SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ નાદની સાથે સાથે વીણા, કરતાળ, ખંજરી, અને ઘન (મેઘ) જેવા અવાજ કરતાં મૃદંગના અવાજ પણ સંભળાય છે આ કર્ણપ્રિય અવાજો અને ખીજા દિવ્ય ભેગાને ભાગવતા તે ચમરેન્દ્ર આનંદમગ્ન રહે છે. હુવે સૂત્રકાર ચમરેન્દ્રની વિષુ ણા શક્તિના સ્વરૂપનું અને તેના સામર્થ્યનુ દૃષ્ટાંતા સહિત વર્ણન કરે છે, " एवतियं च णं पभू विउत्तिए " से जहा नामए जुवतिं जुवाणे સ્થળ દર્ભે ફ્રેના” જેવી રીતે કોઇ યુવાન કાઇ યુવતીનેા હાથ પકડીને પોતાના આહુપાશમાં લેવાને સમર્થ હોય છે “ વરસવા નામિત્રના ઉત્તા નિયા ’ જેવી રીતે ચક્રની નાભિ ( મધ્યમાં રહેનારૂ કાષ્ટ ) ચક્રના આરાઓને પકડી રાખવાને સમર્થ હોય છે, એવી જ રીતે તે ચમરેન્દ્ર વિણા કરવાને એટલા સમર્થ છે કે તે પેાતાની વૈક્રિય શકિતના ઉપયોગ કરીને જ બુદ્વીપ નામના દ્વીપને પોતાના શરીરમાંથી ઉત્પન્ન કરેલા દેવા અને દેવીએથી ભરી દેવાને સમથ છે કહેવાનું તાત્પ એ છે કે જયાં ભય હેાય ત્યાં જેવી રીતે યુવતી યુવાનના બાહુપાશમાં સંલગ્ન રહે છે અને તે તેની સાથે જ ફરે છે - સ્વતંત્ર રીતે હરતી ફ્રતી નથી, જેવી રીતે રથના ચક્રની નાભિ સાથે અનેક આરા સંલગ્ન રહે છે, એજ પ્રમાણે વૈક્રિય શકિત દ્વારા નિમિત વિવિધરૂપે, એ એક મૂળરૂપને આધારે જ રહે છે. તેનાથી અલગ અસ્તિત્ત્વ ધરાવી શકતા નથી – જો કે તે મૂળરૂપથી ભિન્ન હેાય એવું લાગે છે, પણ વાસ્તવિક દૃષ્ટિએ જોતાં તે તે બધાનુ કારણ તા તે એક મૂળરૂપ જ હાય છે. જેવી રીતે અનેક પાત્રામાં એકજ ચંદ્રમાના અનેક પ્રતિબિંબ દેખાય છે પણ તે બધા પ્રતિષ્ઠિ માને એકજ ચંદ્રના પ્રતિષિએ માનવામાં આવે છે, એજ પ્રમાણે વૈક્રિય શકિત દ્વારા નિર્મિત તે રૂપોનુ પણ સ્વતંત્ર અસ્તિત્વ સંભવી શકતુ નથી જેવી રીતે ચક્રની નાભિને જડેલા આરા ભિન્ન ભિન્ન લાગે છે પણ તે બધા નાભિ સાથે જ સંલગ્ન રહે છે, એજ પ્રમાણે નૈષ્ક્રિય શકિત દ્વારા નિર્મિત રૂપે પણ જુદાં જુદાં લાગતાં હાવાં છતાં તેમનુ કોઇ સ્વતંત્ર અસ્તિત્વ હાતુ નથી, મનુષ્ય, દેવ અને પંચેન્દ્રિય તિયાઁચ આદિ પોતાના શરીરને પેાતાની ઇચ્છાનુસાર નાનુ મેટુ કર્યા કરે છે, તે ક્રિયાને વિક્રિયા શરીર કહે છે જીવ કેાઇ વિશિષ્ટ કાર્યને માટે પોતાના આત્મપ્રદેશને શરીરમાંથી બહાર કાઢે છે અને પછી તેમને સંકુચિત કરે છે એ ક્રિયાને સમુદ્દાત કહે છે. વૈક્ટિશરીર નામના કર્મના ઉદયથી તે સમુદ્ઘાતની ઉત્પત્તિ થાય છે. તેની કાળ સ્થિતિ એક અન્તર્મુહૂત ની હોય છે, " एवामेव गोयमा ! चमरे असुरिंदे असुरराया वेउब्वियसमुग्धारणं समोहन्नइ " હું ગૌતમ! અસુરરાજ અસુરેન્દ્ર ચમર આ પ્રકારના વૈક્રિય સમુદ્ઘાતથી યુકત હોય છે એટલે કે વૈક્રિય સમુદ્ઘાત કરીને તે પેાતાના આત્મપ્રદેશને શરીરમાંથી બહાર કાઢે છે “સંવેગ્નારૂં બાયળારૂં વૃંદું નિસર” આ રીતે આત્મપ્રદેશને શરીરમાંથી બહાર કાઢીને તેમને સખ્યાત ચેાજના પન્ત દંડાકાર રૂપે પણિમાવે છે. ઈંડાકારરૂપે શ્રી ભગવતી સૂત્ર : ૩ ७
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy