SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ તે કારણે મને કેધ ચડવાથી “ગપુ િગમુળ જમક્ષ વદા' અસુરેન્દ્ર અસુરરાજ ચમરને વધ કરવાને માટે અને નિર્દો મારા વડે વજી છોડવામાં આવ્યું ‘તer” ત્યારબાદ “પં ચાર ગથિઇ જાવ સાપગિથા મને આ પ્રકારને આધ્યાત્મિક આદિ વિશેષણોવાળે વિચાર આવ્યું. અહીં “ નાર પદથી “ચિન્તિત, પ્રાર્થિત, કલ્પિત અને મને ગત સંકલ્પ પર્યન્તના પદ ગ્રહણ કરાયાં છે. જ્યારે અમરેન્દ્ર સૌધર્મ ક૫માં પહોંચ્યા અને તેણે શકને ઘણાં કઠેર વચને સંભળાવ્યા ત્યારે શકે ધાવેશમાં આવી જઈને તેને ઊપર વજ ફેંકયું. ત્યાર બાદ તેના મનમાં એ વિચાર આવ્યું કે મેં ચમર ઉપર વજને પ્રહાર કર્યો તે ઉચિત છે કે અનુચિત છે?” આ પ્રકારને વિચાર અંકુરની જેમ તેના અંત:કરણમાં ઉદ્દભવ્યો. તેથી તે વિચારને આધ્યાત્મિક કહ્યો છે. ત્યારબાદ તે વિચાર તેના મનમાં વારંવાર આવવા લાગ્યો. જેમ અંકુરમાંથી ફણગો ફૂટે તેમ તે વિચાર તેના મનમાં વધારેને વધારે દૃઢ થવા લાગ્યો. તેથી તે વિચારને “ચિતિત ” કહ્યો છે. જ્યારે ચમરે મારી સાથે અસભ્ય વર્તન બતાવ્યું ત્યારે જ મેં તેના ઉપર મારૂં વજી ચલાવ્યું. મેં ઉચિત કાર્ય જ કર્યું છે.” આ રીતે તે વિચાર ઈષ્ટ રૂપે સ્વીકૃત થવાથી તથા વધારે સ્પષ્ટ થવાથી પલવિત બનેલા અંકુરની જેમ તેને “પ્રાર્થિત’ કહો છે ત્યાર બાદ જ્યારે શક્રને એમ થયું કે મેં જે વજ છેડયું, તે ઉચિત કાર્ય થયું નથી, ત્યારે તે વિચાર સંપૂર્ણતઃ નિશ્ચિત બનવાથી તેને પુપિત થયેલા અંકુરની જેમ કાલ્પનિક' કહ્યો છે. તેણે મનમાં નિશ્ચિત રૂપે એવું માની બ્લીધું કે મેં વજી છેડયું તે તદન અનુચિત બન્યું છે. તેથી તે વિચારને “મને ગત’ કહ્યો છે. આ રીતે પલવિત થયેલા અંકુરની જેમ નિશ્ચિતરૂપે ઉત્પન્ન થયેલે વિચાર તેના મનમાં આવ્યો શકને જે વિચાર આવ્યો તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે- નો વધુ વકરે ઇત્યાદિ. મુજે કુરાયા વકરે ને વહુ પમ્ “ અસુરેન્દ્ર અસુરરાજ ચમર પિતે જ એટલા સમર્થ નથી” ત્યાંથી શરૂ કરીને “તવ નાવ ગોહિં હંગામ’ સુધીને પાઠ શકને આવેલા વિચાર દર્શાવે છે અહીં “નાદ્ય પદથી જે સૂત્રપાઠ ગ્રહણ કરાયો છે તેનો સારાંશ નીચે પ્રમાણે છે-શક પિતે તેના પિતાના સામર્થ્યથી સૌધર્મ દેવક સુધી આવી શકવાને સમર્થ નથી. અહંત ભગવાન અથવા અહંત ચૈત્ય અથવા ભાવિતા મા અણગાર સિવાય બીજા કેઈની પણ નિશ્રાથી [આશ્રયથી] સૌધર્મ દેવલેક સુધી તે આવી શકે જ નહીં. આ પ્રમાણે મનમાં નિશ્ચય કરીને જ્યારે તેણે અવધિજ્ઞાનથી જોયું ત્યારે તેણે જે જોયું તે સૂત્રકાર તેને મુખે જ પ્રકટ કરે છે “દિના વાgિg ગામોનિ” હે દેવાનુપ્રિય ! અવધિજ્ઞાનથી મેં આપને જોયા, એટલે કે મને અવધિજ્ઞાનથી જાણવા મળ્યું કે આપની નિશ્રાથી ચમરેન્ડે સૌધર્મદેવલોકમાં આવીને મારું અપમાન કર્યું હતું. ત્યારે મને ઘણે ખેદ થયો. આપની નિશ્રામાં રહેલા અમર પર વજી છેડીને આપની અશાતના કરવા માટે મને ઘણું દુઃખ થયું. અને મારા મુખમાંથી આ ઉદ્ગારે નીકળી પડયા “દા : દા ! રદો તામિ' અરે ! આ તો ભારે અનર્થ થયો. હવે મારું આવી બન્યું જ જાણવું” “જિ” એ વિચાર શ્રી ભગવતી સૂત્ર : ૩ ૧ ૩૪
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy