SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ આયુકમને બંધ વિકલ્પ કરે છે. એટલે કે તેઓ તેને બંધ કરે પણ છે અને નથી પણ કરતા. તેનું કારણ એ છે કે ગૃહીત ભવમાં જીવને આયુકમને બંધ એક જ વાર પોતાના બંધકાળમાં બંધાય છે, અબંધકાળમાં એ બંધ બંધાતું નથી. “૩ારિણે ન વંધ” ને ભવસિદ્ધિક અને ને અભાવસિદ્ધિક એવાં સિદ્ધ પરમાત્મા આયુકર્મને બંધ કરતા નથી. હવે ગૌતમસ્વામી-દર્શનવિષય બંધદ્વારને અનુલક્ષીને નીચે પ્રશ્ન પૂછે છે કે (Trળાવળિs i અંતે ! ૪૫ ૪િ રઘુવંસળી વંધ, બાઘુવંળો બંધ, શોહિલની ઘંઘરૂ, વાંસળી વંધ?) હે ભદન્ત ! જ્ઞાનાવરણીય કર્મ શું ચક્ષુ દર્શનવાળે જીવ બાંધે છે? કે અચક્ષુ દર્શનવાળે જીવ બાંધે છે ? કે અવધિ દર્શનવાળો જીવ બાંધે છે? કે કેવળ દર્શનવાળે જીવ બાંધે છે? આ ચારમાંથી કયા દર્શનવાળો જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે? ઉત્તર–“નોરમા !” હે ગૌતમ! “રિ રિ િમાણ” ચક્ષુ દર્શનવાળે જીવ. અચક્ષ દર્શનવાળે જીવ અને અવધિ દર્શનવાળો જીવ જ્ઞાનાવરણીય કર્મ વિકલ્પ બાંધે છે–એટલે કે બાંધે છે પણ ખરાં અને નથી પણ બાંધતા. જે આ દશાવાળા જીવો સરાગ હોય તે તેઓ જ્ઞાનાવરણીય કર્મને બંધ અવશ્ય બાંધે છે, પણ જે તે છવસ્થ વીતરાગ અગિયારમાં અને બારમાં ગુણસ્થાનવાળો હોય તો તે જ્ઞાનાવરણીય કર્મ બાંધતા નથી, કારણ કે છદ્મસ્થ વીતરાગને તે વેદનીય કર્મ જ બંધાય છે. તે કારણે એવું કહ્યું છે કે “ પહેલા ત્રણ દશનવાળો જીવ જ્ઞાનાવરણીય કર્મ વિક૯પે બાંધે છે.” “ સવારે 7 વંધp” પરંતુ કેવળ દર્શની જીવ–એટલે કે ભવસ્થ સોગ કેવલી અને અયોગ કેવલી અથવા તે સિદ્ધ જીવ-જ્ઞાનાવરણીય કર્મનો બંધ કરતું નથી, કારણ કે એવા જીવને બંધનાં કારણે જ સર્વથા અભાવ હોય છે (ga વેજ નવકારો પર વિ) દર્શનારને અનુલક્ષીને વેદનીય કમ સિવાયની સાતે કર્મ પ્રકૃતિના બંધનું સમસ્ત કથન જ્ઞાનાવરણીય કર્મના કથન પ્રમાણે જ સમજવું. એટલે કે દર્શનાવરણીય આદિ બીજા છ કર્મોનો બંધ પણ ચક્ષ દર્શની, અચક્ષુ દર્શની અને અવધિ દર્શની જીવ કયારેક કરે છે અને ક્યારેક કરતા નથી. પરંતુ જે ભવસ્થ કેવલ દર્શની અથવા તો સિદ્ધ કેવલ દશની જીવ હોય છે તે તે દર્શનાવરણીય આદિ છ કર્મોને બંધ કરતું નથી. (રેચરળ ક્રિયા વિUિા જંઈ તિ) વેઢનીય કમને બંધ ચક્ષુદર્શની, અચલ્સ - દર્શની અને અવધિદર્શની જીવ કરે છે, તે જીવે ભલે સરાગ હોય કે છવસ્થ વીતરાગ હોય પણ તેઓ વેદનીય કર્મનો બંધ અવશ્ય કરે છે. પરંતુ દેવ ગળો મચUIT” કેવલદર્શની જીવ વિકલ્પ વેદનીય કર્મને બંધ કરે છે. આ કથનનો ભાવ નીચે પ્રમાણે છે-કેવલદર્શની જવ જે અગી કેવલી હોય અથવા તો સિદ્ધ પરમાત્મા હોય તે તે વેદનીય કમને બંધ કરતો નથી, પણ સગ કેવલી હોય તે તે વેદનીય કમને બંધ કરે છે. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૩૨૫
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy