SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ જીવરાશિને વધારે થવાની તે મૂળ સંખ્યામાં વૃદ્ધિ થાય છે ખરી? આ પહેલો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન આ પ્રમાણે છે-જેવી રીતે ધાન્યની રાશિમાંથી ડું ધાન્ય લઈ લેવાથી ધાન્યની રાશિના વજનમાં ઘટાડો થાય છે, એવી રીતે નિશ્ચિત જીવરાશિમાંથી કેટલાક જી નીકળી જવાથી અથવા અન્ય પર્યાયમાં ચાલ્યા જવાથી શું તેમની સંખ્યામાં ઘટાડો થાય છે ખરો? ત્રીજો પ્રશ્ન આ પ્રમાણે છે–એકી સાથે બીજા જ પિદા થઈને તે જીવરાશિમાં આવી મળવાથી અને મરીને તેમાંથી નીકળી જવાને કારણે જીવસંખ્યામાં એકી સાથે વૃદ્ધિ અને હાનિ બને થાય છે ખરાં? એ પ્રશ્ન–અથવા ઉત્પત્તિ અને મરણના અભાવે શું ઉપચય-અપચય જેવું કાંઈ પણ હોતું નથી ? ગૌતમ સ્વામીના આ પ્રશ્નોને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“જોયા!” હે ગૌતમ ! (વા નો રોવાયા) છ ઉપચયથી યુકત હોતા નથી, કારણું કે અનુત્પન્ન જીની ત્યાં ઉત્પત્તિ થવાને અભાવ છે. જીવરાશિને ત્યારે જ ઉપચય યુકત માની શકાય કે જ્યારે તેમાં બીજાં નવાં ઉત્પન્ન થયેલાં છે આવીને મળી જાય. પરંતુ ઘટપટાદિ (ઘડા, વસ્ત્ર આદિ) ની જેમ જીવેની નવી ઉત્પત્તિ તે થતી નથી, તેથી જીવરાશિ જેટલી છે, એટલી જ રહે છે. “જો વાવવા” જીવરાશિ અપચય (હાનિ) થી યુક્ત પણ હોતી નથી, કારણ કે જીવરાશિમાંથી કઈ પણ જીવ કદી પણ અજીવરૂપે પરિણમત નથી. જે તે અવરૂપે પરિણમત હત તે જીવરાશિમાં અપચય (સંખ્યામાં ઘટાડે) થતો હોત. (જો હોવાથલાવવા) એવું પણ બનતું નથી કે એક તરફથી નવીન જીવો ઉત્પન્ન થઈને તેમાં મળી જતાં હોય અને બીજી તરફથી એટલાં જ છે તેમાંથી નીકળી જઈને અન્યરૂપે પરિણમન પામતા હોય. આ રીતે વૃદ્ધિ અને હાનિને અભાવ હોવાથી જીવરાશિ ઉપચય-અપચય બનેથી યુકત પણ નથી. પરંતુ તે “નવરા-નરવા ” ઉપચય-અપચય તે બનેથી રહિત હોય છે. નવીન વૃદ્ધિ અને હાનિને અભાવ હોવાથી જીવોની સંખ્યામાં વધારો કે ઘટાડે સંભવ નથી તેથી યથાવસ્થિતજ રહે છે. શંકા-ઉપચય વૃદ્ધિરૂપ હોય છે અને અપચય હાનિરૂપ હોય છે. આ રીતે ઉપચય અને અપચયના બે ભંગ (વિક) તે બની જાય છે. પણ એકી સાથે ઉપચય અને અપચય યુકતતાનો જે નિષેધ કરાવે છે અને શ્રી ભગવતી સૂત્ર : ૪ ૨૩૯
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy