SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ લે છે, તે ભેજનમાં કડવી, તુરી આદિ ઔષધિઓ મેળવેલી છે, તો તે ભેજન જેવી રીતે ખાતી વખતે સ્વાદ આદિની અપેક્ષાએ તે સારું લાગતું નથી પણ જેમ જેમ તે ભજન શરીરમાં પચવા માંડે છે, જેમ જેમ તેનું પરિણમન થવા માંડે છે, તેમ તેમ તે ભજન સુખરૂપે, સુંદર વર્ણરૂપે, સુંદર ગંધરૂપે વારંવાર પરિણમતું રહે છે. તે દુઃખરૂપે પરિણમતું નથી. એ જ પ્રમાણે, હે કાલેદાયી ! જીવોને પ્રાણાતિપાતથી પરિગ્રહ પર્યન્તનાં પાપકર્મોને ત્યાગ કરવાનું (દવિસે જાવ નિછાઢ સરો ) અને કેથી મિયાદર્શન પર્યન્તના પાપકર્મોનો ત્યાગ કરવાનું કામ (ત ગાવા નો મદ માર) શરુઆતમાં તો સારું લાગતું નથી, પણ પાછળથી પરિણામકાળે તે સુખરૂપે પરિણમે છે અને ત્યારે તેને સુખરૂપ વિપાક જીવોને ભેગવવા મળે છે. તે શુભકર્મો દુઃખરૂપે પરિણમતા નથી. ( વહુ શાસ્ત્રો! ગવા હટ્ટામા નાવ નંતિ) હે કાલેદાયી! એ પ્રમાણે કલ્યાણકર્મો કલ્યાણફળરૂપ વિપાકવાળાં હોય છે. આ સૂત્રને ભાવાર્થ નીચે પ્રમાણે છે- કાલેદાયીએ ભગવાનને એવો પ્રશ્ન પૂછે છે કે “જીના પાપકર્મો પાપફલરૂપ (દુઃખરૂ૫) વિપાકવાળાં કેવી રીતે હોય છે ?” મહાવીર પ્રભુ એક સુંદર દૃષ્ટાન દ્વારા તે પ્રશ્નનું સમાધાન કરે છેકેઈ એક માણસ સરસમાં સરસ પકવાને તૈયાર કરાવે છે. પરંતુ તે પકવાનમાં થોડું વિષ મેળવવામાં આવે છે. હવે જ્યારે તે માણસ તે ભોજન ખાય છે, ત્યારે તે તેને તે ભેજન સારું લાગે છે, પણ તેનું અન્તિમ પરિણામ તો ઘણું જ ખરાબ આવે છે. એ જ પ્રમાણે પાપકર્મોનું સેવન કરતી વખતે તે જીવને મજા પડે છે, પણ તેને વિપાકકાળ ને બહુ જ દુઃખદાયક થઈ પડે છે. શુભકર્મોને પરિણામકાળ તેથી વિપરીત હોય છે. જેવી રીતે સારામાં સારા ભેજનમાં જે કડવી ઔષધિ મેળવવામાં આવી હોય તો તે ભેજન ખાતી વખતે તે અરુચિકર લાગે છે, પણ ભવિષ્યમાં તે ભેજન સુખરૂપ પરિણામવાળું નિવડે છે, એ જ પ્રમાણે કલ્યાણકર્મ કરતી વખતે તો જીને અરુચિકારક લાગે છે, પણ ભવિષ્યમાં જયારે તેનો શુભફલરૂપ વિપાક ભેગવવા મળે છે, ત્યારે અને તે સુખદાયક થઈ પડે છે. ટીકાથ– જીવોનાં શુભ અને અશુભ કર્મોને ફળરૂપ વિપાક કેવા પ્રકાર હોય છે, તેનું સૂત્રકારે આ સૂત્ર દ્વારા પ્રતિપાદન કર્યું છે. આ વિષયને અનુલક્ષીને કાલેદાયી અને મહાવીર પ્રભુ વચ્ચે જે સંવાદ થયા હતા, તે આ સૂત્રમાં પ્રકટ કરવામાં આવ્યો છે. પ્રસંગ આ પ્રમાણે બન્યો હતો. ‘ત સમાજે માવે મહાવીરે ગયા જયારું જાયફાગ ખારો ગુણિયો રેફયા પરિનિવમરૂ ત્યારબાદ કઈ એક દિવસે શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહ નગરના તે ગુણશિલ ચૈત્યમાંથી વિહાર કરીને બહાર નિકળ્યા. “પરિનિવનિત્તા દવા નવલવિદા વિદ્યા ત્યાંથી નીકળીને તેઓ બહારના પ્રદેશોમાં–ગામ, નગર આદિમાં વિહાર કરવા લાગ્યા. “તે જાણે તે સમg i gયમિટે નામે નારે ગુણિણ ડg સ્થા’ તે કાળે અને સમયે રાજગૃહ નામે નગર હતું, અને તે નગરમાં ગુણશિલક નામનું ચૈત્ય હતું. ત સમને મળવં મહાવીરે ચા યારું નાવ સમો બહારના પ્રદેશમાં વિહાર કરતાં કરતાં તેઓ એક દિવસે તે ગુણશિલક ચત્યમાં પધાર્યા. રિક્ષા વા gemજા ધર્મોપદેશ સાંભળીને લેકની સભા વિખરાઇ ગઇ. તેઓ પિતાપિતાને શ્રી ભગવતી સૂત્ર : ૫ ૨૪૯
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy