SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ શું એ વાત તે નિશ્ચિત છે કે જે જીવ અલ્પકર્મવાળા હોય છે-એટલે કે કમની અલ્પ સ્થિતિવાળે, કર્મના અલ્પ અનુભાગવાળો અને કર્મના અપ પ્રદેશવાળ હોય છે, તથા અ૯પ ક્રિયાવાળો (કાયિક આદિ થોડી ક્રિયાઓવાળ) હોય છે, અ૫ આસ્ત્રવવાળો (કર્મબંધના કારણ રૂપ મિથ્યાત્વ જેનામાં ઓછું છે એવી હોય છે, અને અ૫ વેદનાવાળો ( જવર વગેરેથી જનિત પીડા ભાગ્યે જ જોગવનાર) હોય છે, એવાં જીવના કર્મ પરમાણુઓ શું સમસ્ત દિશાઓમાંથી અથવા સમસ્ત આત્મપ્રદેશોમાંથી “મા” ભેદતાં રહે છે? એટલે કે પહેલાં જે કારણે તેમને બંધ પડતું હતું તે કારણે નહીં રહેવાથી તેમનું ભેદન થવા માંડે છે ખરું? આ પ્રશ્નનું તાત્પર્ય આ પ્રમાણે છે-મહાકર્મઆદિથી યુક્ત હોય એવી સ્થિતિમાં જીવની સાથે જે સ્થિતિ, અનુભાગ આદિની અપેક્ષાએ ગાઢ આદિ રૂપે કર્મ પુદ્ગલેને જે બંધ થત હતા, તે અપકર્મ આદિથી યુક્ત જીવને શું થતું નથી ? એનું નામ જ તેમનું ભેદન છે. એજ વાત ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને આ પ્રશ્ન દ્વારા પૂછી છે. (વસ્ત્રો પોકાઢા છિન્નતિ ? ) શું તે પુલનું સર્વથા છેદન થાય છે ? એટલે કે-જ્યારે તે કર્મ પુદ્ર શિથિલ આદિ અવસ્થામાં અપસ્થિતિ, અનુભાગ આદિથી યુક્ત થઈને તે આમામાં બંધાય છે–જમા થાય છે–તે એ વાત નકકી જ છે કે તેઓનું ધીરે ધીરે છેદન થતું રહેશે–તેઓ ધીરે ધીરે નષ્ટ થતાં રહેશે. એ જ વાત ગૌતમ સ્વામીએ આ પ્રશ્નરૂપે પૂછી છે. (સવમો પાછા વિદ્ધવંતિ) શું તે કમપુલ જીવના આત્મપ્રદેશમાંથી ખરી પડે છે ખરાં? આ પ્રશ્નને ભાવાર્થ નીચે પ્રમાણે છે-કપલેનું ધીરે ધીરે નષ્ટ થવું એટલે કે નિર્જરા થવી, પણ તેને એ અર્થ નથી થતું કે તે કર્મ પુદ્ગલે તે આત્મામાંથી બિલકુલ પિતાના મૂળ રૂપમાંથી નષ્ટ થઈ જાય છે, કારણ કે દ્રવ્યને તે કદી નાશ જ થતો નથી. એટલે “તે જીવના પ્રદેશમાંથી અધઃ પતિત થઈ જાય છે.” આ કથનનું તાત્પર્ય એવું સમજવું કે તેઓ ત્યાં અલ્પમાત્રામાં અકમ. ૩૫ પર્યાયમાં આવી જવા માંડે છે, આમ થતાં થતાં એક સમય એવે પણ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૯૪
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy