________________
પ્રમાણે છે- ભાષાવર્ગણુઓનું પરિણમન બે પ્રકારનું હોય છે– (૧) શુભ શાદરૂપ પરિણમન અને (૨) અશુભ શબ્દરૂપ પરિણમન. એ જ પ્રકારનો પ્રશ્ન ચક્ષુ ઈન્દ્રિયને વિષયમાં પણ ગૌતમે પૂછો છે અને મહાવીર પ્રભુએ તેને આ પ્રમાણે ઉત્તર આપે છે. ચક્ષુરિન્દ્રિય દ્વારા વિષયભૂત બનેલા રૂપનું પરિણામ બે પ્રકારનું હોય છે– શુભ અને અશુભ.
ધ્રાણેન્દ્રિયના વિષયમાં પણ એવા જ પ્રશ્ન પૂછવામાં આવે છે, અને મહાવીર પ્રભુએ તેને આ પ્રમાણે ઉત્તર આપે છે– ‘ક્રિવિધ પ્રજ્ઞ તથા ઇમિગજપરિણામ સુમિાધપરિણામ ધ્રાણેન્દ્રિયની વિષયભૂત બંધના બે પ્રકારના પરિણામ કા છે– સુરભિગંધરૂપ પરિણામ અને દુરભિગંધરૂપ પરિણામ. રસનેન્દ્રિયના વિષયભૂત રસ ગુણના પરિણામ પણ બે પ્રકારના કહ્યા છે– સુરસરૂપ પરિણામ અને દૂરસ (ખરાબ રસ) રૂપ પરિણામ સ્પર્શન ઈદ્રિયના વિષયભૂત સ્પશ ગુણના પરિણામ બે પ્રકારના કહ્યા છે- સુખસ્પર્શરૂપ પરિણામ અને દુઃખસ્પર્શરૂપ પરિણામ. આ રીતે પાંચે ઈન્દ્રિયેના વિષયનું ત્યાં નિરૂપણ કરવામાં આવ્યું છે.
બીજી જગ્યાએ “ઉંતિરિક કુશાવથરિમ' એવો પાઠ છે. તેને ભાવાર્થ એ છે કે ઇન્દ્રિયના વિષયનું સૂત્ર, ઉચ્ચાવચસૂર, અને સુરભિસૂત્ર, એ ત્રણ સૂત્રો અહીં કહેવા જોઈએ. તેમાંના ઈન્દ્રિય વિષયક સૂરનું તે કથન ઉપર કરવામાં આવી ગયું છે. ઉચ્ચવચસૂત્ર આ પ્રમાણે છે- “ wાં અરે! કાપદિ सहपरिणामेहिं परिणममाणा पोग्गला परिणमंतीति वत्तव्यं सिया ?' હે ભદન્ત! ઉચ્ચાવચ શબ્દ પરિણામે દ્વારા પરિણમન પામેલા પુદ્ગલો પરિણમે છે, એમ કહી શકાય ખરું?” દંતા, ભયT! હા, ગૌતમ! એવું કહી શકાય છે. “ઉચ્ચાવી’ શબ્દની વ્યુત્પત્તિ નીચે પ્રમાણે છે- “ જ અવાઝ ” “સુરભિસૂત્ર આ પ્રમાણે છે- “જે gm મંતે કુલ્મિક્ષ જાહ્ય દુન્નિસત્તાનું નિમંતિ? હે ભદન્ત! સારા શબ્દના પુદગલો ખરાબ શબ્દના પુદગલોરૂપે પરિણમે છે ખરા ? હંતા, મા! હા, ગૌતમ! પરિણમી શકે છે. સૂ. ૧ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજત “ભગવતી’ સૂત્રની પ્રમેયચન્દ્રિકા
વ્યાખ્યાના ત્રીજા શતકનો નવમો ઉદેશ સમાપ્ત ૩-લા
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨ ૬૧