SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ પદથી કષ્ણગુણના બેથી લઈને અસ ખ્યાત અંશ પર્યન્તના પુદ્ગલે ગ્રહણ કરવામાં આવ્યા છે. :~ga aur, ધ, re, i =ાવ શતગુર્જશે” એ જ પ્રમાણે વર્ણના એકથી અનંત અંશવાળા, ગંધના એકથી અનંત અંશ. વાળા, રસના એકથી અનંત અંશવાળા, સ્પર્શના એક્રથી અનંત અંશવાળા પગલે પણ ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે અસંખ્યાત કાળ સુધી પિતપોતાની એ જ અવસ્થામાં રહે છે. રૂક્ષતાના અનંત પર્યન્તના અશોવાળ પુદગલ પણ ઓછામાં ઓછા એક સમય સુધી તેની અસલ અવ સ્થામાં જ રહી શકે છે. ધારો કે કોઈ પુદગલમાં પીળાશ આદિ વર્ણને એક અંશ હેલે હોય, તો તે મુદગલ ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે અસર ખ્યાત કાળ સુધી પીળાશ આદિ વર્ણના એક જ અંશવાળું રહેશે. ત્યારબાદ તેના તે વર્ણના અંશ અવશ્ય વધશે. ગંધ, રસ, સ્પર્શ આદિન વિષયમાં પણ એમ જ સમજવું. “g yદુમારિણપ પોmછે ” એજ પ્રમાણે સૂક્ષ્મરૂપે પરિણમેલું પુદ્ગલ પણ ઓછામાં ઓછું એક સમય સુધી અને વધારેમાં વધારે અસંખ્યાત કાળ સુધી એ જ સ્થિતિમાં રહે છે. “gi aufપળા જો " એ જ પ્રમાણે સ્થૂલરૂપે પરિણમેલું પુદ્ગલ પણ જધન્ય એક સમય પર્યન્ત અને અધિકમાં અધિક અસંખ્યાત કાળ પર્યત એજ અવસ્થામાં રહે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન–“સરનgo મતે ! પાન વાંઢો રિવર છો?” હે ભદન્ત ! શબ્દરૂપે પરિણમેલું પુદ્ગલ એ જ શબ્દરૂપ પરિણતિમાં કેટલા કાળ સુધી રહે છે? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા !” ગomi gii માં ” હે ગૌતમ! શબ્દરૂપે પરિણમેલું પુદ્ગલ એ જ શબ્દરૂપ પરિણતિમાં ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે “કારિયાણ ” આવલિકાના અસંખ્યાત ભાગ પ્રમાણ કાળ સુધી રહે છે. “તરરિાણ gujખવાહિ” અશબ્દ રૂપે પરિણમેલા યુગલને એજ અવસ્થામાં રહેવાને કાળ કૃષ્ણગુણના એક અંશવાળા પુદ્ગલના કાળ પ્રમાણે સમજ. એટલે કે અશબ્દ રૂપે પરિ. મેલું પુગલ ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે અસં. ખ્યાત કાળ સુધી એ જ અવસ્થામાં રહે છે. ગૌતમ સ્વામીને પ્રશ્ર–“પરમgmg of મતે ! જાઓ પરિ૪૪ હો?” હે ભદન્ત ! પરમાણુ યુગલનું અંતર કાળની અપેક્ષાએ કેટલું હોય છે. આ પ્રશ્નનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–ોઈ એક પરમાણુ યુદ્ગલ પોતાના સ્વભાવ રૂપ પરમાણુત્વને (પરમાણુ પર્યાય ) ત્યાગ કરીને સ્કન્ધ ૩૫ પર્યાયને ધારણ કરી લે, અને ત્યારબાદ ફરીથી પરમાણુત્વ રૂપ સ્વભાવમાં (પર્યાયમાં) આવી જાય, તે પરમાણુ પર્યાયને ત્યાગ કર્યા પછી ફરીથી એજ પરમાણુ પર્યાયમાં આવવાને માટે તેને કેટલે સમય લાગે છે? અથવા તે કેટલા કાળનું અંતર પડે છે ? કાળના આ અંતરને વિરહકાળ પણ કહે છે. શ્રી ભગવતી સૂત્ર : ૪ १८४
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy