SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ શેકથી વ્યાકુળ કરતો નથી, (વાવ) વ્યથા કરતું નથી. કહેવાને ભાવાર્થ એ છે કે એવો જીવ તેમને દુઃખી કરવામાં કારણભૂત બનતું નથી. તે કારણે એવો જીવ મરણ કાળે મુકિત પામી શકે છે. ટીકાથ–કિયાને અધિકાર ચાલુ હોવાથી, મંડિતપુત્ર અણગાર અજનાદિ ક્રિયાએના વિષયમાં મહાવીર પ્રભુને આ પ્રમાણે પૂછે છે– નળ ! ઈત્યાદિહે ભદન્ત ! જીવ હંમેશા કઈને કઈ ક્રિયા કરતે જ હોય છે. એવી એક પણ ક્ષણ હેતી નથી કે જ્યારે તે કિયાથી રહિત હોય. જ્યાં ક્રિયા છે ત્યાં કર્મબંધ હોય છે. અને જ્યાં કર્મ બંધ છે ત્યાં સંસાર છે. આ વાત ધ્યાનમાં રાખીને મંડિતપુત્ર અણુગાર મહાવીર પ્રભુને પૂછે છે કે જ્યાં સુધી આ જીવ “સમિાં gg? રાગાદિ રૂપે પરિણમતે રહે છે એટલે કે રાગદ્વેષ આદિ વિકૃત ભાવોવાળ રહે છે, અથવા “મિથું શરૂ રાગદ્વેષ સહિત કંપિત થતું રહે છે, ત્યાં સુધી તેને મુકિતની પ્રાપ્તિ થતી નથી એ વાત શું ખરી છે? બીજાં ક્રિયાપદે સાથે પણ આ પ્રકારનો સંબંધ સમજી લેવો. “રાગદ્વેષ સહિત કંપિત થવા ” નું તાત્પર્ય નીચે પ્રમાણે છે-મન, વચન અને કાય એ ત્રણ યોગેના કંપનના સંબંધથી આત્મપ્રદેશમાં કંપન ક્રિયા થાય છે. આ કંપનક્રિયાથી આત્મામાં નવીન કર્મોને આસ્રવ (પ્રવેશ) થાય છે. તે વિવિધ રૂપે અથવા વિશેષરૂપે કંપન થવાનું તાત્પર્ય નીચે પ્રમાણે છે – જ્યારે આત્મામાં આર્તધ્યાન, રૌદ્રધ્યાન આદિની પ્રબળતા રહે છે ત્યારે અશુભાદિરૂપ પરિણતિની વિશેષતાથી રાગાદિ ભાવરૂપ કષાની પ્રબળતા પણ વધી જાય છે. ત્યારે આત્મપ્રદેશમાં અધિક સકંપતાને અનુભવ થાય છે. તે કારણે કમેને આસ્રવ પણ અધિક પ્રમાણમાં થાય છે. “વચ્છg) જ્યારે જીવ એક સ્થાનેથી બીજે સ્થાને ગમન કરતે હોય છે, “ બીજી જગ્યાએ જઈને પિતાને સ્થાને પાછા ફરે છે, “ જ્યારે જીવ બધી દિશાઓમાં અવરજવર કરતે હોય છે ત્યારે અથવા કોઈ બીજા પદાર્થને સ્પર્શ કરતા હોય છે ત્યારે, “વૃદમgી જ્યારે જીવ શુલિત થાય છે ત્યારે અથવા જમીનમાં નીચે ઉતરે છે ત્યારે, અથવા અન્ય જીવને શ્રુભિત કરે છે ત્યારે, “તી જ્યારે કોઈને જબર્જસ્તીથી ચલાવે છે ત્યારે, અથવા કે અન્ય પદાર્થનું પ્રતિપાદન કરતો હોય ત્યારે, તે જીવ “તે તે માä મિ તે તે ભાવરૂપે પોતે જ પરિણમી જાય છે. જીવ આટલી જ ક્રિયાઓ કરતે રહે છે એવું નથી, પણ બીજી પણ અનેક ક્રિયાઓ પ્રતિદિન કરતું રહે છે જેમકે-ઉલ્લંપણ (કઈ ચીજને ઊંચે ફેંકવી), અવક્ષે પણ, આકુંચન, પ્રસરણ વગેરે. તે બધી ક્રિયાઓને સમાવેશ કરવાને માટે સૂત્રકારે તે ઈત્યાદિ સૂત્રપાઠ મૂક્યો છે. આ સઘળા જનાદિ ક્રિયારૂપ ભાવ જીવમાં એક સાથે તે થતા નથી. ક્રમે કમે થયા કરે છે. પણ કેઈ પણ સમયે જીવમાં કોઈને કઈ ક્રિયારૂપ ભાવનું અસ્તિત્વ અવશ્ય હોય છે. એજ વાતનું સૂચન કરવા માટે સામાન્યરૂપે “સા' પદને ઉપયોગ કર્યો છે. પ્રત્યેકની અપેક્ષાએ “સદા પદને પ્રવેશ કરવામાં આવ્યું નથી. કારણું કે પૂર્વોક્ત ક્રિયારૂપ ભામાંથી કઈ પણ ભાવ સ્થિરરૂપે સદા ટકતું નથી. પણ તેમાંથી કઈને કઈ ભાવનું અસ્તિત્વ કોઈ પણ સમયે અવશ્ય રહે છે. તથા “નીu? પદ દ્વારા શ્રી ભગવતી સૂત્ર : ૩ ૧ ૬ ૨
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy