SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ તે કાળે અને તે સમયે “વ બંધૂકી ” આ જંબુદ્વીપ નામના પહેલા દ્વીપમાં xx ભારતવર્ષ નામે એક ક્ષેત્ર છે. તેમાં “જિંગિરિ ગાય” વિધ્યાચલ નામનો પર્વત છે. તે પર્વતની તળેટીમાં “મેરો ના સંનિજેરે હો ” એભલે નામનું એક સંનિવેશ હતું. જ્યાં સદાગરની વસ્તી વધુ હોય એવા નગરને સંનિવેશ કહે છે. "વળગી ઔપપાતિક સૂત્રમાં ચંપા નગરીનું જેવું વર્ણન કર્યું છે એવું જ તેનું વર્ણન સમજવું. “ચંપાનગરી” શબ્દ નારી જાતિનો હોવાથી તેનાં વિશેષણ વિશેષ્ય જેવાં જ એટલે કે નારી જાતિનાં છે. પણ બેભેલ નગર નર જાતિમાં હોવાથી તેનાં વિશેષણે નરજાતિનાં સમજવા. બેભેલનું વર્ણન કરતી વખતે એ વાત ધ્યાનમાં રાખવી. એજ વાત ટીકાકારે નીચેના ફકરાદ્વારા પ્રકટ કરી છે-“&િાવ્યરચનરનારીવાવ ગારિ વર્ષનં વોર્થ “તસ્થ ઉમે સંનિવે? તે બેભેલ નગરમાં “પૂરને નાનું બાફવર્ષે પરિવણ પૂરણ નામે ગૃહસ્થ રહેતે હતિ. તે “પત્તેિ ' તે ઘણે ધનાઢય અને તેજસ્વી (પ્રભાવશાળી) હતે. નહીં તાઝિસ વત્તવયા તા નેચડ્યા તામલીનું જેવું વર્ણન આગળ કરવામાં આવ્યું છે એવું જ પૂરણનું વર્ણન પણ સમજવું. જેવી રીતે તામલીને અર્ધ રાત્રિના સમયે નિદ્રા આવી નહીં ત્યારે તેના મનમાં આધ્યાત્મિક, ચિતિત, કલિપત, મને ગત સંક૯૫ ઉપ હતો તેવી રીતે આ પૂરણને પણ એજ પ્રકારનો સંકલ્પ ઉદ્ભવ્યો હતે પૂરણ ગાથાપતિને તે સંક૯૫ પહેલાં અંકુરની માફક આત્મામાં પ્રકટ થયે હતું, તેથી તેને આધ્યાત્મિક કહ્યો છે. પહેલાં તેના અંતઃકરણમાં જે વિચાર ઉદ્દભ, તે વિચાર વારંવાર તેના મનમાં આવવા લાગ્યું. માટે તેને તે વિચારને ચિહ્નિત કહ્યો છે. આ વિચારને પરિણામે જ તે પ્રવ્રજ્યા અંગીકાર કરવાને પ્રેરાયે હતે. તે કારણે પલવિત થયેલા અંકુરની જેમ તેના તે વિચારને કલ્પિત કહો છે. પ્રત્રજ્યા ગ્રહણ કરવામાં જ મારૂં હિત રહેલું છે, આ રીતે તે વિચાર સ્વીકૃત થવાને કારણે તેને માટે ઈષ્ટ બની ગયે. માટે તેને પ્રાર્થિત વિશેષણ લગાડયું છે. હજી સુધી તે વિચાર તેણે કેઈની પાસે પ્રકટ કર્યો ન હત–એ વિચાર તેના મનમાં મજબૂત થયો હતો માટે તેને તે વિચારને મને ગત વિશેષણ લગાડયું છે. આ રીત આધ્યાત્મિક, ચિતિત, કલ્પિત, પ્રાર્થિત અને મનોગત સંકલ્પ તેના મનમાં ઉત્પન્ન થયે અને અન્ત તે વિચાર ફલિત થયેલા અંકુરની જેમ સફળ થયો. તામસી બાલતપસ્વીની જેમ જ પૂરણે પણ વિચાર કર્યો કે મેં પૂર્વભવમાં જે શુભ કર્મો કર્યા હતાં તે શુભ કર્મોના ઉદયને પરિણામે જ મારે ત્યાં ધન, ધાન્ય, પુત્ર, સેનું, ચાંદી, મણિ રત્ન આદિ વિપુલ પ્રમાણમાં છે અને તેમની વૃદ્ધિ થઈ રહી છે તે મારાં તે શુભકર્મોને પૂરેપૂરે ક્ષય થઈ જાય ત્યાં સુધી હાથ જોડીને બેસી રહેવું તે મારે માટે એગ્ય નથી. મારે મારા આગામી ભવના સુખને પણ વિચાર કરે જઈએ. કાલે પ્રાતઃકાળ થતાં જ મારે પ્રાણામાં પ્રવ્રજ્યા ગ્રહણ કરવી જોઈએ. તામલીને પ્રાણામા પ્રવ્રજ્યા ગ્રહણ કરવાને જે વિચાર આવ્યું હતું એવો જ વિચાર પૂરણ ગાથા પતિને પણ થયું. “નવર' પણ તાલી અને પૂરણ ગાથા પથિના વિચારમાં આટલું જ અંતર હતું–તામલીને જે કાષ્ઠપાત્ર તૈયાર કરાવ્યું તેને ત્રણ ખાના કરાવ્યાં હતાં, પણ પૂરણે જે કાષ્ઠપાત્ર તૈયાર કરાવ્યું તેને ચાર ખાનાં કરાવ્યાં હતાં. પૂરણે પણ નીચે પ્રમાણે સંકલ્પ કર્યો હતો “નgs રામાં વિજય શા” ચાર ખાનાવાળું કાષ્ઠપાત્ર તૈયાર કરાવીને “ગાર વિપુર્ણ રસ જા સવા સારૂ વિપુલ પ્રમાણમાં અશન. પાન, ખાદ્ય અને સ્વાઘ આહારે તૈયાર કરાવીને, હું સ્વજને, મિત્રો, સગાં શ્રી ભગવતી સૂત્ર : ૩ ૧૦૮
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy