SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ સુવા વા) થી શરૂ કરીને (બrä તમુરઝાયં વીવઝા ) પર્યન્તના સૂત્રપાઠ દ્વારા સૂત્રકારે પ્રકટ કરી છે. આ સૂત્રમાં દેવને માટે જે મહાદ્ધિક (મહા ત્રાદ્ધિવાળે ) આદિ વિશેષણને પ્રેમ કરવામાં આવે છે તે તેની ચાલવાની શક્તિના ઉત્કર્ષનું પ્રતિપાદન કરવા માટે કરવામાં આવ્યું છે. gna gમેવ ” આ બે પદે દેવના મનમાં શીધ્ર ગમન કરવાને જે વિચાર થયું છે તે સૂચિત કરવાને માટે વપરાયાં છે. તે પદેને શબ્દાર્થ આ પ્રમાણે થાય છે-“આ ઉપડે, આ ઉપડે ” તે દેવ ત્રણ ચપટી વગાડતાં તે ૨૧ વાર આખા જબૂદ્વીપની પ્રદક્ષિણા કરીને આવે છે. આ કથનથી તે દેવના ગમનની અતિ શીવ્રતા બતાવવામાં આવી છે. તે દેવ આ પ્રકારની ગતિથી એક દિવસ, બે દિવસ અથવા તે ત્રણ દિવસ સુધી અને વધારેમાં વધારે છ મહિના સુધી નિરન્તર ચાલ્યા કરે ત્યારે કદાચ તે સંખ્યાત જન પ્રમાણુવાળા કેઈક તમસ્કાય સુધી જ પહોંચી શકે છે-એટલે કે તેને પાર કરી શકે છે પરન્ત “ અલ્હારૂ નો તપુછાયું વીફન્ના” અસંખ્યાત જનના વિસ્તારવાળો જે તમસ્કાય છે, ત્યાં સુધી તે તે દેવ આટલી બધી અધિક, ઉત્કૃષ્ટતા, ત્વરા આદિ વિશેષણવાળી ગતિથી પણ પહોંચી શકતે નથી. આ કથન દ્વારા મહાવીર પ્રભુએ તમસ્કાયની વિશાળતાનું પ્રતિપાદન કર્યું છે. એજ વાતને તેમણે “મદાઢ of mોય ! તમુwા પs? ” આ સૂત્રપાઠ દ્વારા ગૌતમ સ્વામીને ઉપસંહાર રૂપે સમજાવી છે. હવે ગૌતમ સ્વામી એ જાણવા માગે છે કે આટલા વિશાળ સમસ્કાયમાં ઘર, હાટ આદિ છે કે નહીં. (ગરિથoi મતે ! તમુઠ્ઠાણા વા જેવા વા) હે ભદન્ત ! જે તમસ્કાય આટલો બધે વિશાળ છે, તે તેમાં શું ઘર, છે? ગૃહાપણ ( હાટ) છે ? ઉત્તર–“નો સુળ સમ” હે ગૌતમ ! તે વિશાળ સમસ્કાયમાં ઘરો પણ નથી અને હાટ પણ નથી, પ્રશ્ન-(અસ્થિvi મેતે ! તમુF%ા રામા વાં, જ્ઞાવ નિવેસારૂ લા ?) હે ભદન્ત ! શું તમારકામાં ગામ, આકર, નગર, નિગમ, ખેટ, કબૂટ, મડખ, દ્રોણમુખ, પત્તન, આશ્રમ, સંવાહન અને સન્નિવેશ હોય છે ખરાં ? (નાક) પદથી ગ્રહણ કરવામાં આવેલાં શબ્દ સહિત અર્થ આપે છે. ત્યાં સુવર્ણ રત્ન આદિ પદાર્થ ઉત્પન્ન થાય છે, એ સ્થળને આકર કહે છે. ૧૮ પ્રકારના કરોથી રહિત જનસ્થાનને નગર કહે છે. જ્યાં અધિક પ્રમાણમાં વ્યાપારીઓ રહેતા હોય એવા સ્થાનને નિગમ કહે છે. ધૂળના કોટની ઘેરાયેલા જનસ્થાનને ભેટ કહે છે. નાના ગામને કMટ કહે છે. જેની ચારે દિશામાં રાકેશ પર્યન્તમાં કઈ પણ ગામ ન હોય એવા સ્થાનને મડખ કહે છે. જળમાર્ગ અને જમીન માગે—એમ બને માગું–જે સ્થળે જઈ શકાય છે એવા સ્થળને દ્રોણમુખ કહે છે. જયાં તાપસ રહેતા હોય, તે સ્થાનને શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૮ર
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy