SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ દધિભજન નિદ્રાને, કાકડીને આહાર પિત્તને અને પિત્તની વૃદ્ધિ ક્રોધને ઉત્તેજિત કરે છે, એવી જ રીતે લેશ્યાના પરમાણુઓ કષાયના ઉદયને ઉદ્દીપિત કરે છે. જેવી રીતે સળગતા અગ્નિમાં ઘી નાખવાથી તે અગ્નિ વધારે પ્રજવલિત થાય છે, એ જ રીતે પ્રાર્થના શરીરમાં રહેલા વેશ્યાના પરમાણુઓ ઉદ્દીપિત થઈને કષાયેની વિશેષ પ્રમાણમાં વૃદ્ધિ કરતા રહે છે. તેથી જ્યાં સુધી જીવમાં લેશમાત્ર પણ કષાયવૃત્તિ રહેલી હોય છે ત્યાં સુધી લેસ્થાના પરમાણુઓ તે કષાયવૃત્તિને ઉદ્દીપિત કરતા રહે છે. જ્યારે કષાયવૃત્તિ તદન નષ્ટ થઈ જાય છે ત્યારે લેસ્યાના પરમાણુઓ પણ કષાયને ઉત્તેજિત કરી શકતા નથી–એટલે કે કષાયને ઉત્પન્ન કરી શકતા નથી. આ રીતે એ વાત સિદ્ધ થઈ જાય છે કે વેશ્યાઓ વિદ્યમાન કષાયને ઉદ્દીપિત કરવાનું કામ કરે છે– પરમાણુરૂપ આ લેશ્યાના શાસ્ત્રકારોએ નીચે પ્રમાણે છે ભેદ કહ્યા છે– “(૧) કૃષ્ણલેશ્યા, (૨) નીલલેશ્યા, (૩) કપીલેશ્યા, (૪) તેલેશ્યા, (૫) પલેશ્યા, (૬)શુકલેશ્યા. તેમાંની પહેલી ત્રણ લેસ્યાઓ-કૃષ્ણલેશ્યા, નીલલેશિયા અને કાપતલેશ્યા–અનુક્રમે અશુભતમ, અશુભતર અને અશુભ છે. તથા તેજલેશ્યા, પદ્મશ્યા અને શુકલેશ્યા અનુક્રમે શુભ શુભતર અને શુભતમ છે. પહેલી ચાર લેશ્યાઓ ભવનપતિ અને વાનવ્યંતર દેવોમાં હોય છે. કૃષ્ણ, નીલ અને કાપત, એ ત્રણ લેસ્યાઓ નારક જીવમાં હોય છે. તિષ્ક દે અને વૈમાનિક દેવમાંથી પહેલા અને બીજા કલ્પવાસી દેવોમાં તેજલેશ્યા હોય છે. ત્રીજા, ચેથા અને પાંચમાં કલ્પમાં રહેનારા દેશમાં પદ્મલેશ્યા હોય છે. અને ત્યાર પછીનાં કપમાં રહેનારા દેશમાં શુકલેશ્યા હોય છે. મનુષ્ય અને તિયામાં છએ છ લેસ્યાઓ હોય છે. પૃથ્વીકાય, અપૂકાય અને વનસ્પતિકાય, એ ત્રણે કાર્યોમાં પહેલી ચાર વેશ્યાઓ-કૃષ્ણ, નીલ, કાપત અને તેજલેશ્યા- હોય છે. તેજસ્કાય, વાયુકાય અને વિકલેન્દ્રિય જીવેમાં પહેલી ત્રણ વેશ્યાઓ કૃષ્ણ, નીલ અને કાપત લેસ્યા હોય છે. લેશ્યાઓને વર્ણ નીચે પ્રમાણે છે-કૃષ્ણ લેશ્યાને રંગ શ્યામ, નીલ ગ્લેશ્યાને રંગ નીલ, કાયોત લેશ્યાને રંગ કબૂતરના જેવો, તેજે લશ્યાને રંગ લાલ પવલેશ્યાને રંગ પીળે અને શુકલલેશ્યાને રંગ સફેદ હોય છે. તેમને રસ અનુક્રમે અનંતગણો કડ, અનંતગણ તુ, અનંતગણ ખારે, અનંતગણે મીઠ, અનંતગણું મધુર અને અનંતગણે સ્વાદિષ્ટ હોય છે. તેમની ગંધ કેવી હોય છે? પહેલી ત્રણ લેશ્યાઓ દુગધરૂપ હોય છે અને છેલી ત્રણ સુગંધરૂપ હોય છે પહેલી ત્રણ લેશ્યાઓને સ્પર્શ કર્કશ હોય છે અને છેલ્લી ત્રણને સ્પર્શ કેમળ હેાય છે. પહેલી ત્રણ લેસ્યાઓની વૃત્તિ અનુક્રમે, સૂરતમ ક્રૂરતર અને ક્રૂર હોય છે. છેલ્લી ત્રણ લેશ્યાઓની વૃત્તિ અનુક્રમે શુભ, શુભતર અને શુભતમ હોય છે. તે બધી લેસ્યાઓનાં અસંખ્યાત સ્થાન છે. તે બધી વેશ્યાઓને જધન્ય (ઓછામાં ઓછો) કાળ અ-તમુહૂતને છે. કૃષ્ણલેશ્યાની વધારેમાં વધારે કાળસ્થિતિ ૩૩ તેત્રીસ સાગરેપમ કરતા એક અધિક મુહૂર્ત પ્રમાણની છે. નીલ લેશ્યાની ઉત્કૃષ્ટ કાળસ્થિતિ દસ સાગરોપમ કરતાં પલ્યોપમના અસંખ્યાતમાં અધિક ભાગ પ્રમાણ છે. તે જેલશ્યાને ઉત્કૃષ્ટ સ્થિતિકાળ બે સાગરેપમ કરતાં પાપમના અસંખ્યાતમાં અધિક ભાગ પ્રમાણ છે. પલેક્ષ્યાને ઉત્કૃષ્ટ સ્થિતિ કાળ દસ સાગરેપમ કરતાં એક અધિક મુહૂર્ત પ્રમાણ છે. અને શુકલલેશ્યાને ઉત્કૃષ્ટ સ્થિતિકાળ ૩૩ સાગરોપમ કરતાં એક અધિક મુહુર્ત પ્રમાણ છે. પહેલી ત્રણ લેશ્યાવાળા જીવ દુર્ગતિમાં જાય છે અને છેલ્લી ત્રણ લેશ્યાવાળા છે સદ્ગતિમાં જાય છે. લેશ્યાની ઉત્પત્તિ થયા પછી એક મુહુર્ત બાદ જીવની પર ભવમાં ઉત્પત્તિ થાય છે. અથવા તે લેસ્થાના છેલ્લા એક મુહુર્ત પહેલા જીવની પરભવમાં ઉત્પતિ થાય છે. કહ્યું પણ છે–જે લેસ્યાઓ ચરમ સમયમાં પરિણત થઈ જાય છે, તે તે સમયે કોઈ પણ શ્રી ભગવતી સૂત્ર : ૩ ૧૯૧
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy