SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ અને ત્યારબાદ તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કરતા નથી અને ત્યાર બાદ મૃત્યુ પામે, તે તે શ્રત ચારિત્રરૂપ ધર્મના આરાધક ગણાતો નથી, પણ જે તે તેની આલેચના અને પ્રતિક્રમણ કરીને કાલ કરે, તો તેને તે ધર્મને આરાધક માનવામાં આવે છે. (મહુવામં આવશે) દેષયુક્ત અકય આહારને નિર્દોષ આહાર માનીને (કન્નર અનુવાવરૂત્તા મારૂ છે જે તરણ?) જે સાધુ પરસ્પરમાં તે આહારની આપ-લે કરે, તે સાધુ શું શ્રત ચારિત્રરૂપ ધર્મને આરાધક ગણાય છે કે નથી ગણતે ? (ાર્ચ ર તદૃ રાય ) હે ગૌતમ ! આધાકમ આહારને નિર્દોષ આહાર સમજનાર સાધુના વિષયમાં જે આલાપક આપેલો છે, તે જ આલાપક આ વિષયમાં પણ સમજી લે. (શીતઋત) થી લઈને “રાજપિંડ” પર્યન્તને સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. તે પ્રકારના દોષયુક્ત આહારને નિર્દોષ કહીને એક બીજાને આપનાર કે અપાવનાર પુરુષ જે તે સ્થાનની આલોચના અને પ્રતિકમણ કર્યા વિના કાલ કરે પામે છે. તેને શ્રત ચારિત્રરૂપ ધમને આરાધક માની શકાય નહીં, પણ જે તે સ્થાનની આલેચના અને પ્રતિક્રમણ કરીને નિર્દોષ બની ગયા પછી કાલકરે પામે તે તેને તે ધર્મને આરાધક માની શકાય છે. એ જ પ્રમાણે (માવજન્મનું કાવ ત્તિ નામ પન્નવા મા, તે જે તરત જ્ઞાવ થિ બારાખ) “આધાકર્મ આહાર અનવદ્ય (નિર્દોષ) છે,” એ પ્રમાણે ઘણા લોકેની સમીપે સભામાં પ્રરૂપણ કરનાર વ્યક્તિ, જે તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના કાલ કરે છે તે શ્રત ચારિત્રરૂપ ધર્મને આરાધક મનાતા નથી, પણ જે તે વ્યક્તિ તે સ્થાનની આલોચના અને પ્રતિકમણ કરીને મરે તે તેનાથી ધર્મની આરાધના થાય છે. આ પ્રકારનું કથન કીતકૃત ( સાધુને નિમિત્ત ખરીદેલો આહાર) થી લઈને રાજપિંડ પર્યન્તના પદે સમજી લેવા જોઈએ, આધાકર્માદિકમાં અદેષતા રહેલી છે, એવું આગમમાં પ્રતિપાદન કરાયું છે. તેથી તે પ્રકારના આહારમાં નિર્દોષતાની કલ્પના કરવી અને એજ ખ્યાલથી તે આહારને પિતાના ઉપગમાં લે, અથવા એ આહાર બીજા સાધુઓને આપે કે અપાવ, એવા આહારનું સભાની સમક્ષ નિર્દોષ આહાર રૂપે પ્રતિપાદન કરવું, આ બધી કિયાએ સિદ્ધાંત વિરૂદ્ધની હોવાથી મિથ્યાત્વ આદિ. રૂપ છે. તેથી તેના દ્વારા જ્ઞાનાદિકેની વિરાધના થાય છે, એ વાત દીવા જેવી સ્પષ્ટ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આધાકર્મ આહાર સદેષ છે તેને નિર્દોષ સમજ તે વિપરીત માન્યતા છે. મિથ્યાત્વના ઉદયથી જ એવી ભાવના જીવની અંદર ઉત્પન્ન થાય છે. જ્યાં મિથ્યાત્વને ઉદય હોય ત્યાં સામ્ય દર્શનને અભાવ હવાથી રામ્યફ જ્ઞાનાદિકને પણ અભાવ હોય છે. તેથી કુત ચારિત્રરૂપ ધર્મનું નિદૉષ રીતે પાલન કરવા માટે આધાકર્મ આદિ આહાર કદી પણ લે જોઈએ નહીં. તેને ત્યાગ કરીને શ્રત ચરિત્રરૂપ ધમને ઉજવળ કરે જોઈએ. આ પ્રમાણે કરવાથી જ સાધુ આરાધક બની શકે છે. સૂ. ૭ / શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૫૩
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy