SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યાખ્યાન ધારણ કરવાને સંબંધ તે મન સાથે હોય છે, મનને અભાવે પ્રત્યાખ્યાન ક્યાંથી સંભવી શકે ? હવે રહી નારક અને ચાર પ્રકારના દેવેની વાત. તેમનામાં તે પ્રત્યાખ્યાન ધારણ કરવાની ચેગ્યતા જ હોતી નથી. પ્રત્યાખ્યાન ગ્રહણ કરવાનો પાંચમા ગુણસ્થાનથી પ્રારંભ થાય છે. નારકે અને દેવામાં તો ચતુર્થ ગુણરથાન સુધીના જ ગુણસ્થાને હોય છે, તે પછીના ગુણસ્થાને ત્યાં સદૂભાવ નથી. તેથી તેઓ અપ્રત્યાખ્યાની હોય છે. હવે ગૌતમ સ્વામી એવો પ્રશ્ન પૂછે છે કે- vu of મિત્તે ! બીરાજી કરનારાપુugવવાઇત્યાદિ. હે ભદત ! સર્વોત્તરગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની જીવોની સંખ્યાની અપેક્ષાએ સરખામણી કરવામાં આવે તે કયા કયા છો કયા કયા જીવ કરતાં ઓછાં છે? કયા કયા જી કયા કયા જીવો કરતાં વધારે છે ? કયા કયા જી કયા કયા જીવોની બરાબર છે ? કયા ક્યા છો કયા કયા જીવો કરતાં વિશેષાધિક છે? ઉત્તર- ‘બાવકુiળ તિ િરિ ના ઘરે સંય ના મજુરા” જેવી રીતે મૂલગુણ પ્રત્યાખ્યાની આદિ વિષયક પહેલા દંડકમાં (અભિલાપમાં) જીવ, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યના અ૫ બહત્વનું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે સર્વોત્તરગુણ પ્રત્યાખ્યાની, દેશેત્તરગુણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યાખ્યાની છે, પંચેન્દ્રિય તિર્યંચે અને મનુષ્યના અલ્પ બહત્વ વિષયક કથન પણ સમજવું. આ કથનનું તાત્પર્ય એ છે કે સર્વોત્તર પ્રત્યાખ્યાની છ સૌથી અલ્પ હોય છે, દેશેત્તરગુણ પ્રત્યાખ્યાની છે અસંખ્યાતગણુ હોય છે અને અપ્રત્યાખ્યાની જી અનંતગણ હોય છે. તથા સર્વોત્તરગુણ પ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિયો સૌથી ઓછાં છે, દેત્તરગુણ પ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિર્યંચ જેવો અસંખ્યાતગણી છે, અને અપ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિર્યંચ છે તેમના કરતાં પણ અસંખ્યાતગણી છે. એ જ પ્રમાણે સર્વોત્તરગુણ પ્રત્યાખ્યાની મનુષ્ય સૌથી ઓછાં છે, દેશેત્તરગુણ પ્રત્યાખ્યાની મનુષ્યો તેમના કરતાં સંખ્યાતગણી છે, અને અપ્રત્યાખ્યાની મનુષ્યો તે દેશાત્તરગુણ પ્રત્યાખ્યાની કરતાં પણ અસંખ્યાતગણું હોય છે સૂ. ૩ સંયતાડસંયતાદિ કાનિરૂપણ સંયતાદિ વક્તવ્યતાનવા મંત્તે ! ઈત્યાદિસૂવાથ– (નવા અંતે! સંજયા, વાંના, નારંગા ?) હે ભદન્ત ! શ્રી ભગવતી સૂત્ર : ૫ ૧ ૨૪
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy