SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) સંમૂછિમ મનુષ્પાયુ અને (૨) ગર્ભજ મનુષ્યાયુ. જે જીવે છે આરંભ અને ઓછો પરિગ્રહ કર્યો હશે, અને જે ભદ્રિકતા, વિનીતતા, દયા, અને અમત્સરતા આદિ ગુણેને કારણે મનુષ્પાયુને બંધ કર્યો હશે તે એ જીવ મનુષ્યગતિમાં ઉત્પન્ન થશે. જે તેણે સંભૂમિ મનુષ્યોમાં ઉત્પન્ન થવાને ગ્ય આયુકર્મના કારણુભૂત કાર્યોનું સેવન કર્યું હશે તે તે સંમૂછિમ મનુષ્યમાં જન્મ ધારણ કરશે. જે જીવે ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થવાને ગ્ય આયુકમને બંધ કર્યો હશે, તે તે ગર્ભજ મનુષ્યમાં ઉત્પન્ન થશે. “રેવાવચં વવિ” દેવાયુના ચાર પ્રકાર કહ્યા છે-(૧) ભવનપતિ (૨) વાવ્યન્તર (૩) જ્યોતિર્ષિક અને (૪) વૈમાનિક. જે જીવે સરાગ સમ્યકત્વ-સરાગ સંયમ, સંયમાં સંયમ (દેશ વિરતી) અકામ નિજેરા (બાલત૫) આદિ કારણેને પ્રભાવે દેવાયુને બંધ કર્યો હશે, તે તે દેવગતિમાં ઉત્પન્ન થશે. ઉપરોક્ત ચાર પ્રકારની દેવગતિમાંથી જે દેવગતિમાં જવાને ગ્ય આયુકર્મ બંધ જીવે કર્યો હશે, તે પ્રકારની દેવગતિમાં તે જીવ ઉત્પન્ન થશે. ઉદ્દેશકને અંતે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુના વચનને પ્રમાણભૂત માનીને તેમનાં વચનામાં અત્યંત શ્રદ્ધા પ્રકટ કરતા કહે છે કે-“ ' મને ! પરે ! ત્તિ હે ભદન્ત! આપ દેવાનુપ્રિયની વાત સર્વથા સત્ય છે. આ વિષયમાં આપે જે પ્રતિપાદન કર્યું તે યથાર્થ છે. આ પ્રમાણે કહીને, મહાવીર પ્રભને વંદણા નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા. એ સૂ. ૨૫ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ‘ભગવતીસૂત્ર ની પ્રિયદર્શિની વ્યાખ્યાનો પાંચમાં શતકને ત્રીજો ઉદ્દેશક સમાપ્ત છે ૧-૩ છે ચોથે ઉદેશે કે વિષયોં કા વિવરણ પાંચમાં શતકને ઉદ્દેશક પ્રારંભ– આ ઉદેશકને સંક્ષિપ્ત સારાંશ નીચે પ્રમાણે છે– ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “છધસ્થ મનુષ્ય શંખ, શૃંગ, શંખિકા, ખરમુખી પિતા, પરિપરિતા, ઢેલ, પટહ, ભંભારંભ, ભેરી, ઝાલર, દુભી આદિ વાદ્યોના નાદ સાંભળે છે કે નથી સાંભળતે ? પ્રભુ જવાબ આપે છે– ” હા, સાંભળે છે. ” પ્રશ્ન- “તત (તંતુવાદ્યોને અવાજ ), વિતત (ઢેલ વગેરેનો અવાજ) ધન (કરતાળ આદિને અવાજ ). શુષિર (વાંસળી આદિ નો અવાજ ) આદિ પ્રકારના અવાજને જે તે સાંભળે છે તે પૃછાવસ્થામાં સાંભળે છે કે અસ્પૃછાવસ્થામાં સાંભળે છે ?” ઉત્તર–“પૃષ્ણાવસ્થામાં જ સાંભળે છે. ” પ્રશ્ન-“પાસેને નાદ (આવાજ) સાંભળે છે કે ઘરનો અવાજ સાંભળે છે? ઉત્તર–“મનુષ્ય ઈન્દ્રિય ગેચર થયેલા શબ્દને સરળે છે, અને શ્રી ભગવતી સૂત્ર : ૪
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy