SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ વફાનgi Aસ --લા-સારૂi કિજામેતા,) આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવેલ છે. અહીં “મને” અને “પ્રીતિકારક”, એ બે વિશેષણને આહાર સાથે જે પ્રયાગ કરે છે તે એ વાતને ટેકો આપે છે કે સંયમી મુનિને જે આહાર વહેરાવવામાં આવે તે નિર્દોષ હવે જોઈએ અને તેમની સંયમયાત્રાને નિર્વાહક હોવું જોઈએ. સંયમયાત્રામાં બાધક થાય એ સદેષ, અકથ્ય આહાર સંયમીને વહેરાવવો જોઈએ નહીં. કારણ કે તે પ્રકારના આહારનું દાન, દાતા તથા ગૃહીતા (લેનાર) બન્નેનું અહિત કરે છે. સંયમીજનેને તેમને યોગ્ય જે આહારાદિ વસ્તુઓ આપવામાં આવે તે બહુ જ ભક્તિભાવપૂર્વક આપવી જોઈએ અને તે આહારાદિ નિર્દોષ હેવા જોઈએ. તેમના ગુણે પ્રત્યે દાતાને અનુરાગ હવે જોઈએ. અને તેમને પ્રત્યે અપાર શ્રદ્ધા હોવી જોઈએ. દાન દઈને દાતાએ પોતાની જાતને ભાગ્યશાળી માનવી જોઈએ. દાન દેનારના મનમાં દાન ગ્રહણ કરનાર તરફ ઈર્ષ્યાદિ ભાવ ન હોવા જોઈએ. એજ વાત (૪રિત્તા નસિત્તા લાવે ઘgવાણિત્તા) આ પદ દ્વારા સમજાવવામાં આવી છે. કારણ કે સંયમીના ગુણે પ્રત્યે અનુરાગ હેય તે જ તેમને વંદણ, નમસ્કાર આદિ કરવામાં આવે છે. આ પ્રકારની ક્રિયાઓ કરવાથી જીવ શુભ કર્મોને બંધ કરે છે અને તેના અશુભ કર્મોને નિરોધ થાય છે. તે કારણે તે શુભ દીર્ધાયુને બધ કરે છે. આ સૂત્રમાં ચાર સૂત્રને સમાવેશ થયેલ છે. (૧) અલ્પાયુ વિષયક સૂત્ર (૨) દીર્ધાયુ વિષયક સૂત્ર (૩) અશુભ દીર્ધાયુ વિષયક સૂત્ર અને (૪) શુભ દીર્ધાયુ વિષયક સૂત્ર. સૂ. ૧ / ગૃહપતિ કો માંડ ઔર અગ્નિકાયકે સ્વરૂપના નિરૂપણ ગૃહપતિનાં ઉપકરણે અને અગ્નિનકાયની વ્યક્તવ્યતા– (જાહૂ વદત્ત મંતે !) ઈત્યાદિ– સૂત્રાર્થ-( વરણ - મતે ! અંદં વિવિજળના મંઉં અas) હે ભદન્ત ! માટીનાં વાસણે વેચનાર કોઈ એક ગૃહસ્થનાં-વ્યાપારીનાં વાસણ કોઈ માણસ ચરી જાય, અને ( તરસ મતે તેં મંછું નરેનમાળણ ૪િ મા. भिया किरिया कज्जइ, परिग्गहिया, मायावत्तिया, अपच्चक्खाणकिरिया, मिच्छा વત્તિયા?) તે ગૃહસ્થ તેના વાસણની શેધ કરે તે છે તેને (શોધ કરનાર ગૃહસ્થને) આરંભિકી ક્રિયા લાગે છે કે પારિગ્રહિક કે માયાપ્રત્યયિકી લાગે છે, કે અપ્રત્યાખ્યાનિકી ક્રિયા કે મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા લાગે છે ? (જોયા! અમિથા શિથિા કન, પરિણિયા, માયાવત્તા, કાદવવાળા શિયા, મિચ્છાવાળ શિરિયા સર , ફિર નો ) હે ગૌતમ! શોધ શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૩૧
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy