SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ તેમના સમસ્ત આયુઓના સંવેદન થવાની આપત્તિ ઉદ્દભવવાથી પિત પિતાના સમસ્ત ભવના સંવેદન થવાને પ્રસંગ પ્રાપ્ત થશે–તથા એક જીવની ઉત્પત્તિ થતા સર્વે જીવની ઉત્પત્તિ માનવી પડશે. આ કથનનું તાત્પર્ય એ છે કે જેવી રીતે એક જાળમાં હજારો ગ્રંથિ (ગાંઠ) સંબદ્ધિત રહ્યા કરે છે એજ પ્રમાણે એક જીવની સાથે તેના હજારે ભારે હજારો આયુઓ સંબ દ્રિત રહે છે, એવી અન્યતીથિંકેની માન્યતા છે. તેમની આ માન્યતાનું ખંડન કરવા માટે નીચેની દલીલ કરવામાં આવી છે-હજારો આયુઓને જાલગ્રન્શિકા સાથે સરખાવી શકાય નહીં કારણ કે હજારો ભને માટે કારણભૂત હજારે આયુએ પૃથક્ પૃથક્ (અલગ અલગ) રીતે પ્રત્યેક જીવની સાથે સંબદ્ધિત રહે છે, એકજ જીવની સાથે જાળગ્રન્થિકાની જેમ સંબદ્ધિત રહેતા નથી. આ રીતે અલગ અલગ રૂપ અનેક જીવોની સાથે સંબદ્ધિત હોવાને કારણે તેમને જાલરાન્શિકા સમાન માની શકાય નહીં. ભિન્ન ભિન્ન સાથે સંબદ્ધિત હોવા છતાં પણ જે આયુઓને જાળગ્રન્થિકો સાથે સરખાવવામાં આવે તે આયુઓની સાથે જેને સંબંધ છે એવા જીને પણ જાળશ્વિકા સમાન માનવા જોઈએ. અને જે તે જીવને જળગ્રન્શિકા સમાન એક માનવામાં આવે તે સમસ્ત જેને પણ તેમના ભિન્ન ભિન્ન આયુઓના એક સાથે જ ઉપકતા માનવા પડશે. આ રીતે એક જ ઉપભોક્તા હોવાથી તેમનામાં અનેક ભવોની ઉ૫ત્તિ પણ એક જ સાથે થવાને પ્રસંગ પ્રાપ્ત થશે. એક જીવનું મરણ થતાં, સમસ્ત જીનું મરણ, અને એક જીવની ઉત્પત્તિ થતા, સમસ્ત જીવોની ઉત્પત્તિ થવાની વાત માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે. સાધારણ વનસ્પતિ કાય જીવમાં જેવું બને છે, (સાધારણ વનસ્પતિકાયમાં રહેલા જીવોમાં એકની ઉત્પત્તિ થાય ત્યારે સમસ્તની ઉત્પત્તિ થાય છે, એકનું મરણ થાય ત્યારે સમસ્તનું મરણ થાય છે, એવી માન્યતા છે) એવું અહીં પણ બને છે તેમ માનવાની આપત્તિ એ પ્રકારની માન્યતાથી તે ઉદ્દભવશે. (એટલે કે બધા જીવેને જે જાળગ્રન્થિકાની જેમ એક માનવામાં આવે તે ઉપર કહ્યા પ્રમાણેની આપત્તિ ઉદ્દભવવાને પ્રસંગ પ્રાપ્ત થશે.) જે એવું માનવામાં આવે કે “સમસ્ત અયુઓ જીવપ્રદેશમાં આ સંબદ્ધિત છે” તે એ પ્રકારની માન્યતાથી તે “આયુકમને આધારે દેવાદિકે માં જન્મ થાય છે,) એવું કથન પણ શકય બની શકતું નથી. આ રીતે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૫૫
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy