SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ મેાજૂદ રહે જ છે. આ વિષયનું વધારે સ્પષ્ટિકરણ કરવા માટે ટીકાકાર કહે -અવગાહના દ્રવ્યમાં અનિયત રૂપે કેવી રીતે સંબદ્ધ છે, તેનું સ્પષ્ટિકરણ નીચે પ્રમાણે કરી શકાય-દ્રવ્યમાં સંકુચન અને પ્રસરણના અભાવ હોય ત્યારે જ અવગાહના થાય છે–તેમના સદ્ભાવ હેાય ત્યારે થતી નથી. આ રીતે દ્રવ્યમાં અવગાહના અનિયમિત હોવાને કારણે તેની સાથે અનિયત રૂપે સંબદ્ધ છે, એવું કહેવામાં આવ્યું છે. જેવી રીતે શિતપા’ (સીસમનું લાકડું) વૃક્ષની સાથે નિયત રૂપે સંબદ્ધ નથી અને વ્યાપક રૂપે પણ સંબદ્ધ નથી, કારણ કે એવા કોઇ નિયમ નથી કે જયાં જ્યાં વૃક્ષત્વ હાય ત્યાં ત્યાં ‘ શિસપાત્વ’ પશુ હાવું જ જોઇએ, વૃક્ષહ્ન હેાય ત્યાં સીસમપણુ હાય પણ ખરૂં અને ન પણ હાય, એ જ રીતે એવા પશુ નિયમ નથી કે જ્યાં જ્યાં દ્રષ હાય ત્યાં ત્યાં અવગાહના પણ હોય જ. હા, એવું અવશ્ય જોવા મળે છે કે જ્યાં જ્યાં સીસમપણુ હાય છે ત્યાં ત્યાં વૃક્ષત્ર તે અવશ્ય હાય છે એજ રીતે જ્યાં જ્યાં અવગાહના હોય છે ત્યાં ત્યાં દ્રવ્ય પણ અવશ્ય હેાય છે. આ પ્રમાણે દ્રવ્યની અને અત્રગાહનાની પરસ્પરમા વિષમ વ્યાપ્તિ જ સભવી શકે છે–સમવ્યાપ્તિ સ'ભવતી નથી. દ્રવ્ય વ્યાપક છે અને અવગાહના વ્યાપ્ય છે. વ્યાપક હાય ત્યારે વ્યાપ્ય અવશ્ય હાય જ એવા નિયમ નથી. પણ વ્યાપ્યુ હાય ત્યારે વ્યાપક તે અવશ્ય હોય છે. આ રીતે દ્રવ્ય અને અવગાહનાનું એક સાથે અસ્તિત્વ હાવાની વાત નિયત નથી પણ અનિયત છે, એમ સમજવું. ળ ૩ વ્વ સંશોયવિદ્દોચમિત્તન્મિ સંકä ” આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–જેવી રીતે દ્રવ્યની સાથે અવગાહના અનિયત રૂપે સબદ્ધિત છે, એવી રીતે અવગાહનાની સાથે દ્રવ્ય અનિયત રૂપે સબદ્ધિત નથી, તે તે તેની સાથે નિયત રૂપે સબદ્ધિત છે જયાં અવગાહના હશે ત્યાં નિયમથી જ દ્રવ્ય પણ હશે, તેથી દ્રવ્ય અવગાહનાનું વ્યાપક બની જાય છે. જેવી રીતે વૃક્ષત્વના અભાવ હાય તે સીસમના પણ અભાવ જ હાય છે, પણુ સિયમત્વના અભાવ હોય તે વૃક્ષત્વના અભાવ હાય એવું બની શકતું નથી, એજ રીતે જ્યારે સકુચન પ્રસરણુ દ્વારા અવગાહના રૂપ વ્યાપ્ય ધર્મની નિવૃત્તિ થઇ જાય છે ત્યારે વ્યાપક ધર્મ રૂપ દ્રવ્યની નિવૃત્તિ થતી નથી, દ્રવ્ય તે એ પરિસ્થિતિમાં પણ મેાજૂદ રહે છે. તે કારણે અવગાહના સ્થાનાયુષ્ય કરતાં (4 શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૯૧
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy