SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમ સ્વામીના પ્રશ્નને ભાવાર્થ નીચે પ્રમાણે છે-જે જીવ ગૃહીત ભવમાંથી મરીને નરકમાં જાય છે તે જીવ નરકાયુને બંધ કરીને જ નરકમાં જશે, કે નરકાયુને બંધ કર્યા વિના નરકમાં જશે ? ગૌતમ સ્વામીના આ પ્રશ્નનું સમાધાન કરતા મહાવીર પ્રભુ તેમને કહે છે-“નોરમા ! હે ગૌતમ (સ૩ સંવમ, નો નિરાયણ સંવમ) નરકમાં જવાને ચગ્ય જીવ નરકાયુને બાંધ કરીને જ નરકમાં જાય છે, નરકાસુને બંધ કર્યા વિના તે જીવ નરકમાં જતો નથી આ કથનનું તાત્પર્ય એ છે કે પ્રાણાતિપાત આદિ કર્મોના આસનું સેવન કરવાથી, જીવ નરકાયુને બંધ બાંધીને નરકગતિમાં ઉત્પન્ન થતું હોય છે. પ્રશ્ન (૨ મતે ! કાકg હું હે હિં સમાઇ) હે ભદન્ત ! નરકને ગ્ય પાપકર્મ જનિત તે આયુને બંધ જીવે કયા ભવમાં કર્યો ? તથા તે પ્રકારના આયુને બંધ કરાવનારૂં પાપકર્મનું આચરણ પણ તેણે ક્યાં (કઈ પર્યાયમાં) કર્યું? ઉત્તર–(જો મા !) હે ગૌતમ ! (પુરિમે આવે છે, રિમેમ સમvળે) નરકાયુને યે પાપકર્મને બંધ, અને તે પાપકર્મના કારણભૂત આચરણ વિશેનું સમાચરણ તે જીવે પૂર્વભવમાં જ કર્યું હોય છે. અહીં નરકાયું સિવાયને ભવ જ “પૂર્વભવ” પદથી ગૃહીત થયેલ છે. એ પૂર્વભવ. મનુષ્ય ને અથવા તિર્યંચને હોય છે. કારણ કે મનુષ્ય અને તિર્યંચનિમાં જ જન્મ પામીને જીવનરકને યોગ્ય આયુકમને બંધ કરે છે, અને તે આયુના બંધને ગ્ય પાપાચરણ કરતો હોય છે દેવભવમાં જન્મેલે જીવ નરકાયુને બંધ કરતું નથી, તે કારણે ત્યાંથી મરીને જીવ સીધે નરકમાં જ નથી. પણ મનુષ્ય ગતિમાં અથવા તો તિર્યંચ ગતિમાં જ જાય છે તે કારણે નરકાય સિવાયને પૂર્વભવ મનુષ્યને અથવા તે તિર્યંચને હોય છે તેમ સમજવું. | (gવં નાવ તેમજ રેવા રંડો ) એ જ પ્રમાણે વિમાનીક દેવ પર્યન્તના જીના ૨૩ દન્ડક રૂપ આલાપક સમજવા. અને મનુષ્ય, તિર્યંચ અને ભવનપતિ આદિ દેવામાં જન્મ અપાવવાને યોગ્ય આયુષ્યબન્ધના કારણરૂપ શુભ, અશુભ કર્મોનું ઉપાર્જન આદિ પણ તે તે જીના પૂર્વભવ અનુસાર થાય છે એમ સમજવું. પ્રશ્ન(સે – મંતે! જે ન મરણ ગોવિં વારિણ, તમાશં ) હે ભદન્ત ! શું એ વાત નિશ્ચિત છે કે જે જીવ જે યોનિમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય છે, તે જીવ તે યોનિને ગ્ય આયુના કારણભૂત શુભાશુભ કમને બંધ કરે છે? (વંકા-રચારચું લાવ રેવાર વા?) જેમ કે નરકમાં ઉત્પન્ન થવા યોગ્ય જીવ નરકાયુને, તિર્યંચમાં ઉત્પન્ન થવા એગ્ય જીવ તિર્યંચ આયુને, મનુષ્યમાં ઉત્પન્ન થનાર જીવ મનુષ્ય આયુને અને દેવામાં ઉત્પન્ન થવા ગ્ય જીવ દેવાયુને બંધ કરે છે ? શ્રી ભગવતી સૂત્ર : ૪ ૫૯
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy