SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ છે, વળી જેવી રીતે શુદ્ધ વસ્ત્ર (શભ વભ્ર) ને રંગવામાં આવે તે તે વસ્ત્ર તે રંગના રૂપ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આદિ ગુણોથી યુકત બને છે, એવી જ રીતે કૃષ્ણવેશ્યા નીલેશ્યા રૂપે પરિણમીને તેનાં રૂપ, રસ, ગંધ આદિ ગુણવાળી બની જાય છે- તે કારણે મેં એવું કહ્યું છે. એજ પ્રમાણે “નીલલેશ્યા કાપિત લેશ્યરૂપે પરિણમીને તેનાં રૂપ, વર્ણ, રસ આદિ ગુણવાળી બની જાય છે, કાપતલેશ્યા તેજલેશ્યરૂપે પરિણમીને તેના રૂપાદિ ગુણવાળી બની જાય છે, તેજલેશ્યા પદ્મલેશ્યરૂપે પરિણમીને પદ્મશ્યાના રૂપાદિ ગુણવાળી બની જાય છે, અને પદ્મલેસ્યા શુકલેશ્યરૂપે પરિણમીને શુકલહેશ્યાના રૂપ, વર્ણ, રસ આદિ ગુણોવાળી બની જાય છે,' એમ સમજવું. હવે ગૌતમ સ્વામી લેશ્યાનાં વર્ષે જાણવાને માટે મહાવીર પ્રભુને પૂછે છે કે“હે ભદન્ત! “જા નિમિયા જોઇ guyત્તા? ઈત્યાદિ કૃષ્ણલેશ્યાને વર્ણ કેવો કહ્યો છે? ઉત્તર- “હે ગૌતમ ! કૃષ્ણલેશ્યાને વર્ણ શ્યામવર્ણના મેઘ આદિના જે શ્યામ [કાળો] કહ્યો છે. નીલેશ્યાને વર્ણ ભ્રમર આદિના રંગ જે અથવા મેરની ડોકના જે નીલ કહ્યો છે. કાતિલેશ્યાને વર્ણ કબૂતરના જે કહ્યો છે. તેજલેશ્યાને વર્ણ સસલાના લેહી જે લાલ કહ્યો છે, પલેશ્યાને વર્ણ ચંપાના ફૂલ જે પીળે કહ્યો છે, અને શુકલલેસ્યાને વર્ણ શંખને વર્ણ જે સફેદ કહ્યો છે. જે એ જ પ્રમાણે વેશ્યાઓના રસના વિષયમાં મહાવીર પ્રભુએ ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું– કુષ્ણસ્થાને રસ લીંબુના જે કડ, નીલલેશ્યાને રસ મરચાં સમાન તીખ, કાપેલેસ્થાને રસ અપકવ બરફલ જે તુંરે, તેલેસ્થાને રસ પાકી કેરીના જે ખટમીઠ્ઠો, પધલેશ્યાને રસ ચન્દ્રપ્રભા મદિરાના જે તીખ, તરે અને મધુર, તથા શુકલેશ્યાને રસ ગોળ અને સાકર જેવો મધુર કહ્યો છે. ' - તે લેશ્યાઓના ગંધ વિશે મહાવીર પ્રભુએ આ પ્રમાણે કહ્યું પહેલી ત્રણ લેશ્યાઓ (કૃણ, નીલ, કાપિત) દુર્ગધયુક્ત છે. છેલ્લી ત્રણ લેશ્યાઓ (તેજ, પદ્મ, શુકલ) સુગંધયુકત છે. તે લેશ્યાઓની શુદ્ધતાના વિષયમાં કહ્યું છે કે પહેલી ત્રણ લેશ્યાઓ અશુદ્ધ છે અને છેલ્લી ત્રણ લેસ્થાઓ શુદ્ધ છે. પહેલી ત્રણ લેશ્યાઓ અપ્રશસ્ત છે, એટલી ત્રણ પ્રશસ્ત છે. પહેલી રાણુ લેશ્યાઓ સંકિલષ્ટ છે અને છેલ્લી ત્રણ અસંકિલષ્ટ છે. પહેલી ત્રણ લેક્ષાઓ શીત અને રૂક્ષ છે, છેલી ત્રણ ઉષ્ણ અને નિષ્પ છે. પહેલી ત્રણ લેયાઓ જીવને દુર્ગતિ અપાવનારી છે, છેલ્લી ત્રણ સુગતિ-સગતિ અપાવનારી છે. લેશ્યાઓનાં પરિણામ અનુક્રમે જઘન્ય, મધ્યમ અને ઉત્તમ છે. પ્રત્યેક લેશ્યાના પ્રદેશ અનંત છે. અવગાહની વિષયમાં આ પ્રમાણે સમજવું. આ વેશ્યાઓની અવગાહના અસંખ્યાત (ક્ષેત્ર) પ્રદેશમાં છે. ઔદારિક આદિ વણઓની જેમ કૃષ્ણલેશ્યા આદિને યોગ્ય દ્રવ્યવર્ગણાઓ અનંત છે. તરતમ આદિ રૂપે વિચિત્ર બનેલા એવા અધ્યવસાયેના કારણરૂપ કૃષ્ણદિ દ્રવ્ય પણ તરતમ આહિરૂપે અસંખ્યાત છે, કારણ કે અધ્યવસાય સ્થાન અસંખ્યાત હોય છે. તેનું તાત્પર્ય એ છે કે જે અધ્યવસાયના સ્થાન અસંખ્યાત હોય, તો અધ્યવસાય પણ અસંખ્યાત જ હોય, અને જે અધ્યવસાય અસંખ્યાત હોય તે તે અસંખ્યાત અધ્યવસાયેના કારણભૂત કૃષ્ણાદિ દ્રવ્ય પણ તેમના તરતમ આદિ રૂપની અપેક્ષાએ અસંખ્યાત હોય છે. વેશ્યાઓનાં સ્થાનેનું અ૫ બહત્વ નીચે પ્રમાણે છેગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે- “હે ભદન્ત! કૃષ્ણલેશ્યાથી શુકલેશ્યા પર્યન્તની લેશ્યાઓનાં જઘન્ય (ઓછામાં ઓછાં સ્થાનમાં દ્રવ્યાર્થરૂપ, પ્રદેશાર્થરૂપ, શ્રી ભગવતી સૂત્ર : ૩ ૨૭ ૨
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy