SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ છે, અથવા મિથ્યાત્વ ક્રિયા કરે છે. તેથી જ અહીં પણ એવું કહેવામાં આવ્યું છે કે 'जाव समत्तकिरियं वा मिच्छित्तकिरियं वा'. સંગ્રહગાથાને અર્થ – પૃથ્વીકાયિકથી લઈને ત્રસકાય પર્યન્તના છ પ્રકારના સંસારી છે તે આગળ બતાવવામાં આવી ચૂક્યા છે. વળી એ પણ બતાવવામાં આવ્યું છે કે પૃથ્વીકાયિકના સૂક્ષ્મ પૃથ્વી કાયિક અને બાદર પૃથ્વીકાયિક, એવા બે ભેદ છે. તેમાંના પૃથ્વીકાયિકના નીચે પ્રમાણે છે પ્રકાર છે – (૧) લણપૃથ્વીકાયિક, (૨) શુદ્ધ પૃથ્વીકાયિક, (૩) વાલુકા પૃથ્વીકાયિક, (૪) મન:શિલા વિકાયિક, (૫) શર્કરા પૃથ્વીકાયિક અને (૬) ખર પૃથ્વીકાય. આ છએ પ્રકારના પૃથ્વીકાયિકની જઘન્ય સ્થિતિ અન્તમુહૂર્તની છે અને ઉ&ષ્ટ (વધારેમાં વધારે) સ્થિતિ નીચે પ્રમાણે સમજવી. ગ્લણ પીકાયિક છવની એક હજાર વર્ષની, સુહ પૃથ્વીકાયિક જીવની બાર હજાર વર્ષની, વાલુકા પૃથ્વીકાયિકની ૧૪૦૦૦ વર્ષના, મનઃશિલા પૃથ્વીકાયિકની ૧૬૦૦૦ વર્ષની, શર્કરા પૃથ્વી કાયિની ૧૮૦૦૦ વર્ષની, અને ખર પૃથ્વીકાયિકની ૨૨૦૦૦ વર્ષની અધિકમાં અધિક સ્થિતિ કહે છે. એજ વાત સાદા ૪ યુદ્ધવિરૃા ઈત્યાદિ ગાથા દ્વારા પ્રગટ કરી છે. નારકથી લઈને વૈમાનિક સુધીના માં ભવસ્થિતિ આ પ્રમાણે છે – નારક જીવોની જઘન્ય સ્થિતિ ૧૦૦૦૦ વર્ષની અને ઉર્દષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમ સુધીની છે. ભવનપતિ આદિ દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરેપમ કરતાં કંઈક અધિક કાળની છે. તિર્યા અને મનુષ્યની જઘન્ય ભવસ્થિતિ અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પાપમની કહી છે. એ જ પ્રમાણે બીજા જીવની ભવસ્થિતિ પણ સમજવી જોઈએ. વચ્ચે બીજી કઈ જાતિમાં જન્મ ગ્રહણ ન કરતા કોઈ એક જ જાતિમાં વારંવાર પેદા થવું એનું નામ કાયસ્થિતિ છે. ઉપર જઘન્ય અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ પ્રકટ કરવામાં આવી છે. હવે કાયસ્થિતિ પ્રકટ કરવામાં આવે છે – જીવની જીવકાર્યમાં કાયસ્થિતિ સર્વાહારૂપ (સમરત કાયરૂ૫) છે. મનુષ્ય હોય કે તિર્યંચ હય, તે સૌની જઘન્ય કાયસ્થિતિ તે અન્તર્મુહૂર્ત પ્રમાણે જ છે. મનુષ્યની ઉકૃષ્ટ કાયસ્થિતિ સાત અથવા આઠ ભવગ્રહણ પ્રમાણ છે. એટલે કે કોઈપણ મનુષ્ય પોતાની મનુષ્ય જાતિમાં લગાતાર (સતત) સાત અથવા આઠ જન્મ સુધી રહ્યા પછી, એ જાતિને અવશ્ય છાડી દે છે. બધાં તિચેની કાયસ્થિતિ અને ભાવસ્થિતિ એક સરખી નથી, તેથી તેમની બને સ્થિતિઓનું વિસ્તૃત વર્ણન આવશ્યક છે. પૃથ્વીકાયની ૨૨૦૦૦ વર્ષની, અપકાયની ૭૦૦૦ વર્ષની, વાયુકાયની ૩૦૦૦ વર્ષની, અને તે જરાયની ત્રણ હારત્ર (દિનરાત) પ્રમાણ ભવસ્થિતિ કહી છે. અને તે ચારેની કાયસ્થિતિ અસંખ્યાત અવસર્પિણી–ઉત્સર્પિણી પ્રમાણે છે. વનસ્પતિકાયની ભવસ્થિતિ ૧૦૦૦ વર્ષ પ્રમાણ અને કાયસ્થિતિ અનંત ઉત્સર્પિણ અવસર્પિણ પ્રમાણુ કહી છે. દ્વીન્દ્રિયની ૧૨ વર્ષ પ્રમાણ, ત્રીન્દ્રિયની ૪૯ દિનરાત પ્રમાણુ અને ચતુરિન્દ્રિની ૬ માસ પ્રમાણુ ભવસ્થિતિ કહી છે. એ ત્રણેના કાયસ્થિતિ સંખ્યાત હજાર વર્ષની કહી છે. પંચેન્દ્રિય તિર્યમાં ગજ અને સંમચિઠ્ઠમની ભાવસ્થિતિ ભિન્ન ભિન્ન છે. ગર્ભજની જેમકે જળચર, ઉરગ અને ભુજની શ્રી ભગવતી સૂત્ર : ૫ ૧૫૨
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy