SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ જીદમા) વિકલેન્દ્રિય જીવમાં છ ભંગ થાય છે. કારણ કે દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય રૂ૫ વિકલેન્દ્રિય જીવોમાં સાસાદન સમ્યક્ત્વ હેવાને લીધે એકાદ અભિનિબોધિક જ્ઞાનવાળા જીવની સંભવિતતા હોઈ શકે છે. તેથી અહીં પૂર્વોક્ત છ ભંગ કહ્યા છે. આ દ્વારમાં પૃથ્વીકાય આદિ પાંચ એકેન્દ્રિય પને તથા સિદ્ધપદનો સમાવેશ કરવાનો નથી, કારણ કે વિકસેન્દ્રિયમાં તેઓની ગણતરી થતી નથી. (ગોલ્ફિનાળે, મળવાવાળ, વાળ નીવારૂ તિ મંnt) અવધિ જ્ઞાનમાં, મન પર્યયજ્ઞાનમાં અને કેવળજ્ઞાનમાં બહુ વિષયક બીજા દંડકમાં જીવાદિ પદોમાં પૂર્વોક્ત ત્રણ ભંગ થાય છે. પરંતુ અવધિજ્ઞાનના એકત્વ અને બહત્વ દંડકમાં પૃથ્વીકાય આદિ પાંચ એકેન્દ્રિય પદેને, વિકલેન્દ્રિયને અને સિદ્ધપદને સમાવેશ કરે નહીં, તથા મન:પર્યયજ્ઞાનના બને દંડકમાં જીવ અને મનુષ્યને જ ગ્રહણ કરવા, નારક, પૃથ્વીકાય આદિ કાને ગ્રહણ કરવાના નથી, કારણ કે તેમનામાં મન:પર્યાય જ્ઞાન હોતું નથી, કેવળજ્ઞાનના બને દંડકમાં જીવ, મનુષ્ય અને સિદ્ધ, આ પદોને જ પ્રયોગ કરે, નારકાદિને પ્રગ કર નહીં, કારણ કે નારકાદિકમાં કેવળ જ્ઞાન હેતું નથી. તેથી જ એવું કહ્યું છે કે તે વિષે = ગરિક ઉત્ત) (શોલ્ફિર અન્નાળે, રૂ મળે, પિિચવનો તિમો) ઔધિક અજ્ઞાનમાં, મતિ અજ્ઞાનમાં અને શ્રત અજ્ઞાનમાં એકેન્દ્રિય સિવાયના જીવાદિક પદેમાં પૂર્વોક્ત ત્રણ ભંગ થાય છે. કારણ કે મતિ આદિ અજ્ઞાનથી અવિશેષિત થયેલા સામાન્ય અજ્ઞાનવાળા છે, મતિ અજ્ઞાનવાળા જીવો અને શ્રત અજ્ઞાનવાળા છે. સર્વદા મેજૂદ હોય છે. તે કારણે ( સઘરા) આ પહેલો ભંગ બની શકે છે તથા જ્યારે અવસ્થિત જીવો સિવાયના બીજા જ જ્ઞાનને છોડીને મતિ અજ્ઞાન આદિ રૂપે પરિણમિત થાય છે ત્યારે તેમાં એવાં જીવ એકાદિ હોય છે, તે કારણે (હયા હતા. ર૪ કલેરા) આ બીજે ભંગ પણ બની શકે છે. અને ભાવના સાથ વણવઃ માત્ર) આ ત્રીજો ભંગ બની જાય છે. આ કારમાં પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય જીવોને ગ્રહણ નહીં કરવાનું કારણ એ છે કે એકેન્દ્રિમાં ત્રણ ભંગ થતા નથી પણ ( શ શશ ) આ એકજ ભંગ થાય છે. વળી આ દ્વારમાં સિદ્ધ પદને પણ પ્રયોગ કરે જોઈએ નહીં કારણ કે તેમને મતિ અજ્ઞાનની પ્રાપ્તિ સંભવી શકતી નથી. (વાળાને રીવારો રિચમં) વિભંગ જ્ઞાન સંબંધી મહત્વ વિષયક બીજા દંડકમાં જીવાદિક પદેમાં પૂર્વોક્ત ત્રણ ભંગ થાય તે (વિપરીત જ્ઞાનને વિલંગ જ્ઞાન કહે છે) મતિ અજ્ઞાન આદિના ત્રણ ભાગ થવા વિષે જે સ્પષ્ટીકરણ ઉપર કર્યું છે, તે સ્પષ્ટીકરણ વિભંગ જ્ઞાનના ત્રણ ભંગ માટે પણ સમજવું. આ દ્વારમાં પૃથ્વીકાય આદિ પાંચ એકેન્દ્રિય પદેને, વિકલેન્દ્રિય પદને અને સિદ્ધ પદને પ્રગ કર જોઈએ નહીં કારણ કે તેમનામાં વિલંગ જ્ઞાન હેતું નથી. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩પ૬
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy