SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ નિયમવાળા સાધુને વહોરાવવા માટે જ બનાવવામાં આવેલ લાડુ અગર તેને ભૂકે ચુરમું આદિ પદાર્થ-એટલે કે લાડુના પચખાણ વાળાને ચૂરમું કરીને આપે અને ચુરમાના પચખાણ વાળાને લાડુ બનાવીને આપે ( ઘંસારમત્ત ) વનમાં પથિકના નિર્વાહ માટે તૈયાર કરેલ ભેજન, ( ટુરિઝમ દુષ્કાળમાં ગરીબલોક અને પીડિતોને આપવા માટે બનાવેલું ભોજન ( જિશમત્ત ) વાદળાં છવાયેલાં હોય અને વરસાદ વરસતે હોય ત્યારે અનાથ દીન જાને માટે અથવા રેલપીડિતે માટે બનાવેલું ભેજન, ( જહાજમાં ) ગણીને માટે બનાવેલું ભોજન, (રજ્ઞાચરવિવું શય્યાતર પિંડ ( વસતિદાતાનું ભેજન ) ( રા૪િ ) રાજાને માટે બનાવેલું ભોજન, આ બધા આહારના વિષયમાં પણ આધાકર્મને અનવદ્ય નિર્દોષ કહેનાર વિષે–એટલે કે આ પ્રકારના દેષયુક્ત આહારને નિર્દોષ આહાર કહેનારને વિષે-પણ ઉપર કહ્યા પ્રમાણેના આલાપક ( પ્રશ્નોત્તરો ) જાતે જ બનાવી લેવા. અથવા તે જાતે જ સમજી લેવા જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે કીતકૃત ભેજન-સાધુને નિમિત્તે ખરીદાએલું ભેજન-અક૯પનીય હોવા છતાં પણ તેને નિર્દોષ માનનારો શ્રમણ જે તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના મરે, તે તેને શ્રત ચારિત્રરૂપ ધર્મની આરાધના થતી નથી, પરંતુ વિરાધના જ થાય છે. પણ જે તે શ્રમણ તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કરીને મરે છે, તો તેના મતચારિરૂપ ધર્મની આરાધના થાય છે, વિરાધના થતી નથી એજ પ્રમાણે સ્થાપિત આહાર ( સાધુને નિમિત્તે જુદે રાખી મૂકેલે આહાર ) થી લઈને રાજપિંડ પર્યન્તના આહારના વિષયમાં પણ આલાપ બનાવી લેવા જોઈએ. આ રીતે દેષયુક્ત આહારને નિર્દોષ માનીને તેમાં મન લગાડનાર સાધુમાં અનારાધકતાનું સૂત્રકાર દ્વારા પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આગમમાં જે આહારેને સદોષ હોવાને કારણે મુનિજને માટે અકય કહેલા છે, એવા આહારોને નિર્દોષ માનીને કોના સમૂહ પાસે તેમને નિર્દોષ આહાર તરીકે બતાવીને, તે પ્રકારના આહારને પિતાને માટે ઉપગમાં લઈને, તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના મરનાર સાધુના શ્રતચારિત્ર રૂપ ધર્મની આરાધના થતી નથી પણ વિરાધના જ થાય છે એજ વાત ( ગ મે अण्णाजे बहुजणस्स माझे भासित्ता सयमेव परिभुजित्ता भवइ से णं तस्स ठाणस्स જ્ઞાન ગથિ તરણ આરાળા) આ સૂત્ર દ્વારા પ્રકટ કરવામાં આવેલ છે. પણ જે તે સ્થાનની (તે દેષના કારણેથી) આચના અને પ્રતિક્રમણ કરીને મરણ પામે છે, તેના શ્રત ચારિત્રરૂપ ધર્મની આરાધના થાય છે, વિરાધના થતી નથી. ( fપ ત વ રાવ સાવંડું) આ સૂત્રપાઠ દ્વારા ઉપર્યુક્ત વાત જ સમજાવવામાં આવી છે. કીતકૃત આહારથી લઈને રાજપિંડ પર્યરતના આહારને અનુલક્ષીને પણ આ પ્રકારના આલાપકે જ ગ્રહણ કરવા ઉપર્યુક્ત કથનથી સત્રકારે એ વાત સમજાવી છે કે જે સાધુ આધાકર્મ આહારને એટલે કે દેષયુક્ત અને અકલ આહારને નિર્દોષ સમજીને તેને પિતાના ઉપયોગમાં લે, શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૫ર
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy