________________
રાગરહિત જીવની થાય છે. ગતિ પરિણામની અપેક્ષાઓ એટલે કે ઉર્ધ્વગમન કરવાને તેને સ્વભાવ જ હોવાને કારણે કમરહિત જીવ ઉર્ધ્વગતિ કરે છે. હવે તુંબડીના દૃષ્ટાંતનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે– જેવી રીતે માટીને આઠ લેપ કરેલી તુંબડી ભારે થવાથી પાણીમાં ડૂબી જાય છે, એ જ પ્રમાણે જીવ પણ આઠ પ્રકારનાં કર્મના ભારથી આ ભવરૂપ સાગરમાં ડૂબી જાય છે- તે જીવને અનેક ગતિમાં પરિભ્રમણ કરવું પડે છે. જ્યાં સુધી તેના કર્મને બંધ તૂટતે નથી ત્યાં સુધી તેને પણ સંસારસાગરમાં ભમવું પડે છે. જેવી રીતે પાણીને તળિયે પડેલી ઉપર્યુકત તંબડી ઉપરથી માટીના આઠે લેપ દેવાઇ જાય છે ત્યારે તે તંબડી હલકી બનીને પાણીની સપાટી પર આવી જાય છે, એવી જ રીતે જીવ પણ જ્યારે નિ:સંગ (કમના સંગથી રહિત) અને રાગરહિત બનીને આઠ પ્રકારના કર્મબન્ધનથી રહિત થઈ જાય છે, ત્યારે તે સ્વાભાવિક રીતે જ ઉર્ધ્વગતિ કરીને મુકિતસ્થાનમાં પહોંચી જાય છે.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે- “ g મરે! અંધા છે નવા ગવન્મજ્જ કરું guz ? હે ભદન્ત! કર્મબંધ છેદાઈ જવાથી કર્મહિત થયેલા જીવની ગતિ કેવી હોય છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે
મા! હે ગૌતમ ! “સે નદી નાના વઢિયાર વ વટાણાની ફળી સિંગ, અથવા “Jાર્ષિવર્જિgિ a મગની સિંગ અથવા માર્ષિવાિરૂ વાં? અડદની સિંગ, અથવા સંવરી સિંચિવાડવા શાલ્મલિ વૃક્ષની સિંગ, અથવા “gefમનિષા વા એરંડમિજિકા – એરંડી “ ૩ વિમા અા સભા
હિરા તમતું જીરૂ તડકામાં રહીને જ્યારે બિલકુલ સૂકાઈ જાય છે ત્યારે ફાટે છે અને ફાટવાથી તેનાં બીજ ચોમેર વિખરાઈ જાય છે અને તે સિંગ જમીન પર ખરી પડે છે. “ રવ ના !એ જ પ્રમાણે, હે ગૌતમ ! કર્મબન્ધન છેદાઈ જવાથી કમરહિત બનેલે જીવ આ ભવરૂપ ફલિકા (સિંગ)માંથી બહાર નીકળીને મુકિતસ્થાનરૂપ એકાન્ત સ્થાને પહોંચી જાય છે. આ રીતે તુંબડી, વટાણાની સિંગ આદિ ઉદાહરણે દ્વારા કર્મરહિત જીવની મુકિત સ્થાન તરફથી ગતિનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર ધુમાડા અને તીરના દૃષ્ટાન્ત દ્વારા કર્મ રહિત છવની મુકિતગતિનું પ્રતિપાદન કરવા માટે નીચેના પ્રશ્નોત્તરે આપે છે–
ગૌતમ સ્વામીને પ્રશ્ન– Ni મતે 1 નિધિનયા ગબ્બરસ છું gorg હે ભદન્ત! કર્મરૂપ ઇન્શન (બળતણ) થી રહિત થઈ જવાને કારણે કર્મ રહિત બનેલા છવની ગતિ કેવી હોય છે.
મહાવીર પ્રભુને ઉત્તર- “તે બદનામ છમક્સ રુંધવિપીર વીસ નિરાધા જ પવાર હે ગૌતમ! પ્રજવલિત અગ્નિ અને ઈન્જનમાંથી નીકળતા ધુમાડાની સ્વાભાવિક ગતિ ઉપરની દિશામાં હોય છે. જ્યારે ધુમાડાને કઈ પણ પ્રકારનો અવરોધ નડતું નથી ત્યારે તેની સ્વાભાવિક ગતિ ઉર્ધ્વદિશા તરફથી હોય છે, એ જ પ્રમાણે આઠ પ્રકારના કર્મબંધનથી મુકત થયેલા જીવની ગતિ પણ સ્વાભાવિક રીતે જ મુક્તિાન તરફની જ હોય છે- તેની ગતિ ઉર્ધ્વ જ હોય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન- “૬ મં! પુષ્પો ગ્રામસ મેરે Howાથરૂ?” હે ભદન્ત ! પૂર્વ પ્રગને કારણ અકમંજીવની ઉર્ધ્વગતિ કેવી હોય છે ?
ઉત્તર- જીવ જ્યારે સકર્માવસ્થામાં હતું, ત્યારે તે ગતિ પરિણામવાળો હતો. અને જ્યારે તે કમરહિત બની જાય છે, ત્યારે પણ તે અવસ્થામાં આ જીવને તેના દ્વારા વેગ પ્રાપ્ત થતું રહે છે, તે કારણે કમરહિત અવસ્થા થઈ જવા છતાં પણ તે જીવ ઉર્ધ્વગતિ કરે છે. એ જ વાત સૂત્રકાર નીચેના દૃષ્ટાન્ત દ્વારા સમજાવે છે–
શ્રી ભગવતી સૂત્ર : ૫