SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ એ જ પ્રમાણે (મહાચિતરાય, મસવતરાય, મારેતરાચ) મહા ક્રિયાવાળે, મહા આસવવાળે અને મહા વેદનાવાળા હોય છે કે નહિ? અગ્નિને મહાકિયતર કહેવાનું કારણ એ છે કે જ્યારે પ્રચંડ અગ્નિ લાગે ત્યારે તે મહાન અનિષ્ટનું પણ કારણ બને છે. પ્રચંડ આગમાં નગરનાં નગરે બળીને ખાખ થઈ જવાના દાખલા પણ બને છે. તેને મહા આસવ રૂપ કહેવાનું કારણ એ છે કે તેના દ્વારા ઘણી જ મેટી માત્રામાં નવીન કર્મને બંધ કરાતો હોય છે. તેને મહા વેદનતર કહેવાનું કારણ એ છે કે આ પ્રકારની ક્રિયાથી જીવ જે કર્મને બંધ બાંધે છે, તે કર્મબંધને કારણે આગળ જતાં તેને મહાન વેદના ભોગવવી પડે છે. અથવા શરીરની સાથે જ્યારે અગ્નિકાયને સંસર્ગ થાય છે, ત્યારે જીવને ઘણું જ ભારે વેદના થાય છે. આ રીતે તે અગ્નિકાય પરસ્પર સંધાતિત થવાને લીધે પિતાને માટે અને બીજાને માટે મહાવેદનાનું કારણ બની જાય છે તેથી જ તેને મહાવેદનતર કહેલ છે. - હવે ગોતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-(વળ પણ સમg વોfasઝમ) જ્યારે તે અગ્નિકાય ઉત્તરોત્તર ઓલવાવા માંડે છે. એટલે કે જ્યારે તે ક્રમે ક્રમે તેના તેજથી રહિત થવા માંડે છે, અને (શનિ#ાહનમચંતિ) છેવટે (હું મૂ) ધકધતી જવાળાથી રહિત બનીને અંગાર રૂપ બની જાય છે, (મુમુકમૂર) તુષાગ્નિ જે બની જાય છે. (ઉપર રાખ વળી જાય પણ અંદર પ્રજવલિત હોય એવી સ્થિતિમાં આવી જાય છે) (ઝરિયા) અને છેવટે રાખરૂપ બની જાય છે, ( તો પછી અg8w तराएचेव, अप्पकिरियतगए चेत्र, अप्पासवतराए चेत्र, अप्पवेयण तराए चेव भवा) ત્યારે તે શું કમભાવ, ક્રિયાભાવ, આસ્રવાભાવ અને વેદનાભાવને માટે હોય છે ? ગૌતમ સ્વામીના પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે (દંતા ! અgિ of agg=ાઢિણ રમા તે વેવ) હા, ! તત્કાળ પ્રજ્વલિત થયે અનિ મહા ફિયતર, મહા આસવતર અને મહા વેદનતર હોય છે. એટલે કે તે અગ્નિ મહાન અનિષ્ટરૂપ છે. મહા આસવરૂપ છે અને મહા વેદનાને માટે કારણરૂપ છે. પણ જ્યારે અગ્નિકાય તેના તેજથી રહિત થવા માંડે છે, અને આખરે અંગારરૂપ, તુષાગ્નિરૂપ અને રાપરૂપ થઈ જાય છે ત્યારે તે કર્મના અભાવ, ક્રિયાના અભાવ, આમ્રવના અભાવ અને વેદનાના અભાવ માટે હોય છે. આ સૂત્રમાં અગ્નિકાયની અંગારરૂપ અવસ્થામાં અને તુષાગ્નિરૂપ અવસ્થામાં અલ્પ શબ્દ એ છાપણું દર્શાવે છે અને ક્ષારિકભૂત એટલે ભસ્મીભૂત અવસ્થામાં અ૫ શબ્દ અભાવ દર્શાવે છે. કારણ કે તે અવસ્થામાં કર્મબંધને સદભાવ રહેતું નથી. તે સૂ. ૨ / શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૪૦
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy