SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ કારણે જેમનું વક્ષસ્થલ દર્શકને ઘણું જ મનહર લાગતું હતું, અને ઔપપાતિક સૂત્રમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે તે અનુસાર, (યાવતુ) વારંવાર આવતા ચમરેથી તથા ઘેડા, હાથી, રથ અને પાયદળરૂપ ચતુરંગી સેનાથી અને મહા સુભટના વિશાળ સમૂહથી વીંટળાયેલા તે કૂણિક રાજા જ્યાં મહાશિલાકંટક નામનું સમ્રાંગણ હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તેઓ તે સંગ્રામમાં ઉતરી પડયા–એટલે કે તે સંગ્રામમાં ભાગ લેવા લાગ્યા. તે સમયે દેવેન્દ્ર દેવરાજ શકે વજુના જેવું, અતિશય અભેઘ કવચ પિતાની વિકુવણ દ્વારા નિર્માણ કરીને કુણિક રાજાની સમક્ષ ઉપસ્થિત થયે. (एवं खलु दो इंदा संगामं संगामें ति, तं जहा देविंदे य मणुइंदे य एग हत्थिणा वि णं पभू कूणिए राया पराजिणित्तए, तएणं से कूणिए राया महासिलाकंटयं संगाम संगामेमाणे नवमल्लई, नवलेच्छई कासीकोसलगा अट्ठारस वि गणरायाणो हयमहियपवरवीरघाइयनिवडियचिंधद्धयपडागे किच्छવાળg વિહ્નિ પરિસ્થિા ) ત્યાર બાદ તે ઈન્દ્રો – દેવેન્દ્ર શુક્ર અને મનુજેન્દ્ર કુણિક રાજા–બને એ સાથે રહી સંગ્રામ શરૂ કર્યો. કૃણિક રાજા તો એક હાથી વડે પણ શત્રુપક્ષને પરાજિત કરવાને સમર્થ હતો. તેથી તેણે મહાશિલાકંટક સંગ્રામમાં યુદ્ધ ખેલીને કાશી અને કૌશલના નવ મલ અને નવ લિચ્છવી મળીને કુલ ૧૮ ગણરાજાઓને હરાવ્યા, તેમના દ્ધાઓને સંહાર કર્યો, અને તેમની ચિહ્નયુક્ત ધ્વજાઓ અને પતાકાઓનો નાશ કર્યો. તેમને પિતાનાં પ્રાણ બચાવવા પણ મુશ્કેલ થઈ પડ્યા અને તેઓ ભયના માર્યા ચારે દિશાઓમાં ભાગવા લાગ્યા. ટીકાથ- સૂત્રકારે આ સૂત્રમાં મહાશિલાકંટક નામના સંગ્રામનું નિરૂપણ કર્યું છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કેgriાજેશં માદા' હે ભદન્ત! જે વસ્તુનું કથન આગળ કરવાનું છે, તે વસ્તુ સામાન્ય રીતે અહંત પ્રભુએ જાણું હોય છે, “વિના ચં ચાદરા તથા કેવળજ્ઞાનરૂપ વિશેષ ધ વડે એ જ અહંત પ્રભુએ એ જ વસ્તુને વિશેષરૂપે જાણ હોય છે, તથા તેમના જ્ઞાન વડે તેમના દ્વારા લેવામાં આવતી એ જ વસ્તુને “જાને વરદા” એ જ અહંત પ્રભુએ સ્પષ્ટ પ્રતિભાને સદભાવ હોવાને લીધે જાણે કે યાદ જ કરી લીધી હોય છે. તે વફ્ટમાણ વસ્તુ કઈ છે, એ જ વાતને સૂત્રકાર હવે સ્પષ્ટ કરે છે. - તે વફ્ટમાણ વસ્તુ “મહાશિલાકંટક સંગ્રામ છે. “મદાશિવ શ્રાટ વિત વાત માત્રાટક: ” જે સંગ્રામમાં તૃણશલાકા આદિ વડે ઘાયલ થયેલા ઘેડા હાથી આદિને એવી વેદના થાય છે કે જેવી વેદના મહાશિલા અને કંટક વડે ઘવાયેલાં પ્રાણીઓને થાય છે, એવા સંગ્રામને મહાશિલાકંટક સંગ્રામ કહે છે. તે સંગ્રામની ઉત્પત્તિ આ પ્રમાણે થઈ હતી. ચંપા નગરીમાં કૂણિક નામે રાજા રાજ્ય કરતો હતો. તેને હલ અને વિહલ નામે બે ભાઈઓ હતા. તે બન્ને ભાઈઓ કુણિકથી નાના હતા. શ્રેણિક રાજાએ તેમને સેચનક નામે એક હાથી આપે હતે. હવે એક દિવસે એવું બન્યું કે તે બન્ને ભાઈઓ દિવ્ય કુંડલ, દિવ્ય વસ્ત્ર અને દિવ્ય હાર ધારણ કરીને, ઘણા જ આનંદેલાસમાં મગ્ન થઈને તે હાથી પર સવાર થઈને શ્રી ભગવતી સૂત્ર : ૫ ૨૧ ૨
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy