SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ એક ચટાઈમાંથી હજારો ચટાઈઓ ( રામો ર ë ) એક રથમાંથી હજારો રથ, (૪ત્તાવો ઇત્તરમાં) એક છત્રમાંથી હજારે છત્ર, (લંગો સંસર) અને એક દંડમાંથી હજારો દંડનું (મિનિવત્તા) નિર્માણ કરીને (૩વરા) શું બતાવી શકવાને તેઓ સમર્થ છે ખરાં? ઉત્તર–(હંસા પમ) હે ગૌતમ ! તેઓ તેમ કરી શકવાને સમર્થ છે. તેઓ એક ઘડામાંથી હજારે ઘડાનું નિર્માણ કરી શકે છે. શ્રુતકેવળીને શ્રતજ્ઞાનના પ્રભાવથી એવી લબ્ધિની પ્રાપ્તિ થાય છે કે તેઓ એક ઘડાની મદદથી હજાર ઘડાઓનું નિર્માણ કરી બતાવવાને સમર્થ હોય છે હવે તેનું કારણ જાણવાને માટે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે ( ળમાં જન્મ રક્તપુત્રી વાવ કવરેરણ?) હે ભદન્ત ! ચૌદ પૂર્વ ધારી શ્રુતકેવલી એક ઘડામાંથી હજારો ઘડાનું નિર્માણ કેવી રીતે કરી બતાવે છે? ઉત્તર—( જોગમ!) હે ગૌતમ! (૨૩ પુષ્ટિવરૂ of Io"તારું વારું उक्करियाभेएणं भिज्जमाणाईलद्धाई पत्ताई अभिसमण्णागयाइ' भवति ) योह પૂર્વધારી શ્રુતકેવલીને શ્રુતજ્ઞાનના પ્રભાવથી એક એવી વિશિષ્ટ લબ્ધિની પ્રાપ્તિ થઈ જાય છે કે જેના દ્વારા તે અનંત પુદ્ગલ દ્રવ્યને પહેલેથી જ પ્રાપ્ત કરવા યોગ્ય બનાવી લે છે, ત્યારબાદ તેને ગ્રહણ પણ કરી લે છે, અને ત્યારબાદ તેમને ઘડા, વસ્ત્ર, દંડ, છત્ર, રથ આદિ રૂપે પરિણમાવે છે. તે પુગલ દ્રવ્યના ઉત્સરિકા આદિ પાંચ ભેદ છે. શ્રુતકેવળી જ્યારે તેની આ લબ્ધિને ઉપયોગ કરે છે ત્યારે એક ઘડામાંથી હજારે ઘડાનું નિર્માણ કરતા હોય એવું લેકને દેખાય છે. જેવી રીતે તેઓ આહારક શરીરનું નિર્માણ કરતા હોય છે, એ જ પ્રમાણે આવું પણ કરી શકે છે. એટલે કે હજારે ઘડા પણ બનાવી શકે છે. પુદ્ગલના પાંચ પ્રકાર નીચે પ્રમાણે છે-(૧) ખંડ, (૨) પ્રતર () ચૂર્ણિકા, () અનુતરિકા અને (૫) ઉત્કરિકા. ઢેફાની જેમ જે પુદ્ગલના ખંડ ખંડ થઈ જાય છે, એવા પુદ્ગલને ખંડ પુદ્ગલ કહે છે. અભ્રપટલની જેમ જે પુદ્ગલ વેર વિખેર થઈ જાય છે તેને પ્રતર પુદ્ગલ કહે છે. તલ આદિના ચૂર્ણની જેમ જે પુદ્ગલના ચૂરે ચૂરા થઈ શકે છે તે પુગલને ચૂર્ણિકા પુદ્ગલ કહે છે. કૂવા, તળાવ આદિના કિનારાની માટી ફાટી જતી હોય છે તે પ્રકારના પુદ્ગલને અનુતરિક પુદગલ કહે છે. જે પુદ્ગલ એરંડાના બીજ જેવું હોય છે તેને ઉત્કરિકા પુદગલ કહે છે. આ રીતે પુદગલના પાંચ પ્રકાર હોવા છતાં પણ તેના ચાર પ્રકારને છેડી દઈને અહીં ફક્ત ઉત્કરિકા પુદ્ગલની જ વાત કરવામાં આવે છે. શ્રી ભગવતી સૂત્ર : ૪ ૧૧૪
SR No.006418
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy