SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાર્થ- વાયુભૂતિ અણગારે, ૧૪ ચૌદમાં સૂત્રમાં બતાવ્યા પ્રમાણે, ઈશાનેન્દ્રના સામાનિક દેવ કુરુદત્તપુત્ર વગેરેના વિષયમાં જે પ્રશ્ન પૂછ્યું છે, તેને ઉત્તર આ સૂત્રમાં આપવામાં આવે છે મહાવીર પ્રભુ જવાબ આપે છે કે હે ગૌતમ! વાયુભૂતિ ! પિતાની વિશિષ્ટ તપસ્યાના પ્રભાવથી દેવરાજ ઇશાનેન્દ્રના સામાનિક દેવ તરીકે ઉત્પન્ન થયેલા કુરુદત્તપુત્રની સમૃદ્ધિ, વિકુવર્ણ આદિનું વર્ણન પૂર્વકથિત તિષ્યક દેવના પ્રમાણે જ સમજવું. પણ તે કથન કરતા કુરુદત્તપુત્રના કથનમાં જે વિશેષતા છે તે “ના” પદ દ્વારા બતાવવામાં આવી છે. જ્ઞાતિને સે મંજૂરી ઢી ઈશાનેન્દ્રનો સામાનિક દેવ કુરુદત્ત પુત્ર, વૈક્રિય સમુદ્યાતથી ઉત્પન્ન કરેલાં પિતાના અનેક રૂપ વડે બે જંબૂદ્વીપ કરતાં પણ વધારે જગ્યાને ભરી શકવા સમર્થ છે. “વસે તબાકીનું સમસ્ત કથન તિષ્યક દેવના કથન પ્રમાણે જ સમજવું– તેમાં બીજી કોઈ પણ વિશેષતા નથી. સામાન - તારીસા - – શામણિી” કુરુદત્તપુત્રના જેવી જ સમૃદ્ધિ તથા વિકુવા શકિત ઈશાનેન્દ્રના બીજા સામાનિક દેવ, ત્રાયસ્વિંશક દે, લોકપાલ અને પટ્ટરાણીઓ પણ ધરાવે છે. (સેમ, યમ, વરુણ અને કુબેર, એ ચાર લોકપાલે છે ) "जाव एसणं गोयमा! ईसाणस्स देविंदस्त देवरण्णो एवं एगमेगए ચાલી રેરી ગાયિારે વિકg વિચરે ૩ થી લઈને “વિત્રિાંત વા”સુધીના સૂરપાઠમાં મહાવીર પ્રભુએ વાયુભૂતિને એ સમજાવ્યું છે કે ઈશાનેન્દ્રની, કુરુદત્તપુત્રની, અન્ય સામાનિક દેવોની, ત્રાયસિંશક દેવોની, લોકપાલની અને પટ્ટરાણીઓને વિદુર્વણ શકિતનું ઉપરેત વર્ણન તેમની શકિતનું નિરૂપણ કરવા માટે જ કરવામાં આવ્યું છે. તેઓ એટલી વિક્ર્વણું કરવાની શકિત અવશ્ય ધરાવે છે, પણ તેમની તે શકિતને પ્રગ તેઓ કદી પણ કરતા નથી. ભૂતકાળમાં કદી પણ તેમણે એવી વિકુવણ કરી નથી, વર્તમાનકાળમાં કદી પણ એવી વિકુર્વણુ કરતા નથી અને ભવિષ્યમાં કદી પણ તેઓ એવી વિકુવર્ણ કરશે નહીં અહીં કેઇ એવી આશંકા ઉઠાવે છે કે – જે તેઓએ કદી એવી વિમુર્વણું કરી નથી, તેઓ કદી એવી વિબુર્વણ કરતા નથી અને ભવિષ્યમાં કરવાના પણ નથી, તે આ કથન સારહીન જ સમજવું જોઈએ ! તે તેનું સમાધાન નીચે પ્રમાણે છે–તેઓ વ્યવહારમાં તેમની એ વિફર્વણા શકિતનો કદી પણ ઉપયોગ કરતા નથી, છતાં તેમનામાં એવી શકિત છે કે તેઓ ધારે તે તે વિકુણા કરી શકવાને સમર્થ છે. તેમાં તેમને કોઈ મુશ્કેલી નડતી નથી. આ કથનથી એટલે જ સારાંશ ગ્રહણ કરવાને છે કે તેઓની શકિતના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે જ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. સૂપા શ્રી ભગવતી સૂત્ર : ૩ ૪ ૦
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy