SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ટકાથ–એ વાત તે પહેલા બતાવવામાં આવી છે કે “શ્રમમાં પણ પ્રમાદ હિય છે, કારણ કે તેમના દ્વારા એવી ક્રિયા થતી હોય છે. એ રીતે એ વાત તે સિદ્ધ થાય છે કે પ્રમત્ત સંયતમાં પ્રમાદ હેય છે. અપ્રમત્ત સંયતમાં પ્રમાદ હિતે નથી કારણ કે તે પ્રમત્તસયતથી વિપરીત સ્વભાવવાળો હોય છે. એજ વાતની કાળની અપેક્ષાએ આ સૂત્રમાં પ્રરૂપણ કરી છે–પંડિતપુત્ર પૂછે છે- અરે ! હે ભદન્ત ! પમત્તસંજય’ મેહનીય આદિ કર્મોના ઉદયથી ઉત્પન્ન થયેલા પ્રમાદને આધીન બનેલા “પ્રમત્તભંગને રદબાણH’ પ્રમત્ત સંયમમાં વર્તતા, પ્રમત્ત સંયતની તે પ્રમત્ત દશા કયાં સુધી ચાલુ રહે છે? એજ વાત સૂત્રકારે નીચેના સૂત્રપાઠ દ્વારા બતાવી છે–“સા વિ ચ i મત્તા શાસ્ત્રો વાર દો?” કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રમત્તસંવત જીવ કેટલા સમય સુધી પ્રમત્ત રહે છે? અથવા આ પ્રમાણે પણ સમજાવી શકાય છઠ્ઠા ગુણસ્થાનમાં રહેલા પ્રમત્ત સંયમીને એ ગુણસ્થાનમાં રહેવાને જે સમસ્ત કાળ છે, તે કાળમાંથી પ્રમસદશામાં રહેવાને કાળ કેટલા છે? તેને જવાબ મહાવીર પ્રભુ નીચે પ્રમાણે આપે છે–હિyત્તા હે મંડિતપુત્ર! “p Gીd gવ એક જીવની અપેક્ષાએ તેને વિચાર કરવામાં આવે તે તે કાળ ઓછામાં ઓછો “g સમય એક સમયને છે અને વધારેમાં વધારે “વસે [T gોહી પૂર્વ કેટિથી ડે ન્યૂન છે. તેનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-કેઈ જીવ છઠ્ઠા ગુણસ્થાને આરેહણ કરે અને આરહણ કર્યા પછી એક સમયમાં જ તેનું મરણ થઈ જાય તો એવી પરિસ્થિતિમાં છઠ્ઠા ગુણસ્થાનનો કાળ જઘન્યની અપેક્ષાએ (ઓછામાં ઓછો) એક સમયનો છે. વધારેમાં વધારે તે કાળ પૂર્વકેટિથી ઘેડ ન્યૂન છે કહેવાનું કારણ એ છે કે છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનને કાળ એક એક અન્તર્મુહૂર્તને છે. હવે એક જ જીવમાં ક્રમે ક્રમે તે બન્ને ગુણસ્થાન હોય તો “પૂર્વકેટિથી થડા ન્યૂન” કાળ પર્યન્ત તે રહી શકે છે કારણ કે સંયમયુક્ત જીવનું વધારેમાં વધારે આયુષ્ય પૂર્વકેટિ પર્યન્તનું જ હોઇ શકે છે. જે જીવનું ઉત્કૃષ્ટ આયુ (વધારેમાં વધારે આયુ) એક પૂર્વકેટિનું હોય છે એ જીવ આઠ વર્ષ પછી જ સંયમ ધારણ કરે છે. તેથી અહીં વધારેમાં વધારે કાળ પૂર્વકેટિથી ન્યૂન કહ્યો છે, કારણ કે તેટલા વર્ષને પૂર્વ કેટિમાંથી બાદ કરવા પડે છે. બાકીના સમય પર્યન્ત તે સંયમનું સેવન કરે છે. TTI બીજે ઘa અનેક જી ની અપેક્ષાએ જે છઠ્ઠા ગુણસ્થાનના કાળને વિચાર કરવામાં આવે તો કાપ્યા તે કાળ સર્વકાળ છે, કારણ કે એ કઈ પણ કાળ નથી કે જ્યારે કઈને કઈ જીવ છઠ્ઠા ગુણસ્થાનમાં રહેતું ન હોય. હવે મંડિતપુત્ર અપ્રમત્ત સમયના કાળ વિષે પ્રશ્ન કરે છે. “ગvમત્તાંનવસ / મરે ! રમતसंजमे वट्टमाणस्स सन्चा वि य णं अप्पमत्तद्धा कालओ केचिरं होइ ?' હે ભદન્ત ! અધ્યત્ત સંયમનું સેવન કરનારે અપ્રમત્તસંયત જીવ કેટલા સમય પર્યત સાતમાં ગુણસ્થાનમાં રહે છે? કહેવાનું તાત્પર્ય એ છે કે અપ્રમત્તાસંયમને અપ્રમત્ત ગુણસ્થાનમાં રહેવાને જેટલે કુલ કાળે છે એટલા કાળમાંથી એક અપ્રમત્ત સંયતને કાળ કેટલો છે તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે–‘બંદિપપુરા !” શ્રી ભગવતી સૂત્ર : ૩ ૧ ૭ ૩
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy