SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ જે આયું છે, તેને દ્રવ્ય સ્થાનાયુષ્ક કહે છે. એક, બે, આદિ પ્રદેશ દ્વારા પુદ્ગલ દ્વારા જે જે આકાશ પ્રદેશની અવગાહના કરાય છે તે પ્રદેશને ક્ષેત્ર સ્થાને કહે છે. તે ક્ષેત્રસ્થાનની જે સ્થિતિ (આયુકાળ) તેને ક્ષેત્ર સ્થાનાયુષ્ક કહે છે. અથવા આકાશના એક બે આદિ પ્રદેશમાં જે પુલનું રહેવાનું સ્થાન હોય છે, તેને ક્ષેત્રસ્થાન કહે છે. તે ક્ષેત્રસ્થાન રૂપ જે આયુ છે તેને ક્ષેત્ર સ્થાનાયુષ્ક કહે છે. પુગલે આકાશના જે નિયત પરિણામવાળાં પ્રદેશમાં રહે છે, તે પ્રદેશને અવગાહના સ્થાને કહે છે. તે અવગાહના સ્થાનરૂપ જે આયુ છે, તેને અવગાહના સ્થાનાયુષ્ક કહે છે. તથા પુદગલોનું જે શ્યામવ આદિ રૂપે અવસ્થાન છે, તેનું નામ ભાવસ્થાનાયુષ્ક છે. “ચા ” પદથી જે પદ ગ્રહણ કરાયાં છે, તે પદેને સમાવેશ કરવાથી આ પ્રકારનો પ્રશ્ન બનશે-હે ભદત ! દ્રવ્ય સ્થાનાયુષ્ક આદિ ચારમાંથી કયું કે ના કરતાં અલ્પ છે? કયું કેના કરતાં અધિક છે? કયું કોની બરાબર છે અને કહ્યું કે ના કરતાં વિશેષાધિક છે? મહાવીર પ્રભુ આ પ્રશ્નનો જવાબ આપતા કહે છે-“નોરમા !છે. ગૌતમ ! (થોરે શેઠ્ઠાણા૩૫) ક્ષેત્ર સ્થાનાયુષ્ક સૌથી અલ્પ પ્રમાણનું હોય છે. (મોબાળા૩ર વેનગુને) ક્ષેત્ર સ્થાનાયુષ્ક કરતાં અવગાહના સ્થાનાયુષ્ક કરતાં અવગાહના સ્થાનાયુષ્ક અસંખ્યાતગણું હોય છે. (વદ્ર - Gsigrn) અવગાહના સ્થાનાયુષ્ક કરતાં દ્રવ્ય સ્થાનાયુષ્ક અસંખ્યાતગણું હોય છે (માવાળા૩ણ અ જ્ઞTળે) દ્રવ્યસ્થાનાયુષ્ક કરતાં ભાવ કથાનાયુષ્ક અસંખ્યાતગણું હોય છે. એ જ વાતનું પ્રતિપાદન કરવા માટે નીચેની સંગ્રહગાથા આપવામાં આવી છે-( વત્તોnt , ) ઈત્યાદિ. અર્થની સ્પષ્ટતા સૂત્રાર્થમાં જ કરેલી છે. આ ક્ષેત્ર સ્થાનાયુષ્ક આદિ ચારેની અલ્પતા તથા અધિકતાનું પ્રતિપાદન કરવા માટે નીચેની ગાથાઓ આપવામાં આવેલી છે– જેરોજ દવે તથા વેત્તાડકુત્તાગો” ઈત્યાદિ. આ ગાથાઓ દ્વારા એ સમજાવવામાં આવ્યું છે કે ક્ષેત્રસ્થાનાયુષ્ક, અવગાહના સ્થાનાયુષ્ક, દ્રવ્યથાનાયુષ્ક અને ભાવસ્થાનાયુષ્ક, એ ચારેમાં ક્ષેત્રસ્થાનાયુષ્ક સૌથી ટૂંકું છે, બાકીના ત્રણ તેના કરતાં અસંખ્યાત ગણું છે, એ વાત કેવી રીતે સમજી શકાય છે? તે તેનો જવાબ આપતા સુત્ર કાર કહે છે-ક્ષેત્ર અમૂર્ત હોય છે, તે કારણે તેને કેઈ આકાર તે હોતે નથી; આકાર નહી હોવાથી બંધનના કારણરૂપ નેહ (ચીકાશ) આદિ જે. ગુણ હોય છે તેમને પણ તેમાં અભાવ હોય છે. તે કારણે પ્રદૂગલે ત્યાં લાંબા કાળ સુધી રહી શકતાં નથી. તેથી જ ક્ષેત્રાવસ્થાન કાળ અલ્પ કહો છે. હવે અવગાહનાયુની અધિકતાનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકારે આ ગાથા કહી છે-(vnar ) ઈત્યાદિ, શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૮૮
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy