિના જ પૂર્વગૃહીત શરીરમાં પાછાં ફરીને ફરીથી મારણુતિક સમુદઘાત કરીને ત્યાં પહોંચીને આહારાદિ ગ્રહણ કરવા ૨૫ બીજો ભેદ.” આ પ્રકારની દ્વિવિધતાને લીધે એકેન્દ્રિય જીવોની અપેક્ષાએ કુલ ૬૦ આલાપક બને છે. તથા ત્રસ વિષયક ૧૯ દંડકમાં ઉપર દર્શાવ્યા પ્રમાણેની દ્વિવિધતાને અનુલક્ષીને ૩૮ આલાપક બને છે. આ રીતે બધાં મળીને ૯૮ આલાપકે થાય છે. અને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુના કથનને પ્રમાણભૂત ગણીને કહે છે– તે અંતે! એવું ! રિ' “હે ભદન્ત ! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું છે તે સત્ય છે. હે ભદન્ત! આપનું કથન સર્વથા સત્ય છે. સૂ. ૨ છે જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતી સૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના છઠ્ઠા શતકનો છો ઉદ્દેશક સમાપ્ત. ૬-૬ શ્રી ભગવતી સૂત્ર : ૫ ૧૧
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy