SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ જંબુદ્વીપમાં દક્ષિણાર્ધમાં હેમન્તઋતુને (શિયાળાને ) પ્રથમ સમય હોય છે, ત્યારે શું ઉત્તરાર્ધમાં પણ હેમન્તઋતુને પ્રથમ સમય હોય છે? અને જ્યારે જબૂદ્વીપના ઉત્તરાર્ધમાં હેમન્તને પ્રથમ હોય ત્યારે શું જમ્બુદ્વીપમાં મંદરાચલ (મેરુ) પર્વતના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં પણ હેમતનો પ્રથમ સમય હોય છે? મહાવીર પ્રભુ તેને આ પ્રમાણે ઉત્તર આપે છે–હે ગૌતમ ! પહેલાં દક્ષિણાર્ધ અને ઉત્તરાર્ધના વિષયમાં વર્ષાકાળને અનુલક્ષીને જેવું કથન કરવામાં આવ્યું છે, અને પૂર્વ અને પશ્ચિમ દિક્ષાગના વિષયમાં જેવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એવું જ પ્રતિપાદન અહીં હેમન્તઋતુની અપેક્ષાએ કરવું જોઈએ આ રીતે વર્ષાઋતુના આરંભને અનુલક્ષીને જે આલાપક આગળ આપે છે, એ જ આલાપક હેમન્તઋતુના આરંભના સમયને અનુલક્ષીને પણ બનશે. તથા જંબુદ્વીપના મેરુ પર્વતના પૂર્વ ભાગમાં જ્યારે હેમન્તને પ્રથમ સમય હોય છે ત્યારે પશ્ચિમ ભાગમાં પણ હેમન્તને પ્રથમ સમય હોય છે અને ત્યારે ઉત્તરાર્ધ અને દક્ષિણાર્ધમાં પણ હેમન્તને પ્રથમ સમય હોય છે. ઈત્યાદિ સમસ્ત કથન અહીં હેમન્તકાળની અપેક્ષાએ ગ્રહણ કરવું જોઈએ. (વં નિષ્ફળ જીવ માળિગો કાર કં) એજ પ્રમાણે ગ્રીષ્મઋતુની અપેક્ષાએ પણ સમયથી લઈને ઋતુ પર્યન્તના આલાપકે કહેવા જોઈએ. અહીં (ાવ) પદયી (બાવઢિવાષિ, બાનમાળામણામાં, તો હેતા, ઢરેતાપિ, મુહૂર્તનાગરિ, બહોળાઈ, વા િમાણેનાપ ) આ સૂત્રપાઠને સંગ્રહ કરવામાં આવ્યો છે. (ર્વ વિ) આરીતે-પૂર્વોક્ત રીત પ્રમાણે વર્ષા, હેમન્ત અને ગ્રીષ્મ, એ ત્રણે ઋતુઓના (તી કાઢાવ માળિયઘા) કુલ ૩૦ અલાકે કહેવા જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રત્યેકના પ્રથમ સમય, આવલિકા, આન પાણ, તેક, લવ, મુહૂર્ત, દિનરાત્રિ, પક્ષ, માસ અને ઋતુની અપેક્ષાએ દસ, દસ આલાપક બનશે. - હવે સૂત્રકાર અયન આદિનું પતિપાદન કરવાને માટે નીચેનાં સૂત્રો કહે છે (જાણં મતે !) હે ભદન્ત ! મારે પુરો વીવે ) જંબુદ્વીપનામના દ્વિીપનાં (ારત પવાર ફાળિ૬૮) મંદરાચલ પર્વતના દક્ષિણાર્ધમાં (vમે અચ) પથમ અયન (શ્રાવણ માસથી શરૂ કરીને છ માસ પર્યન્તના સમયનું દક્ષિણયન) થાય છે, (તi) ત્યારે (૪ત્તર વિ) ઉત્તરાર્ધમાં પણ છે ) શું પ્રથમ અયન (દક્ષિણાયન) થાય છે? અને જયારે ઉત્તરાર્ધમાં પ્રથમ અયન થાય છે, ત્યારે જંબુદ્વીપના મેરુ પર્વતની પૂર્વ અને પશ્ચિમના દિગભાગમાં પણ શું દક્ષિણાયન પુરસ્કૃત ઉત્તરાયણ હોય છે ? કહેવાનું તાત્પર્ય એ છે કે દક્ષિણેત્તર ભાગમાં દક્ષિણાયન આરંભ થવા અવ્યવહિત ઉત્તરકાળે પૂર્વ પશ્ચિમ વિભાગમાં શું ઉત્તરાયણને આરંભ થઈ જાય છે ? શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૪
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy