SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ નગરી હતી. તે નગરીનું વર્ણન ઔપપાતિક સૂત્રમાંથી જાણી લેવું. તે નગરીમાં પૂર્ણ ભદ્ર નામે ઉદ્યાન હતું. તે ઉદ્યાનનું વર્ણન પણ ઔપપાતિક સૂત્રમાંથી જાણી લેવું. શ્રમણ ભગવાન મહાવીર વિહાર કરતાં કરતાં એ ઉધાનમાં પધાર્યા. ધર્મોપદેશ સાંભળવાને લેાકેા ત્યાં એકઠાં થયા. પ્રભુએ શ્રુતચારિત્ર રૂપ ધા ઉપદેશ દ્વીધે. ઉપદેશ સાંભળીને લેાકેા પાતપેાતાને સ્થાને પાછા ફર્યાં. તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય ઈન્દ્રભૂતિ અણુગાર હતા. તેએ ગૌતમ ગેાત્રના હતા. અહીં ગૌતમના ગુણાનું વર્ણન ગ્રહણ કરવું. ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને આ પ્રમાણે પૂછ્યું-હે ભદન્ત ! જ’મૂઠ્ઠીપ નામના આ દ્વીપમાં એ ચન્દ્રમા છે. તેએ શું પૂર્વ અને ઉત્તર દિશાની વચ્ચેના ઇશાન કાણમાંથી ઉદય પામીને પૂર્વ અને દક્ષિણ દિશાની વચ્ચેના અગ્નિકેણુમાં અસ્ત પામે છે? અથવા અગ્નિકાણમાંથી ઉદય પામીને નૈઋત્ય ણુમાં અસ્ત પામે છે ? અથવા નૈઋત્ય કેણુમાંથી ઉદય પામીને વાયવ્ય કોણમાં અસ્ત પામે છે ? અથવા વાયવ્ય કાણુમાંથી ઉદય પામીને ઇશાન ણુમાં અસ્ત પામે છે? ઉત્તર—હા, ગૌતમ ! એવું જ બને છે. “ જબૂદ્વીપ નામના દ્વીપમાં એ ચન્દ્રમા ઇશાન કાણુમાં ઉદય પામીને અગ્નિ કાણુમાં અસ્ત પામે છે, ત્યાંથી શરૂ કરીને ઇશાન કાણુમાં અસ્ત પામે છે. ” ત્યાં સુધીનું પૂર્વોક્ત સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું. પ્રશ્ન—હે ભદન્ત ! જ્યારે જ ખૂદ્વીપના દક્ષિણામાં રાત્રિ હોય છે, ત્યારે શું ઉત્તરાર્ધમાં પણ રાત્રિ હોય છે? અને જ્યારે ઉત્તરા માં રાત્રિ હોય છે, ત્યારે શું જબુદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ-પશ્ચિમ દિશામાં દિવસ હાય છે ? ઉત્તર—હા, ગૌતમ ! જ્યારે જમૂદ્રીપના દક્ષિણામાં રાત્રિ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ રાત્રિ હાય છે, અને જ્યારે ઉત્તરાર્ધમાં રાત્રિ હાય છે, ત્યારે જમૂદ્રીપમાં મંદર પર્વતની પૂર્વ-પશ્ચિમ દિશામાં દિવસ હેાય છે. પ્રશ્ન—હે ભદન્ત ! જ્યારે જમૂદ્રીપમાં મન્દર પર્વતની પૂર્વ દિશામાં રાત્રિ હાય છે, ત્યારે શું પશ્ચિમ દિશામાં પણ શત્રિ હાય છે? અને જ્યારે મન્દર પર્વતની પશ્ચિમ દિશામાં રાત્રિ હોય છે, ત્યારે શું જખૂદ્વીપમાં મદર પતની ઉત્તર અને દક્ષિણ દિશામાં દિવસ હોય છે ? ઉત્તર—હા, ગૌતમ ! જ્યારે જદ્વીપમાં મન્દર પર્વતની પૂર્વ દિશામાં રાત્રિ હાય છે, ત્યારે પશ્ચિમ દિશામાં પણ રાત્રિ હાય છે, અને જ્યારે પશ્ચિમમાં રાત્રિ હોય છે, ત્યારે ઉત્તર દક્ષિણ દિશામાં દિવસ હેાય છે. પ્રશ્ન-૩ ભદન્ત ! જ્યારે જમૂદ્રીપના દક્ષિણા'માં પણ ૧૮ મુહૂતનીજ રાત્રિ હાય છે ? અને જ્યારે ઉત્તરાર્ધમાં વધારેમાં વધારે ૧૮ મુહૂર્તની જ રાત્રિ ઢાય છે, ત્યારે મન્દર પર્યંતની પૂર્વ-પશ્ચિમ દિશામાં શું ટુકામાં ટુક ૧૨ મુદ્વૈતના દિવસ થાય છે ? ઉત્તર——હા, ગૌતમ ! એ પ્રમાણે જ મને છે. ( અહીં પ્રશ્નોક્ત કથનજ મહેણુ કરવું. રે શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૬૪
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy