SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ એટલું જ નહીં પણ યમના પરિવારરૂપ જે દેવ-દેવીઓ છે તેમનાથી પણ તે ઉત્પાત અજ્ઞાત હતા નથી, એ જ વાત સૂત્રકારે નીચેના સૂત્ર દ્વારા પ્રકટ કરી છે– સૈહિ વાં જ્ઞમાથા સેવાઇ એટલે કે યમદેવના પરિવારરૂપ યમકાયિક દેવોથી પણ તે ઉપદ્રવો અજ્ઞાત હોતા નથી. આગળ બતાવ્યા પ્રમાણેના ૧૫ દેવો યમને અધીન છે. તે બધાં ઘણા નિર્દય અને અધાર્મિક છે. તે બધા અસુરનિકાય દેવો છે. “સાણ ઈત્યાદિ દેવેન્દ્ર, દેવરાય શકના લેકપાલ યમના “ને તેવા સાવ ગમવા ગ્રોથ’ આજ્ઞાકારી દેવો નીચે પ્રમાણે છે. વળી તે દેવો તેના પુત્ર સ્થાનીય દેવા ગણાય છે“d TET ” યમ મહારાજના પુત્ર સ્થાનીય દેવો નીચે પ્રમાણે છે– " [૧] “ અભ્ય-અસુર નિકાયમાં રહેનારા પંદર પરમાધાર્મિક નિકાય વાળા દેવામાં આ દેવો રહે છે. તે અમ્બ દેવો નારકેને આકાશમાં ઊંચે લઈ જઈને નીચે પટકે છે, તે કારણે તેમને “અંબ' કહે છે. [૨] “ચંરિજે અમ્બરીષ દેવો-તેઓ નારકનાં શરીરના કાતર વડે ટુકડે ટુકડા કરે છે અને તેને ભઠ્ઠીમાં પકાવવાને ગ્ય બનાવે છે. આ રીતે બ્રાષ્ટ્ર [ભાડભઠ્ઠીની સાથે સંબંધ રાખનારા તે દેવોને અબરીષ કહે છે. [3] r” શ્યામ–આ દેવો શ્યામ વર્ણના હોય છે. તેઓ નારકેને પીડા આદિ દ્વારા ત્રાસ આપે છે. [] “ ત્તિ શારે શબલ નામના પરમાધામિક દેવ હોય છે. તેઓ કાબર ચીતરા વર્ણના હોય છે. તેઓ નારકનાં આંતરડાં અને હૃદયનું વિદારણ કરીને તેમને પીડા પમાડે છે. તેથી જ તેમને “શબલ” કહે છે. [] અને [૬] “ વ ” રુદ્ર અને ઉપરુદ્ર -નારકેને તલવાર આદિમાં પરોવનારા દેને રુદ્ર કહે છે, તેઓ કુર હોવાથી તેમને રુદ્ર કહે છે. નારકનાં અંગ ઉપાંગોના ચૂરેચૂરા કરી નાખનારા દેવેને ઉપરુદ્ર કહે છે. તેઓ અતિશય ફૂર હોવાથી તેમનું નામ ઉપરુદ્ર પડયું છે. [૭] ” કાળ-તે વણે કાળા હોય છે. તે પરમાધામિક દેવો નારકેને કડાઈ આદિમાં રાંધે છે અને તેને વારંવાર ભય પમાડે છે. [૮] “નE%ાત્તિ મહાકાળ-તે નારકેનું સ્નિગ્ધ માંસ કાપી કાપીને નારકને જ ખવરાવે છે. તેને વર્ણ અતિશય શ્યામ હેય છે. તે કારણે તેને મહાકાળ કહેલ છે. [૯] “ગત્તેિ અસિપત્ર–આ દેવ તલવારની ધાર જેવાં પાનવાળું વન બનાવે છે. ત્યાં છાયા મેળવવાને માટે નારકે આવે છે ત્યારે વિકૃત વાયુના સંચાલનથી તે પાનને નીચે ખેરવીને નારકનાં શરીરના ટુકડે ટુકડા કરે છે. [૧] ધ' ધનતે ધનુષમાંથી ફેંકેલા અર્ધચન્દ્રાકાર બાણેથી નારકના કાન, નાક, હેઠ આદિ અવયવોનું છેદન કરે છે. [૧૧] કુમ કુંભ-આ પરમાધાર્મિક દેવો નારકેને કુંભમાં રાંધે છે. તેથી તેમને માટે “કુંભ’ શબ્દને પ્રવેશ કર્યો છે. [૧૨] “ના” બાલુ-જેમ ભાડમાં રેતી સાથે ચણાને શેકવામાં આવે છે, તેમ તેમ રેતી સાથે નારકે ના શરીરને તાવડામાં શેકનારા પરમાધામિક દેવોને “વાલું' કહે છે. [૧૩] રેવા? વૈતરણી–આ દેવે તેમની વૈકિય શક્તિથી વૈતરણી નદી બનાવે છે. અને વૈક્રિયશકિતથી બનાવેલા પાચ, રુધિર આદિથી તેને ભરી દે છે. [૧૪] “નરક્ષરે ખરસ્વર–તે તેની વિદુર્વણથી શમીવૃક્ષ બનાવે છે. તેને વજાના જેવાં કાંટાથી યુક્ત કરીને નારકને તેના ઉપર ચડાવે છે. ત્યારે અત્યંત પીડાને કારણે નાકે ચીસે પાડે છે, અથવા ગર્દભની જેમ અવાજ કરે છે. અથવા તે પરમધામિક દેવ પણ ગર્દભના જેવો અવાજ કરે છે. માટે તે દેવને ખરસ્વર” કહેલ છે. [૧૫] “અઘરે મહાષભયથી નાસ શ્રી ભગવતી સૂત્ર : ૩ ૨૪ ૨
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy