SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં “જાવ” (યાવતુ) પદથી “આનપ્રાણ, તેક, લવ, મુહૂર્ત, અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ. અયન, સંવત્સર, યુગ, વર્ષશત, વર્ષ સહસ્ત્ર, પૂર્વાગ, પૂર્વ, ત્રુટિતાંગ, ત્રુટિત, અટટાંગ, અટટ, અવવાંગ, અવર, હલકાંગ, હતુક, ઉત્પલાંક, ઉત્પલ, પદ્માણ, પદ્મ, નલિનાંગ, નલિન, અર્થનિપુરાંગ, અર્થ નિપુર, અયુતાગ, અમૃત, નયુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષ પ્રહેલિકાંગ, શીર્ષ પ્રહેલિકા, પોપમ, સાગરોપમ.” આ પદેને ગ્રહણ કરવામાં આવ્યાં છે. આ પ્રશ્નનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-“જો ફુટ્ર સમ” હે ગૌતમ! એવું બની શકતું નથી, કારણ કે નરક ગતિમાં રહેલા નારક છે સમય આદિને જાણવાને કઈ પણ રીતે સમર્થ નથી. મહાવીર પ્રભુનો આ પ્રકારનો જવાબ સાંભળીને ગૌતમ સ્વામી તેને કારણ જાણવાના ઉદ્દેશથી આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે-(રે છે રમચા થા, માવત્તિયાર વા, ગોવિળી વા, વિળી જા ?) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે નરક ગતિમાં રહેલાં નારક જ સમય, આવલિકા. અવસર્પિણી કાળ, ઉત્સર્પિણી કાળ ઈત્યાદિને જાણ શકતા નથી ? એટલે કે “આ સમય પદાર્થ છે ” એ રીતે સમયને, “ આ આવલિકા છે ” એ રૂપે આવલિકાને, “આ અવસર્પિણી કાળ છે ” એ રૂપે અવસર્પિણી કાળને, “ આ ઉત્સર્પિણી કાળ છે” એ રૂપે ઉત્સર્પિણી કાળને નારકે જાણી શકતા નથી, એવું આપ શા કારણે કહે છે ? તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે-“ચા” હે ગૌતમ! (इह तेसि माणं, इइ तेसिं पमाणं, इह तेसिं एवं पण्णायए-तजहा-समयाइ वा, जाव ओसप्पिणीइ वा-से तेणठेण जाव नो एवं पन्नायए-तजहा-समयाइ वा, જાર રૂnિળી વા) આ મનુષ્ય લેકમાં જ તે સમયાદિક પદાર્થોનું માન (માપ-પરિણામ) હોય છે, કારણ કે સમયાદિકોનું જ્ઞાન સૂર્ય આદિની ગતિ દ્વારા થાય છે. સૂર્યની ગતિ ફક્ત મનુષ્ય લેકમાં જ હોય છે, તેની બહારનાં નરકાદિ ક્ષેત્રમાં તેને અભાવ હોય છે. તે કારણે મનુષ્ય લોકમાં જ તે સમયાદિકેનું જ્ઞાન સંભવી શકે છે, નરક ક્ષેત્રમાં તેનું જ્ઞાન સંભવી શકતું નથી. આ રીતે આ મનુષ્ય લેકમાં જ સમયાદિકનું પ્રકર્ષ રૂપે ( સૂમરૂપે) માન (જ્ઞાન) હોય છે. તેમાં મુહૂર્તને માન કહે છે, માન કરતાં લવ સૂક્ષ્મ હોય છે, તેને પ્રમાણ કહે છે. લવ કરતાં સૂક્ષ્મ હોવાથી લવની અપેક્ષાએ સ્તોકને પ્રમાણુ કહે છે. સ્તોક કરતાં લવ સ્થળ હોય છે, તેથી સ્તકની અપેક્ષાએ તેને માન કહે છે, આ પ્રમાણે સમય સુધી સમજવું. આ રીતે “આ સમય છે” ( યાવત) “ આ ઉત્સર્પિણી કાળ છે ” એવું સમયાદિનું જ્ઞાન તો મનુષ્ય લેકમાં જ સંભવી શકે છે. હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે નરક ગતિમાં રહેલાં નારક જી દ્વારા સમયથી લઈને ઉત્સર્પિણી કાળ પર્યન્તના કાળ દ્રવ્યને બિલકુલ જાણી શકાતાં નથી. (હવે સાવ વંવિંચિતિરિવા શ્રી ભગવતી સૂત્ર : ૪ ઉપર
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy