SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ આધાકર્માદિ આહાર આદિ કે સ્વરૂપ કા નિરૂપણ આધાકર્માદિ–આહાર વક્તવ્યતા– ( બાહા ખં) ઈત્યાદિસૂત્રાર્થ–( કાટ્ટાન્ન અTaષે ત્તિ મળ વહારેત્તા મંવર ) જે સાધુ તેના મનમાં એવું સમજે છે કે આધાકર્મ નિર્દોષ છે, ( એટલે કે અપ્રાસૂક આહારને પણ જે નિર્દોષ ગણે છે ) ( ૨ તરત કાળરસ કાઢોડિરે વાઢ વદ્ સ્થિત એ સાધુ જે આધાકર્મ આદિ સ્થાન વિષયક આલેચના અને પ્રતિક્રમણ કર્યા વિના મારે છે તે સાધુ દ્વારા સંયમની આરાધના થતી નથી. જે વં તરણ કાપ્ત માઢોપરિતે વારું જીરે વારિત્ર તક્ષ્ણ ગોળા-í મેળ નેવચં) પણ જે તે આધાકર્મ આદિ સ્થાન વિષયક આલોચના અને પ્રતિક્રમણ કરીને મરે, તે એવા જીવ દ્વારા સંયમની આરાધના થાય છે. આ આલાપકેથી એ વાત સમજવી જોઈએ કે ( ક્રીયા પૈસા આપીને સાધુને માટે ખરીદવામાં આવેલ આહારદિક, (વિશં) અમુક સ્થાપિત આહાર સાધુના નામથી સાધુને માટે જ રાખી મૂકેલ આહારાદિક સામગ્રી, ( ર ) રચિત આહાર-લાડુ આદિ બનાવવા માટેના ચુરમાં આદિને સાધુને માટે અલગ રાખી મૂકીને પાછળથી તેમાંથી બનાવવામાં આવેલ લાડુ વગેરે આહાર, (#ાતામ) જંગલમાં મુસાફરોને માટે તૈયાર કરવામાં આવેલું ભેજન, (રમમાં ) દુષ્કાળના વખતમાં દીન-દુઃખિને માટે આધાકર્માદિકમાં અદોષતા રહેલી છે, એવું આગમમાં પ્રતિપાદન કરાયું છે. તેથી તે પ્રકારના આહારમાં નિર્દોષતાની કલ્પના કરવી અને એજ ખ્યાલથી તે આહારને પિતાના ઉપયોગમાં લે, અથવા એ આહાર બીજા સાધુઓને આપ કે અપાવ, એવા આહારનું સભાની સમક્ષ નિર્દોષ આહાર રૂપે પ્રતિપાદન કરવું, આ બધી કિયાએ સિદ્ધાંત વિરૂદ્ધની હોવાથી મિથ્યાત્વ આદિ. રૂપ છે. તેથી તેના દ્વારા જ્ઞાનાદિ કેની વિરાધના થાય છે, એ વાત દીવા જેવી સ્પષ્ટ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આધાકર્મ આહાર સદેષ છે તેને નિર્દોષ સમજે તે વિપરીત માન્યતા છે. મિથ્યાત્વના ઉદયથી જ એવી ભાવના જીવની અંદર ઉત્પન્ન થાય છે. જ્યાં મિથ્યાત્વને ઉદય હોય ત્યાં સમ્ય દર્શનને અભાવ હોવાથી રામ્યફ જ્ઞાનાદિકને પણ અભાવ હોય છે. તેથી કુત ચારિત્રરૂપ ધર્મનું નિર્દોષ રીતે પાલન કરવા માટે આધાકર્મ આદિ આહાર કદી પણ લેવું જોઈએ નહીં. તેને ત્યાગ કરીને શ્રુત ચરિત્રરૂપ ધમને ઉજવળ કરે જઇએ. આ પ્રમાણે કરવાથી જ સાધુ આરાધક બની શકે છે. એ સૂ. ૭ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૫૦
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy