SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ દેવભવના કારણરૂપ કર્મોની નિર્જરા થવી તેનું નામ ભવક્ષય છે, અને આયુકર્મની સ્થિતિનું વેદન કરવું તેનું નામ સ્થિતિ ક્ષય છે. ઉત્તર–“નોરમા ” હે ગૌતમ! તેમની સ્થિતિ સાત સાગરોપમની કહી છે. તેઓ ત્યાંથી અવીને “ના િવાસે સિદિ” મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યગતિમાં ઉત્પન્ન થઈને સિદ્ધપદ પામશે “નાર સંત g? તેઓ સમસ્ત કર્મોને ક્ષય કરીને કૃતકૃત્ય થઈ જશે અને સમસ્ત દુઃખના અંતકર્તા થશે. “ તે! સે અંતે આ પદે દ્વારા વાયુભૂતિ ગણધર ભગવાનના કથનમાં પિતાની અપાર શ્રદ્ધા પ્રકટ કરે છે. તેઓ કહે છે, “હે ભદન્ત ! આપની વાત તદ્દન સત્ય છે. આપની વાત યથાર્થ છે. તેમાં શંકાને સ્થાન જ નથી.” આ ઉદ્દેશકને અંતે આપેલી “જીક છક ઇત્યાદિ બે ગાથાઓ દ્વારા સૂત્રકારે આ ઉદ્દેશકને ઉપસંહાર કરતાં તેમાં જે વિષયનું પ્રતિપાદન થયું છે તે વિષયને ઉલ્લેખ કર્યો છે. બન્ને ગાથાનો અર્થ મૂળ સૂત્રાર્થમાં સમજાવવામાં આવ્યું છે. આ ઉદ્દેશકમાં વિદુર્વણ શક્તિનું સ્વરૂપ બતાવ્યું છે. મેકા નામની નગરીમાં આ ઉદ્દેશકનું કથન ભગવાન મહાવીર પ્રભુને શ્રીમુખે થયું હતું. તે કારણે આ ઉદેશકનું નામ “મેકા” રાખ્યું છે. આ પ્રમાણે ત્રીજા શતકને પહેલે ઉદ્દેશક સમાપ્ત થે. | ઇતિશ્રી જૈનાચાર્ય જૈનધર્મ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ભાગવતી સત્રની પ્રિયદર્શની વ્યાખ્યાના બીજા શતકનો પહેલો ઉદ્દેશક સમાપ્ત ૩–૧ દૂસરે ઉદેશે કા સંક્ષિસિ વિષયોં કા વિવરણ ત્રીજા શતકને બીજો ઉદશક– હવે સૂત્રકાર ત્રીજા શતકના બીજા ઉદેશકની શરૂઆત કરે છે. તેમાં જે જે વિષયેનું નિરૂપણ કરવામાં આવ્યું છે, તે તે વિષયનું સંક્ષિપ્ત વર્ણન નીચે પ્રમાણે છે રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુનું ગમન, પરિષદનું ધર્મોપદેશ શ્રવણ, ત્યાર બાદ ગૌતમના મહાવીર પ્રભુને અસુરકુમારના આવાસો વિષે પ્રકને “અસુરકુમારે કયાં રહે છે? ઉત્તર- તેઓ રત્નપ્રભા પૃથ્વીના એક લાખ એંશી હજાર જી પ્રમાણ પિડના મધ્ય ભાગમાં રહે છે. તેઓ નીચે વાલુકાપ્રભા નામની નરક સુધી જાય છે એવું પ્રતિપાદન અને તેઓ સાતમી નરક સુધી જઈ શકવાનું સામર્થ્ય ધરાવે છે, એ ભગવાન દ્વારા ઉત્તર તેઓ પોતાના પૂર્વભવના દુશ્મનને પીડવા માટે, શ્રી ભગવતી સૂત્ર : ૩ 1.
SR No.006417
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy