SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ આહાર-પાણીને આ પ્રમાણેને અર્થ કહ્યો છે. ગૌતમ સ્વામી કહે છે– હે ભદન્તા આ વિષયમાં આપે જે કહ્યું તે સર્વથા સત્ય છે. હે ભદત! આપની વાત સર્વથા સત્ય જ છે.” એમ કહીને વંદણ નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા. ટીકાથ– સૂત્રકારે આ સત્રમાં શ્રમનિ થના આહારવિષયક વિસ્તૃત વર્ણન કર્યું છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવો પ્રશ્ન પૂછે છે કે- “ગર મં!િ सत्थाईयस्स, सत्थपरिणामियस्स, एसियस्स, वेसियस, सामुदाणियस्स પાળમોવાસ ર પળ ?? હે ભદન્ત! શસ્વાતીત, શસ્ત્રપરિણુમિત, એષિત વ્યેષિત, અને સામુદાનિક બહારપાણુને શો અર્થ કહ્યો છે? છરી આદિ રૂપ શસ્ત્રો દ્વારા જેના કકડા કરવામાં આવ્યા હોય છે એવા આહારને શઆતીત કહે છે. એ પદાર્થ તે કર્કટિકા (કાકડી) આદિ રૂપ પણ હેય છે, પણ એવા પદાર્થને અહીં ગ્રહણ કરવામાં આવ્યું નથી. તેથી જ કહ્યું છે કે જે પદાર્થને અગ્નિ આદિ રૂપ શસ્ત્રો દ્વારા ચિત્ત કરી નાખવામાં આવ્યા હોય છે એવા પદાર્થને જ પ્રાસુક માનવામાં આવે છે. છરી આદિ શસ્ત્રો દ્વારા કાપેલા પદાર્થને પ્રાસુક માનવામાં આવ્યું નથી. દાખલા તરીકે છરી વડે કાપેલી કાકડી રાસુક ગણાતી નથી. “એષિત’– ગષણાની વિશુદ્ધિપૂર્વક જે પદાર્થને ગષિત કરાયા હોય એવા પદાર્થને એષિત' કહે છે. વિશેષરૂપે અથવા વિવિધ પ્રકારે જે પદાર્થને એષિત કરવામાં આવ્યું હાય- ગ્રહણ એષણ, ગ્રાસ એષણથી વિશેષિત હોય એવા આહારને બેષિત કહે છે. અથવા “પિત્ત આ પદની સંસ્કૃત છાયા “ષિાણ થાય છે. તેને અર્થ આ પ્રમાણે થાય છે- જે પદાર્થની પ્રાપ્તિ થવામાં મુખ પર બાંધેલી મુહપત્તી અને બગલમાં રહેલ રજોહરણ આદિ રૂપ મુનિલેષ કારણરૂપ બને છે એવા પદાર્થને “ષિક કહે છે. અનેક ઘરમાંથી પ્રાપ્ત કરેલા આહારપાણીને ‘સામુદાનિક આહાર કહે છે. ગૌતમ રવામીએ ઉપરોકત પ્રશ્ન દ્વારા શસ્ત્રાતીત આદિ આહારનાં લક્ષણે મહાવીર પ્રભુને પૂછયાં છે. ગૌતમ સ્વામીના પ્રશ્નને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે- ચણા હે ગૌતમ! “જે જે વિશે વા નિષથી વા વિવિજાપસ્થિર રાજયના જિટાને નિગ્રંથ સાધુઓ અને સાધ્વીઓ ખડગ આદિ શસ્ત્રોથી અને મુશળથી રહિત હોય છે, માલા અને ચન્દન વિલેપનથી રહિત હોય છે. તેથી તેઓ એવા જ પદાર્થોને પિતાના આહારના ઉપયોગમાં લે છે કે જે “જવાબ-ગુરુ-વફા - વત્તા, Tીર વિષa૮, એ અહિં પદાર્થમાંથી શ્રીન્દ્રિયાદિક છે આપે આપ નીકળી ગયા હોય છે, આપ આપ અથવા અન્યના પ્રયોગ દ્વારા જેમાંથી તે જીવોને નાશ થઈ ગયે હોય છે, અથવા અગ્નિ આદિ દ્વારા જેમાંથી જીવ ચપિગયા હોય છે, તે કારણે જે પદાર્થ ત્યકતદેહ – અચિત્ત થઈ ગયો હોય છે અને જીવવિપ્રત્યકત (જીવથી રહિત, પ્રાસુકી થઈ ગયે હોય છે – તેઓ (સાધુઓ) સાધુ માટે બનાવેલો કે બનાવરાવેલો ન હોય આહારપાણી જ ગ્રહણ કરે છે. સાધુના નિમિત્તે જે આહાર બનાવવામાં ન આવ્યા. હેય એવા આહારને “અકીત' કહે છે. સાધુને દાન દેવા માટે બીજા પાસે તૈયાર કરાવવામાં આવ્યું ન હોય એવા આહારને “અકારિત' કહે છે. એટલે કે ઉદ્દગમદેષથી રહિત આહારને જ તેઓ ગ્રહણ કરે છે “ગાય, ગUTI, ગાઉં, શ્રી ભગવતી સૂત્ર : ૫ १०४
SR No.006419
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy