SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ભેંસ આદિ રૂપ ધન ઘણું હતું, સોનું અને ચાંદી પણ ઘણી હતી, આગ પ્રયોગથી તે યુકત હતું, તેના ઘરમાં અનાજના ભંડાર ભરેલા હતા, દરરોજ તેને ત્યાં ગરીબેને અન્નદાન આપવામાં આવતું, તેને ત્યાં દાસ, દાસી, ગાય, ભેંસ, ઘેટાં, આદિને તે કે સુમાર જ ન હતા. કઈ પણ વ્યકિત તેને તિરરકાર કરી શકતી નહીં, તે શ્રમજનોને ઉપાસક હતા, જીવ-અછવના સ્વરૂપને તે જ્ઞાતા હતા, પુન્ય અને પાપને તે જાણનારે હતે, આસવ, સંવર, નિર્જર, કિયાધિકરણ, બંધ અને મોક્ષના વિષયમાં તે કુશળ હતો. એટલે કે હેય અને ઉપાદેયનું તેને સમ્યક્ જ્ઞાન હતું. જેવી રીતે નૌકામાં છિદ્રો દ્વારા જળને પ્રવેશ થાય છે, એ જ પ્રમાણે આ આત્મારૂપ સરેવરમાં કર્મરૂપ જળને પ્રવેશ થશે તેનું નામ આસ્રવ છે. મિથ્યાત્વ, અવિરતિ આદિ ૫ તે આસવ અનેક પ્રકારના કહ્યા છે. જેવી રીતે છિદ્રોને પૂરી દેવાથી નાવમાં પાણી ભરાતું બંધ થઈ જાય છે, એ જ પ્રમાણે જે આમ પરિણામે વડે આત્મા ઉપર કમનું આવરણ થતું અટકી જાય છે, તે પરિણામોને સંવર કહે છે. સમિતિ, ગુપ્તિ આદિના ભેદથી તે સંવર અનેક પ્રકારને કહ્યો છે. જીવપ્રદેશમાંથી કર્મોને અંશતઃ નાશ થવે તેનું નામ નિર્જરા છે. કાય આદિ વિષયક વ્યાપારને કિયા કહે છે. નરકગતિમાં જવાની યોગ્યતા છવ જેના દ્વારા પ્રાપ્ત કરે છે, તેને અધિકરણ કહે છે. દ્રવ્ય અને ભાવના ભેદથી અધિકરણના બે પ્રકાર કહ્યા છે, અહીં ભાવ અધિકરણને ગ્રહણ કરે જોઈએ. કારણ કે ભાવઅધિકરણ ક્રોધ આદિ કષાયરૂપ હોય છે. જીવપ્રદેશના અને કર્મ પુદ્ગલેના પરસ્પરના સંબંધ વિશેષનું નામ “બંધ છે, સમસ્ત કર્મોને સદન્તર ક્ષય તેનું નામ “મોક્ષ છે. ધર્મજનિત સામર્થ્યની પ્રબળતાને લીધે તે દેવાદિકની સહાયતાની ઈચ્છા તો સ્વપ્રમાં પણ કરતે નહીં. દેવ, અસુરકુમાર, નાગકુમાર, યક્ષ, રાક્ષસ, કિનર, પિંપુરુષ, ગરુડ, સુપર્ણકુમાર, ગંધર્વ, મહેરગ ઈત્યાદિ દેવગણ દ્વારા પણ તેને નિર્મળ પ્રવચનથી સહેજ પણ વિચલિત કરી શકાતો નહીં, કારણ કે તેને નિર્મથ પ્રવચન ઉપર અતૂટ શ્રદ્ધા હતી. પરમતની તરફ તેને બિલકુલ શ્રદ્ધા અથવા અભિરુચિ ન હતી. તે નિર્વિચિકિત્સા નામના સમ્યગદર્શનના આ ગથી ભરપૂર હતો, કારણ કે ફળ પ્રત્યેની તેની શ્રદ્ધા સંદેહથી સર્વથા રહિત હતી. તે લબ્ધાર્થ હતો, ગૃહીતાર્થ હતા, પૃષ્ટાર્થ હતા, અભિગતાર્થ હતા, વિનિશ્ચિતાર્થ હતો, તેની નસેનસમાં પ્રવચન પ્રત્યેને અનુરાગ ભરેલું હતું, જ્યારે વાર્તાલાપ કરવાનો પ્રસંગે ઉપસ્થિત થતો, ત્યારે તે પોતાના પુત્રાદિકેને તથા અન્ય જનને આ પ્રમાણે સમજાવતો હત– “હે આયુમન્ ! આ નિગ્રંથપ્રવચન જ મોક્ષનું કારણ છે, તેથી તે પ્રવચન જ પરમાર્થભૂત છે, એ સિવાયના જે કુપ્રવચન છે – મિથ્યાદષ્ટિએ દ્વારા ઉપદિષ્ટ જે શાસ્ત્રો છે– તે, તથા ધન ધાન્ય, પુત્ર, પત્ની આદિ તે અનર્થના કારણરૂપ છે. તે વરુણનું હદય સ્ફટિક મણિના જેવું નિર્મળ હતું, તેના ઘરના દરવાજા સદા દિન પ્રદાન કરવાને માટે ખૂહલા રહેતા હતા. રાજાના અંતઃપુરમાં જવાની પણ તેને મનઈ ન હતી. તે શીલવાન હતે- સામાયિક, દેશાવકાશિક, પિષધ, અતિથિ સંવિભાગ આદિ શલેથી યુકત હતા, તે પાંચ અણુવ્રતનું, અને ગુણવ્રતનું પાલન કરતા, મિથ્યાત્વથી દૂર રહેત, પ્રત્યાખ્યાને કરતો-નિષિદ્ધ વસ્તુઓને ત્યાગ કરતો. તે આઠમ, શ્રી ભગવતી સૂત્ર : ૫ ૨૨૯
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy